‘અરે, ખ્યાતિ કેમ આમ ઉતાવળમાં છે?’ પાખીએ પૂછ્યું.
‘કંઈ નહીં બસ, આ જરા હળદર લાવી હતી તે પીસાવવા જવાનું છે તેની વેતરણમાં છું.’ તેમ કહેતાં ખ્યાતિએ પાખીના હાથમાં ચાનો કપ પકડાવ્યો.
‘તું તૈયાર મસાલા લઈ લેતી હોય તો, હું તો એમ જ કરું છું. હવે નોકરી, પરિવાર, બાળકોની સ્કૂલ આ બધાંની વચ્ચે વળી મસાલા પીસાવા જવાનો સમય જ ક્યાં મળે?’ તરત જ પાખી બોલી. ‘તારી વાત સાચી છે પાખી, પણ મને તો જાતે ઊભા રહીને પીસાયેલા મસાલા જ ફાવે. હું તો હળદર, મરચાં, ધાણા બધું આખું જ લાવું છું અને પછી તેને જાતે જ પીસાવું છું. મને તો ભઈ, મારા રસોડામાં રેડીમેડ મસાલા ના ફાવે, તેમાં વળી પીસાયેલા મસાલા જેવી મજા ક્યાં. હું એમ નથી કહેતી કે પીસાયેલા મસાલા સારા નથી હોતા, પરંતુ હું તો ગમે તેમ કરીને સમય કાઢીને પણ બાર મહિનાના મસાલા જાતે જ પીસાવીને ભરું છું, તો જ મને રસોઈમાં સ્વાદ અને હા, મજા પણ આવે.’
આ વાર્તાલાપ બે સખીઓનો છે, બંને નોકરી કરે છે. પરંતુ ખ્યાતિ રસોઈમાં ઉપયોગમાં લેવાતા તમામ મસાલા જાતે જ તૈયાર કરાવે છે, જ્યારે પાખીને રેડીમેડ મસાલાના પેકેટ ફાવી ગયાં છે. અહીં વાત કયા મસાલા સારા તેની નથી, પણ વાત છે રસોઈના સ્વાદ અને સુગંધની. જી હા, મહિલાઓ માટે રસોડામાં વપરાતા રોજિંદા મસાલાનું ખૂબ મહત્ત્વ રહેલું છે અને કેમ ના હોય! મસાલા માત્ર સ્વાદ પૂરતા જ નહીં, પરંતુ આરોગ્યવર્ધક પણ હોય છે.
બારેમાસ ભરાતા અને રસોડામાં રોજબરોજ વાપરવામાં આવતા મસાલાઓ આપણને સ્વાદનો અનુભવ કરાવવાની સાથે સાથે આપણા શરીરને પણ સ્વસ્થ્ય રાખે છે. જુદા-જુદા મસાલાઓમાં જુદા-જુદા પ્રમાણમાં આરોગ્યવર્ધક લાભ રહેલા છે.
This story is from the November 26, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 26, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લાફ્ટર વાઇરસ
લેખક જ્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે...!!
બિજ-થિંગ
યુગપરિવર્તક ચિત્રકારના જીવનરંગો : રાજા રવિ વર્માનું જીવનચરિત્ર
કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં
કચ્છમાં જૈન સમાજમાં પહેલાંથી જ શિક્ષણનું મહત્ત્વ હતું.જૈન સમાજની બાલિકા અને બાળકોને ધર્મના સંસ્કાર મળે, તેનું પાયાથી જ્ઞાન મળે, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રહે, સંસ્કૃત, હિન્દી, ગણિત જેવા વિષયો શીખવા મળે તેવા હેતુસર માંડવી તાલુકાના મેરાઉ અને નાગલપર ગામોમાં ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના ૧૯૬૧માં કરાઈ હતી, પરંતુ સમયની સાથે કચ્છમાં જૈન વસતિ અને વિદ્યાપીઠોનો લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. તેથી આજે આ બંને વિદ્યાપીઠ બંધ કરવી પડી છે. જોકે ભવિષ્યમાં કન્યાઓ માટે અહીં ફરી વખત ધાર્મિક, સાંસ્કૃતિક અને હાલના સમયમાં ઉપયોગી એવું શિક્ષણ આપતી વિદ્યાપીઠ શરૂ કરવાની યોજના ટ્રસ્ટીઓની છે.
પ્રવાસન
જટાગંગા, જંગલ અને જાગેશ્વરના પ્રાચીન મંદિર સમૂહો
અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો
અહીં મહિલા કામદારો મૅનેજમૅન્ટ, ફર્નેસ ઓપરેટર, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સિક્યૉરિટી માર્શલ્સ, પ્રોજેક્ટ ઑપરેશન્સ, કોન્ટ્રાક્ટ પ્રોક્યોરમૅન્ટ, લોજિસ્ટિક્સ વિભાગ જેવા વિવિધ ક્ષેત્રે કામ કરે છે. એટલે કે માત્ર ઑફિસ વર્ક જ નહીં, મહિલા કામદારો એ બધાં જ કામ કરે છે જે કંપનીના પુરુષ કામદારો કરે છે. વાત એક સ્ટીલ કંપનીનાં મહિલા કર્મચારીઓની.
કવર સ્ટોરી
શું ચૂંટણી દરમિયાન જ એવું કંઈક કરી શકાય કે જેથી પોતાને માફક આવે એવી સરકારને ફાયદો મળે?
ચર્નિંગ ઘાટ
એઆઈ ખરેખર આવી જશે ત્યારે?
એનાલિસિસ
લોકશાહી પર કેન્દ્રિત કોંગ્રેસનો અભ્યાસપૂર્વકનો અસાધારણ મેનિફેસ્ટો
રાજકાજ
અરવિંદ કેજરીવાલની ધરપકડ કાનૂની રીતે યોગ્ય
રાજકાજ
રૂપાલા વિરોધી ઝુંબેશનો અંત કેવો હશે?