રાવજી પટેલની અતીતઝંખના નવી નજરે
ABHIYAAN|December 03, 2022
રાવજી પટેલના સર્જન અને જીવન પર નજર કરીએ તો સમજાય છે કે તે સતત પીડા આપતા ‘બેબિલોન’ અને છૂટી ગયેલા તથા પ્રાપ્ત કરવા ઝંખતા ‘જેરુસલેમ’ વચ્ચે પીલાતા રહેતા સર્જક હતા
સ્પર્શ હાર્દિક
રાવજી પટેલની અતીતઝંખના નવી નજરે

દરેક પાસે કાળની પેટીમાં બંધ એવું કંઈક જરૂર હશે જે છૂટવા મથો તો પણ ના છૂટે. એ વ્હાલું બાળપણ પણ હોય અને ઉછેર થયો હોય એ પરિસર, ગામ, શેરી, મહોલ્લો કે શહેર હોય, એ કોઈના સહવાસ કે હાજરીમાં જન્મેલી લાગણી પણ હોય અને આ અતીતરાગનો આલાપ કે અતીતઝંખનાની જ્વાળા કોઈ એક માણસ પૂરતી મર્યાદિત નથી હોતી. કોઈ કિસ્સામાં એ આખા સમુદાયની સહિયારી બની જતી હોય છે. બાઇબલમાં ગીતશાસ્ત્રના ૧૩૭મા પ્રકરણનાં વચનો છે - ‘અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા; જેરુસલેમનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા. એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી. અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું; જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે, ‘ફક્ત તેમને ખુશ કરવા જેરુસલેમનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.’

બેબિલોન સાથેના યુદ્ધ પછી યહૂદીઓ માટે પવિત્ર સોલોમનનું મંદિર તોડી પડાયેલું અને તેઓને બંધક રખાયેલા. આ શબ્દો પ્રેરણારૂપ બન્યા ‘રિવર્સ વૉટર્સ ઑફ બેબિલોન’ ગીતના. જેમાં યહૂદી પ્રજાનો, ઈશ્વરે એમને જેનો વાયદો આપેલો એ પવિત્ર જેરુસલેમની ભૂમિથી વિખૂટા પડ્યાનો વિરહ વ્યક્ત થયો છે. યહૂદી પ્રજાએ પોતાનો સ્વતંત્ર દેશ ઇઝરાયલ મેળવવા માટે કરેલા સંઘર્ષનો ઇતિહાસ સદીઓ લાંબો છે. એ પ્રજાએ સદીઓ પોતાની મૂળ ભૂમિથી વિચ્છેદ સહ્યો છે. ગીત લખાયું ત્યાં સુધીમાં તો ઇઝરાયલ વિશ્વસ્તરે એક બળવાન રાષ્ટ્ર તરીકે ઊભરી ચૂક્યું હતું અને એણે એ પૂરતો પોતાના સ્થૂળ અર્થ ખોઈ નાખ્યો, પણ ગીતનો સૂક્ષ્મ અર્થ સદા પ્રસ્તુત રહેશે. મનુષ્ય બેબિલોન જેવા આ સંસારની ભૌતિક નદીના કિનારે વિરહના ગાન ગાતો, જેરુસલેમ જેવા ઈશ્વરના રાજ્યથી નોખા પડીને અહીં આવી ચડ્યો હોવાથી આંસુઓ સારતો બેઠો છે. આ માણસ મીરાં, કબીર કે નરસિંહ, કોઈ પણ હોઈ શકે જેને ઈશ્વરથી છૂટા પડ્યાનો કે હોવાનો ભાવ કોરી ખાતો હોય અને એની વેદના સર્જન બનીને વહેતી હોય.

This story is from the December 03, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the December 03, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

લેખક જ્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે...!!

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુગપરિવર્તક ચિત્રકારના જીવનરંગો : રાજા રવિ વર્માનું જીવનચરિત્ર

time-read
6 mins  |
Abhiyaan Magazine 20/04/2024
કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં
ABHIYAAN

કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં

કચ્છમાં જૈન સમાજમાં પહેલાંથી જ શિક્ષણનું મહત્ત્વ હતું.જૈન સમાજની બાલિકા અને બાળકોને ધર્મના સંસ્કાર મળે, તેનું પાયાથી જ્ઞાન મળે, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રહે, સંસ્કૃત, હિન્દી, ગણિત જેવા વિષયો શીખવા મળે તેવા હેતુસર માંડવી તાલુકાના મેરાઉ અને નાગલપર ગામોમાં ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના ૧૯૬૧માં કરાઈ હતી, પરંતુ સમયની સાથે કચ્છમાં જૈન વસતિ અને વિદ્યાપીઠોનો લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. તેથી આજે આ બંને વિદ્યાપીઠ બંધ કરવી પડી છે. જોકે ભવિષ્યમાં કન્યાઓ માટે અહીં ફરી વખત ધાર્મિક, સાંસ્કૃતિક અને હાલના સમયમાં ઉપયોગી એવું શિક્ષણ આપતી વિદ્યાપીઠ શરૂ કરવાની યોજના ટ્રસ્ટીઓની છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જટાગંગા, જંગલ અને જાગેશ્વરના પ્રાચીન મંદિર સમૂહો

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો
ABHIYAAN

અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો

અહીં મહિલા કામદારો મૅનેજમૅન્ટ, ફર્નેસ ઓપરેટર, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સિક્યૉરિટી માર્શલ્સ, પ્રોજેક્ટ ઑપરેશન્સ, કોન્ટ્રાક્ટ પ્રોક્યોરમૅન્ટ, લોજિસ્ટિક્સ વિભાગ જેવા વિવિધ ક્ષેત્રે કામ કરે છે. એટલે કે માત્ર ઑફિસ વર્ક જ નહીં, મહિલા કામદારો એ બધાં જ કામ કરે છે જે કંપનીના પુરુષ કામદારો કરે છે. વાત એક સ્ટીલ કંપનીનાં મહિલા કર્મચારીઓની.

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શું ચૂંટણી દરમિયાન જ એવું કંઈક કરી શકાય કે જેથી પોતાને માફક આવે એવી સરકારને ફાયદો મળે?

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

એઆઈ ખરેખર આવી જશે ત્યારે?

time-read
7 mins  |
Abhiyaan Magazine 20/04/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

લોકશાહી પર કેન્દ્રિત કોંગ્રેસનો અભ્યાસપૂર્વકનો અસાધારણ મેનિફેસ્ટો

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

અરવિંદ કેજરીવાલની ધરપકડ કાનૂની રીતે યોગ્ય

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

રૂપાલા વિરોધી ઝુંબેશનો અંત કેવો હશે?

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024