ઉત્તરાયણના દિવસે કાર્તિક આર્યન કચ્છના રણમાં આવ્યો હતો. કારણ? તેની ‘શેહઝાદા’ ફિલ્મના પ્રમોશન માટે. ૧૦મી ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ‘શેહઝાદા’ ફિલ્મમાં કાર્તિક આર્યનની સાથે ક્રિતી સેનન, પરેશ રાવલ, રાજપાલ યાદવ, મનીષા કોઇરાલા, રોનિત રોય અને સચિન ખેડેકર સહિતના કલાકારો છે. દિગ્દર્શન ડેવિન ધવનના પુત્ર રોહિત ધવને કર્યું છે. એક્શન ડ્રામા ‘શેહઝાદા’માં પરિવારની, સંબંધોની વાર્તા છે.
મૂળ વાત એ છે કે, તામજામથી બનેલી અને રિલીઝ થઈ રહેલી ‘શેહઝાદા’ ૨૦૨૦માં આવેલી તેલુગુ ફિલ્મ ‘અલા વેંકુઠપુરામૂલુ’ની સત્તાવાર રિમેક છે. રસપ્રદ વાત એ છે કે, ‘શેહઝાદા’માં જે પાત્ર કાર્તિક આર્યન ભજવી રહ્યો છે તે પાત્ર ‘અલા વેંકુઠપુરામૂલુ’માં અલ્ અર્જુને ભજવ્યું હતું. અ અર્જુનની ‘અલા વેંકુઠપુરામૂલુ’ના એક વર્ષ બાદ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ રિલીઝ થઈ હતી, જે ફિલ્મ બાદ તેને આખા ભારતના લોકો વધુ ઓળખતા થયા.
..અને ઓળખતા થયા માટે લોકોએ તેની ‘અલા વેંકુઠપુરમૂલુ’ ગોતી ગોતીને જોઈ લીધી! તે ફિલ્મ ટેનિકલ રીતે પણ બોલકી છે. તેમાં અલ્લુ સાથે તબુ, જયરામ, મુરલી શર્મા અને સચિન ખેડેકર સહિતના કલાકારો છે. વાત એમ છે કે, હજુ બે વર્ષ પહેલાં જ આવેલી ને સુપરહિટ સાબિત થયેલી તેલુગુ ફિલ્મની રિમેક બનાવવી કેટલી યોગ્ય છે?
પાછી અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ ફિલ્મની સફળતા જોઈને, તેની રોકડી કરવા ‘અલા વેંકુઠકમૂલુ’ની પણ હિન્દી ડબ્ડ રિલીઝ કરવાનું નક્કી હતું. આ તો ભલું થજો કે તે યેનકેન પ્રકારે રોકવામાં આવ્યું, જેથી ‘શેહઝાદા’ ફિલ્મ ચાલી શકે, પણ હવે તો દક્ષિણ ભારતની તેલુગુ, તમિલ, મલયાલમ કે કન્નડ; કોઈ પણ ફિલ્મ હોય તથા અન્ય ભાષાની કે વિદેશી ફિલ્મ હોય, લોકો ઓટીટી પ્લેટફોર્મ ઉપર સબટાઇટલ્સ સાથે જોઈ લે છે. એવામાં રિમેક કરવી કેટલું યોગ્ય છે?
આ સવાલના જવાબ સુધી જઈએ એ પહેલાં આગામી દિવસોમાં બોલિવૂડમાં કેટલી રિમેક ફિલ્મો આવવાની છે તે જોઈએ.
રિમેક કા કારોબાર!
This story is from the January 28, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 28, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ
ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ
દેવ પટેલે કઈ રીતે હનુમાન ભગવાનની પ્રેરણા લઈને ‘મંકી મેન' ફિલ્મ બનાવી?
દેવ પટેલની ફિલ્મ ‘મંકી મૅન નો વિવાદ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યો. આ ફિલ્મ માટે દેવ પટેલને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે પોતે જ ફિલ્મના ઍક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે.
ફેમિલી ઝોન
ગાર્ડનિંગ સાથે જોડાયેલી માન્યતાઓઃ કેટલી સાચી, કેટલી ખોટી?
ફેમિલી ઝોન
ફૂટકોર્ન શું છે અને કેવી રીતે રાહત મેળવી શકાય?
ચૈત્રી નોરતાં એટલે આપણી ઊર્જા સાથેનાં મૈત્રી નોરતાં..
આપણામાં ઊર્જા તો હોય, પણ એ ઊર્જા નકારાત્મકરૂપે હોય તો? એ ઊર્જા અસંતોષ, ઈર્ષ્યા, લાલચ, વ્યગ્રતા જેવા રૂપમાં હોય તો? તો એ ઊર્જા આપણને ઊલટી ચાલ લઈ જાય છે. આપણી ઊર્જાને યોગ્ય માર્ગે વાળવાનું તપ આપણે કરવાનું હોય છે.
લાફ્ટર વાઇરસ
લેખક જ્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે...!!
બિજ-થિંગ
યુગપરિવર્તક ચિત્રકારના જીવનરંગો : રાજા રવિ વર્માનું જીવનચરિત્ર
કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં
કચ્છમાં જૈન સમાજમાં પહેલાંથી જ શિક્ષણનું મહત્ત્વ હતું.જૈન સમાજની બાલિકા અને બાળકોને ધર્મના સંસ્કાર મળે, તેનું પાયાથી જ્ઞાન મળે, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રહે, સંસ્કૃત, હિન્દી, ગણિત જેવા વિષયો શીખવા મળે તેવા હેતુસર માંડવી તાલુકાના મેરાઉ અને નાગલપર ગામોમાં ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના ૧૯૬૧માં કરાઈ હતી, પરંતુ સમયની સાથે કચ્છમાં જૈન વસતિ અને વિદ્યાપીઠોનો લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. તેથી આજે આ બંને વિદ્યાપીઠ બંધ કરવી પડી છે. જોકે ભવિષ્યમાં કન્યાઓ માટે અહીં ફરી વખત ધાર્મિક, સાંસ્કૃતિક અને હાલના સમયમાં ઉપયોગી એવું શિક્ષણ આપતી વિદ્યાપીઠ શરૂ કરવાની યોજના ટ્રસ્ટીઓની છે.
પ્રવાસન
જટાગંગા, જંગલ અને જાગેશ્વરના પ્રાચીન મંદિર સમૂહો
અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો
અહીં મહિલા કામદારો મૅનેજમૅન્ટ, ફર્નેસ ઓપરેટર, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સિક્યૉરિટી માર્શલ્સ, પ્રોજેક્ટ ઑપરેશન્સ, કોન્ટ્રાક્ટ પ્રોક્યોરમૅન્ટ, લોજિસ્ટિક્સ વિભાગ જેવા વિવિધ ક્ષેત્રે કામ કરે છે. એટલે કે માત્ર ઑફિસ વર્ક જ નહીં, મહિલા કામદારો એ બધાં જ કામ કરે છે જે કંપનીના પુરુષ કામદારો કરે છે. વાત એક સ્ટીલ કંપનીનાં મહિલા કર્મચારીઓની.