અનિતાબહેને રાડ પાડતાં કહ્યું, ‘તમને તો કાંઈ ચિંતા જ નથી, સ્વરૂપાના સાસરીવાળા કાલે સવારનો નાસ્તો આપણે ત્યાં કરવાના છે. યાદ છે ને.. અને આ સાંજ થવા આવી, પણ તમે કોઈ નાસ્તાનું મેનુ જ નક્કી નથી કરતા. તે લોકો તો વર્ષોથી મુંબઈ રહે છે, પાછી આપણી અને તેમની રહેણી-કરણી પણ કેટલી અલગ છે. તેમણે તો ખબર નહીં, સવારના નાસ્તાને લઈને કેવી-કેવી ધારણાઓ બાંધી લીધી હશે અને હવે તેમાં જો આપણે ખરા ના ઊતરીએ તો વેવાઈ આગળ નાક કપાય, પણ તમને બધાને તો કંઈ પડી જ નથી. બધી ચિંતા મારે એકલીને જ કરવાની.’
સ્વરૂપાએ મમ્મીને કહ્યું, ‘ફૂલ મૉમ, તમે નાહકની જ ફિકર કરો છો. બધુંય થઈ જશે.’ ‘હવે તું તો ચૂપ જ રહેજે.’ અનિતાબહેને દીકરી સ્વરૂપાને ધમકાવતાં કહ્યું, ‘એક તો જાતે છોકરો પસંદ કરી લીધો અને પાછું..’ એટલામાં સ્વરૂપાનો ભાઈ બોલ્યો, ‘અરે મૉમ, તમે ખરેખર કારણ વગરની ચિંતા કરો છો. અત્યારે તો મોબાઇલ પર એક ક્લીક કરીએ અને મનગમતો નાસ્તો હાજર.’‘પણ આમ વેવાઈને થોડો હોટલોનો નાસ્તો કરાવાય? જમવાનું બહારથી મગાવીએ એ ઠીક છે, પણ નાસ્તો તો ઘરનો જ હોય ને? અને આમ વહેલી સવારે કોણ નાસ્તા લઈને તમારી માટે બેઠું હશે!’ અનિતાબહેનની આટલી બધી કચકચ સાંભળી, અંતે સ્વરૂપાએ કહ્યું, ‘મૉમ, આપણી બાજુની જ સોસાયટીમાં રમા આન્ટી છે, જે ઘરે તમામ પ્રકારના નાસ્તા બનાવે છે. બસ, આપણે ઑર્ડર કરીએ એટલે તૈયાર.’ ‘પણ વહેલી સવારે આમ થોડા નાસ્તા બનાવી આપે?’
‘અરે મૉમ, અડધી રાત્રે પણ ગરમાગરમ નાસ્તો બનાવે છે આન્ટી. મારી મિત્ર બંસરી તે જ સોસાયટીમાં રહે છે, તેણે જ મને કહ્યું હતું અને તારે જે પણ નાસ્તો બનાવવો હશે તે બધો જ બનાવી આપશે અને ઘરે આવીને આપી પણ જશે, ગરમાગરમ તારા સમયે.’
This story is from the January 28, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 28, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લાફ્ટર વાઇરસ
લેખક જ્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે...!!
બિજ-થિંગ
યુગપરિવર્તક ચિત્રકારના જીવનરંગો : રાજા રવિ વર્માનું જીવનચરિત્ર
કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં
કચ્છમાં જૈન સમાજમાં પહેલાંથી જ શિક્ષણનું મહત્ત્વ હતું.જૈન સમાજની બાલિકા અને બાળકોને ધર્મના સંસ્કાર મળે, તેનું પાયાથી જ્ઞાન મળે, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રહે, સંસ્કૃત, હિન્દી, ગણિત જેવા વિષયો શીખવા મળે તેવા હેતુસર માંડવી તાલુકાના મેરાઉ અને નાગલપર ગામોમાં ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના ૧૯૬૧માં કરાઈ હતી, પરંતુ સમયની સાથે કચ્છમાં જૈન વસતિ અને વિદ્યાપીઠોનો લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. તેથી આજે આ બંને વિદ્યાપીઠ બંધ કરવી પડી છે. જોકે ભવિષ્યમાં કન્યાઓ માટે અહીં ફરી વખત ધાર્મિક, સાંસ્કૃતિક અને હાલના સમયમાં ઉપયોગી એવું શિક્ષણ આપતી વિદ્યાપીઠ શરૂ કરવાની યોજના ટ્રસ્ટીઓની છે.
પ્રવાસન
જટાગંગા, જંગલ અને જાગેશ્વરના પ્રાચીન મંદિર સમૂહો
અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો
અહીં મહિલા કામદારો મૅનેજમૅન્ટ, ફર્નેસ ઓપરેટર, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સિક્યૉરિટી માર્શલ્સ, પ્રોજેક્ટ ઑપરેશન્સ, કોન્ટ્રાક્ટ પ્રોક્યોરમૅન્ટ, લોજિસ્ટિક્સ વિભાગ જેવા વિવિધ ક્ષેત્રે કામ કરે છે. એટલે કે માત્ર ઑફિસ વર્ક જ નહીં, મહિલા કામદારો એ બધાં જ કામ કરે છે જે કંપનીના પુરુષ કામદારો કરે છે. વાત એક સ્ટીલ કંપનીનાં મહિલા કર્મચારીઓની.
કવર સ્ટોરી
શું ચૂંટણી દરમિયાન જ એવું કંઈક કરી શકાય કે જેથી પોતાને માફક આવે એવી સરકારને ફાયદો મળે?
ચર્નિંગ ઘાટ
એઆઈ ખરેખર આવી જશે ત્યારે?
એનાલિસિસ
લોકશાહી પર કેન્દ્રિત કોંગ્રેસનો અભ્યાસપૂર્વકનો અસાધારણ મેનિફેસ્ટો
રાજકાજ
અરવિંદ કેજરીવાલની ધરપકડ કાનૂની રીતે યોગ્ય
રાજકાજ
રૂપાલા વિરોધી ઝુંબેશનો અંત કેવો હશે?