સુગંધ દ્વારા ખોવાયેલા સમયની તલાશ
ABHIYAAN|November 26, 2022
માર્સલ પૃસ્ટની નવલકથાનો સૌથી પ્રસિદ્ધ અંશ એ છે, જ્યારે નાયક મેડેલિન નામક નાનકડી કેકનો સ્વાદ માણતી વખતે એકાએક એ ક્ષણોમાં ખેંચાઈ જાય છે
સ્પર્શ હાર્દિક
સુગંધ દ્વારા ખોવાયેલા સમયની તલાશ

સૌને જીવનના કોઈ ને કોઈ તબક્કે એ પ્રશ્ન થયો જ હશે કે જીવવા પાછળનો હેતુ શું? આ બધી પળોજણ અને હાડમારી વેઠીને શ્વાસ લેતાં અને છોડતાં રહેવાની ક્રિયા પાછળનું કારણ શું? આ પ્રશ્ન એટલો જ સંસારી માણસને સતાવે છે જેટલો સંન્યાસીને, પરંતુ અંતે માણસ ઉત્તર મેળવ્યા વગર જ ચાલ્યો જાય છે, પાછળ યાદોનો એક ઢગલો મૂકીને. દોઢ સદી પહેલાં જન્મેલા ફ્રેન્ચ લેખક માર્સલ પૃ પૃસ્ટ એક મહાનવલકથા વડે પોતાની અંગત સ્મૃતિના ઢગલાને શબ્દોમાં બાંધવાનો પ્રયાસ કરે છે, જેના ફ્રેન્ચ નામનો અર્થ થાય છે, ‘ખોવાયેલા સમયની તલાશમાં’, જેનો બીજો અનુવાદ આ રીતે કરાયો છે, ‘અતીતની વાતોનું સ્મરણ.’

સંસારની સૌથી લાંબી નવલકથાઓમાં સ્થાન મેળવતું, સામાન્ય કદના પુસ્તકના આશરે ૪૨૦૦ પન્નાં રોકી લેતું આ મહાસર્જન સાત ખંડમાં ફેલાયેલું છે. લગભગ સાડા બાર લાખ શબ્દોની આ ગાથા છે માર્સલ પૃસ્ટના અતીતને સંકલિત કરવાના પ્રયાસની, પોતાની હયાતીને, પોતાની ઓળખને એક કળાકૃતિમાં બંધ કરી સદીઓ સુધી જીવિત રાખવાના સંઘર્ષની. માર્સલ પૃસ્ટ એમની કળાને નવલકથાના સર્જન દ્વારા અમર રહેવાના માર્ગ તરીકે ઉપયોગમાં લે છે. કદાચ જીવનનો અડધો અર્થ જાણે એને ઘડવું, એના કપરા ઉતારચડાવ ધરાવતા માર્ગ પરથી પસાર થવું, અને અડધો અર્થ એ અનુભૂતિ અને અનુભવોને સ્મરણમાં સાચવી રાખવા અને સમયાંતરે એનું સંસ્મરણ કરવા મથતાં રહેવું એવો થતો હશે, કારણ કે સ્મૃતિ, સ્મરણ કે યાદ આપણા પૃ થ્વીલોક પરના, સમાજ વચ્ચે રહેતાં એક અલાયદા માણસ હોવાના અર્થને સમજવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. માણસ પાસેથી એની સ્મૃતિ છીનવી લેવામાં આવે અથવા એ સંસ્મરણ કરવાની શક્તિ ગુમાવી બેસે તો એ સંસાર કે સમાજમાં પોતાની ભૂમિકા અને સતત રીતે ગ્રહણ કરેલી સમજણથી પ્રાપ્ત કરેલ જીવનનો મર્મ ખોઈ બેસે. અલ્ઝાઇમરના પીડિતોની સ્થિતિ વિશે જેણે વાંચ્યું, સાંભળ્યું કે જોયું હશે, તેઓને એમના સ્મૃતિભ્રંશની પીડાનો, પોતે ક્યાં, કોની વચ્ચે અને કેવી રીતે આવી ચડ્યા એની અકળાવનારી વેદનાનો ઓછોવત્તો ખ્યાલ હશે જ.

This story is from the November 26, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the November 26, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

લેખક જ્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે...!!

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુગપરિવર્તક ચિત્રકારના જીવનરંગો : રાજા રવિ વર્માનું જીવનચરિત્ર

time-read
6 mins  |
Abhiyaan Magazine 20/04/2024
કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં
ABHIYAAN

કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં

કચ્છમાં જૈન સમાજમાં પહેલાંથી જ શિક્ષણનું મહત્ત્વ હતું.જૈન સમાજની બાલિકા અને બાળકોને ધર્મના સંસ્કાર મળે, તેનું પાયાથી જ્ઞાન મળે, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રહે, સંસ્કૃત, હિન્દી, ગણિત જેવા વિષયો શીખવા મળે તેવા હેતુસર માંડવી તાલુકાના મેરાઉ અને નાગલપર ગામોમાં ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના ૧૯૬૧માં કરાઈ હતી, પરંતુ સમયની સાથે કચ્છમાં જૈન વસતિ અને વિદ્યાપીઠોનો લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. તેથી આજે આ બંને વિદ્યાપીઠ બંધ કરવી પડી છે. જોકે ભવિષ્યમાં કન્યાઓ માટે અહીં ફરી વખત ધાર્મિક, સાંસ્કૃતિક અને હાલના સમયમાં ઉપયોગી એવું શિક્ષણ આપતી વિદ્યાપીઠ શરૂ કરવાની યોજના ટ્રસ્ટીઓની છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જટાગંગા, જંગલ અને જાગેશ્વરના પ્રાચીન મંદિર સમૂહો

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો
ABHIYAAN

અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો

અહીં મહિલા કામદારો મૅનેજમૅન્ટ, ફર્નેસ ઓપરેટર, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સિક્યૉરિટી માર્શલ્સ, પ્રોજેક્ટ ઑપરેશન્સ, કોન્ટ્રાક્ટ પ્રોક્યોરમૅન્ટ, લોજિસ્ટિક્સ વિભાગ જેવા વિવિધ ક્ષેત્રે કામ કરે છે. એટલે કે માત્ર ઑફિસ વર્ક જ નહીં, મહિલા કામદારો એ બધાં જ કામ કરે છે જે કંપનીના પુરુષ કામદારો કરે છે. વાત એક સ્ટીલ કંપનીનાં મહિલા કર્મચારીઓની.

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શું ચૂંટણી દરમિયાન જ એવું કંઈક કરી શકાય કે જેથી પોતાને માફક આવે એવી સરકારને ફાયદો મળે?

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

એઆઈ ખરેખર આવી જશે ત્યારે?

time-read
7 mins  |
Abhiyaan Magazine 20/04/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

લોકશાહી પર કેન્દ્રિત કોંગ્રેસનો અભ્યાસપૂર્વકનો અસાધારણ મેનિફેસ્ટો

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

અરવિંદ કેજરીવાલની ધરપકડ કાનૂની રીતે યોગ્ય

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

રૂપાલા વિરોધી ઝુંબેશનો અંત કેવો હશે?

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024