નાસિકના કાલવણ તાલુકામાં માતા સપ્તશૃગીનું પ્રસિદ્ધ મંદિર છે. ૧૮ ભુજાવાળી આ દેવીના ભક્તો દેશ-વિદેશમાં છે, પરંતુ મોટા ભાગના ભક્તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવે છે. સાત શિખરો પર આવેલું આ મંદિર સપ્તશૃંગી તરીકે ઓળખાય છે. આમ તો આપણે દેવીને અનેક સ્વરૂપોમાં જોઈએ છીએ, પણ એક જ ચહેરાની દેવીનું બદલાતું સ્વરૂપ ભક્તને આશ્ચર્યચકિત કરી દે છે. લગભગ સાત મહિના પહેલાં દેવી સપ્તશૃંગીનું બદલાયેલું મનમોહક સ્વરૂપ ભક્તોને નવાઈ પમાડે છે.
જ્યારે હજારો વર્ષોથી દેવીની મૂર્તિ પર લગાવવામાં આવેલા સિંદૂરનો લેપ હટાવવામાં આવ્યો ત્યારે ભક્તોની સામે દેવીનું એક અલગ જ સ્વરૂપ દેખાયું. પુરાતત્ત્વ વિભાગ, કાશી વિશ્વનાથ મંદિરના વડા ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને સપ્તશૃંગી નિવાસિની મંદિર ટ્રસ્ટે સાથે મળીને દેવીની મૂર્તિ પર ઘણાં વર્ષોથી લાગેલા સિંદૂરના લેપને હટાવવાનો નિર્ણય લીધો હતો. જૂન ૨૦૨૨માં એ કામ શરૂ થયેલું, જેના કારણે લગભગ બે મહિનાથી મંદિરનાં દર્શન બંધ થઈ ગયા હતા. દેવીની મૂર્તિમાંથી લગભગ ૧૮૦૦ કિલો સંદૂર કાઢવામાં આવ્યું હતું. ત્યાર બાદ દેવીનું એક અલગ સ્વરૂપ ફરીથી ભક્તો સમક્ષ દર્શન માટે ખોલવામાં આવ્યું હતું. દેવીના નવા સ્વરૂપને જોઈને ભક્તોમાં દેવીના મુખ અને મૂર્તિને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ અને મંદિરમાં ભક્તોની ભીડ વધવા લાગી. આજે પણ દરેક દેવીભક્ત સમાન ભક્તિ સાથે સપ્તશૃંગી દેવી સમક્ષ નતમસ્તક જોવા મળે છે.
સપ્તશૃંગી નિવાસિની મંદિર ટ્રસ્ટના વ્યવસ્થાપક સુદર્શન દહાતોંડે દેવીના બદલાતા સ્વરૂપ વિશે ‘અભિયાન'ને જણાવે છે કે, દેવીનું અગાઉનું સ્વરૂપ ઘરની વૃદ્ધ દાદી જેવું લાગતું હતું, પણ આજનો દેખાવ એક યુવાન કુંમારીનો છે. દેવી આપણી માતા છે. તેમના ભક્તો માતાને જુદાં-જુદાં રૂપમાં જુએ છે, પરંતુ ભક્તોની ભક્તિમાં ક્યારેય કોઈ ફરક પડતો નથી. તે માતા સમક્ષ એ જ રીતે માથું નમાવે છે જે રીતે તે પહેલાં નમાવતા હતા.
This story is from the April 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન
વાયરલ પેજ
અસ્તિત્વના સંઘર્ષનો કોયડોઃ થ્રી બૉડી પ્રોબ્લેમ
ચર્નિંગ ઘાટ
દવાની વિદેશી કંપનીઓનાં કારનામાં
રાજકાજ
રોહન ગુપ્તાને ભાજપમાં મોટી ભૂમિકા મળવાની શક્યતા
રાજકાજ
ભાજપનો સંકલ્પ પત્ર; દૂરનાં લક્ષ્યો, નજીકનો એજન્ડા
પંચામૃત
ઈશ્વર હોય તો તે જરૂર માણસના હૃદયમાં જ છે!
બિંજ-થિંગ
નિતાંત તરસની વેધક કથાઃ The Goat Life
વિઝા વિમર્શ
ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ