લોકશાહીમાં નાગરિકો મતદાર તરીકે જનપ્રતિનિધિને ચૂંટે છે અને તેને ચૂંટતા પહેલાં જ પોતાની શી અપેક્ષાઓ છે, તે તેને જણાવે છે. સામે પક્ષે જનપ્રતિનિધિ બનવા માંગતા ઉમેદવારે ખાતરી આપવી પડે છે કે તે મતદારોની અપેક્ષા પૂરી કરશે. આપણે ત્યાં રાજકીય પક્ષો વતી ઉમેદવારો મેદાનમાં ઝૂકાવે છે એટલે સૌ ઉમેદવારો વતી રાજકીય પક્ષ અને મતદારો વચ્ચે એક વણલિખિત પરંતુ વિશ્વાસપૂર્વકનો કરાર ચૂંટણી પહેલાં થાય છે. જેમાં જનતાની અપેક્ષાઓ અને રાજકીય પક્ષની ખાતરીનું સંકલિત પ્રતિબિંબ રજૂ થતું હોય. આ કરાર એટલે મૅનિફેસ્ટો. એક એવો દસ્તાવેજ, જેનો કાયદાકીય આધાર નથી, પરંતુ નૈતિકતાનું બંધન છે. કોઈ આને મૅનિફેસ્ટો કહે, કોઈ સંકલ્પપત્ર કહે, કોઈ તેને ગૅરંટીકાર્ડ રૂપમાં રજૂ કરે, પણ અસલમાં આ મતદારોનો વિશ્વાસ જીતવા માટેની કવાયત છે, જે ચૂંટણી બાદ રાજકીય પક્ષો માટે શાસન ચલાવવા માટે દીવાદાંડી સમાન દસ્તાવેજ હોવાથી તેનું અત્યંત મહત્ત્વ છે. એ વાત અલગ છે કે મૅનિફેસ્ટોમાં અપાયેલાં વચનોને કોઈ લાભ તરીકે ગણાવે, કોઈ રાહત કહીને સંબોધે તો કોઈ રેવડી તરીકે ટીકા કરે, સૌ પોતપોતાની સગવડતા મુજબ વ્યાખ્યા કરે, પરંતુ જે અપાય છે તે આખરે તો પ્રજાના ખિસ્સામાંથી સેરવેલી રકમમાંથી થોડી ઘણી પરત કરવાની જ ચેષ્ટા છે. આમ છતાં આ ‘ખાતરી’ આપવાની પરંપરા મહત્ત્વપૂર્ણ છે અને જ્યાં સુધી આપણી લોકશાહીમાં જનતાજનાર્દનને દર પાંચ વર્ષે હિસાબ આપવા જવું પડે છે ત્યાં સુધી થોડી ઘણી લોકલાજ જળવાય છે તે જરૂર માનવું પડે, પરંતુ છેલ્લી ઘડીએ જે રીતે મૅનિફેસ્ટો જાહેર કરાતા હોય ત્યારે મતદારોને તેના પર પૂરતો વિચાર કરીને, જુદા-જુદા પક્ષોના મૅનિફેસ્ટોનાં લેખાંજોખાં અને પોતાના અધિકાર અને લાભાલાભની ગણતરી કરવાનો કેટલો અવકાશ રહેતો હશે તે મોટો પ્રશ્ન છે. નિયમિતરૂપે આવો વિલંબ થતો હોય ત્યારે મૅનિફેસ્ટો પ્રત્યેની રાજકીય પક્ષોની નિષ્ઠા અને ગંભીરતા વિષે ચોક્કસ શંકા ઊપજે કે શું આ માત્ર ચૂંટણી સમયે કરવામાં આવતો કર્મકાંડ છે? ખેર, આ પ્રથા-પરંપરા ચાલુ જ છે ત્યારે ત્રણેય મુખ્ય પક્ષો મતદારોની અપેક્ષા સામે શી ખાતરી આપી રહ્યા છે તેના પર નજર નાખવી જોઈએ.
કોંગ્રેસ બનાવશે ‘શ્રેષ્ઠ ગુજરાત - ખુશહાલ ગુજરાત'
This story is from the December 10, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 10, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન
વાયરલ પેજ
અસ્તિત્વના સંઘર્ષનો કોયડોઃ થ્રી બૉડી પ્રોબ્લેમ
ચર્નિંગ ઘાટ
દવાની વિદેશી કંપનીઓનાં કારનામાં
રાજકાજ
રોહન ગુપ્તાને ભાજપમાં મોટી ભૂમિકા મળવાની શક્યતા
રાજકાજ
ભાજપનો સંકલ્પ પત્ર; દૂરનાં લક્ષ્યો, નજીકનો એજન્ડા
પંચામૃત
ઈશ્વર હોય તો તે જરૂર માણસના હૃદયમાં જ છે!
બિંજ-થિંગ
નિતાંત તરસની વેધક કથાઃ The Goat Life
વિઝા વિમર્શ
ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ