‘આજે ફરી શ્રેષ્ઠાએ મેરેજ મિટિંગ કૅન્સલ કરી, આ પ્રથમ વખત નથી બન્યું, અનેક વાર શ્રેષ્ઠા કોઈ ને કોઈ બહાના હેઠળ મેરેજ મિટિંગ કૅન્સલ કરાવે છે. ત્રીસ વર્ષની અને સી.એ.ના ઉચ્ચ હોદા પર જોબ કરતી શ્રેષ્ઠા, માતા-પિતાની એકની એક લાડકી દીકરી છે. નોકર-ચાકર, ગાડી બંગલા એમ કહી શકાય કે દરેક પ્રકારની જાહોજલાલીમાં રહેતી શ્રેષ્ઠા આત્મનિર્ભર યુવતી છે. ઉંમર ધીમેધીમે વધી રહી છે માટે માતા-પિતાને તેનાં લગ્નની ચિંતા કોરી ખાય છે. કરોડોની પ્રોપર્ટી હોવા છતાં કોઈ તો એવું હોવું જોઈએ જે તેને જીવન પર્યંત સાથ આપે. શ્રેષ્ઠા માટે એક એકથી ચઢિયાતા યુવકોના માંગા આવે છે. તેને પસંદ આવ્યા હોય તેવા મુરતિયાઓનું લિસ્ટ પણ ઘણું લાંબું છે, પરંતુ બધું બરાબર થાય ત્યારે અંતે કોઈ ને કોઈ કારણ શોધી તે લગ્ન માટે ના જ કહી દે છે. હવે તેની આ આદતથી માતા-પિતા પણ કંટાળી ગયા છે. દીકરીને ખૂબ સમજાવી પણ તે કશું કહેવા જ તૈયાર નથી. છેવટે માતા અરુણાબહેને ડૉક્ટરની સલાહ લેવાનું વિચાર્યું.
શ્રેષ્ઠાના કાઉન્સેલિંગમાં ચોંકાવનારી વાત સામે આવી. હકીકતમાં શ્રેષ્ઠા કમિટમૅન્ટ ફોબિયાથી પીડાઈ રહી હતી. માટે તે યેનકેન પ્રકારે લગ્ન માટે આવતા પ્રસ્તાવો ઠુકરાવી દેતી. શ્રેષ્ઠાને લગ્ન તો કરવા હતાં, યુવકો પણ પસંદ આવતા, પરંતુ તેને એવો ડર હતો કે મારી પહેલાંની જીવનશૈલી જળવાઈ નહીં રહે તો, આર્થિક બાબતનો તો કોઈ ભય નહોતો, પરંતુ તેને ફોબિયા હતો માતાપિતાની પ્રેમાળ હૂંફ ગુમાવવાનો. એક બાજુ તે માતાપિતાની ઇમોશનલ સેફ્ટી છોડવા નહોતી ઇચ્છતી અને બીજી બાજુ લગ્ન પણ કરવા હતાં. આ બંને બાબતોના સંઘર્ષમાં પીડાતી શ્રેષ્ઠાને ખ્યાલ જ નહોતો કે તે કમિટમૅન્ટ ફોબિયાની બીમારીનો શિકાર છે.
જી હા, જાણીને બિલકુલ નવાઈ લાગશે પરંતુ આજકાલ કમિટમૅન્ટ ફોબિયાથી અનેક લોકો પીડાઈ રહ્યા છે. આ ફોબિયા વ્યક્તિના જીવનના કોઈ પણ ભાગને અસર કરી શકે છે, પરંતુ ખાસ કરીને તેની અસર લાંબા ગાળાના સંબંધ નિભાવવાની વાત પર વધુ થાય છે. અત્યાર સુધી આ ફોબિયા સંબંધિત કેસ પશ્ચિમી દેશોમાં વધુ સામે આવતા હતા, પરંતુ હવે આપણે ત્યાં પણ તેની અસર દેખાવા લાગી છે. લિવ-ઇન રિલેશનશિપમાં વધારો અને લગ્ન સંસ્કારમાં યુવાનોની ઘટતી જતી રુચિનું એક કારણ કમિટમૅન્ટ ફોબિયા છે. આ ફોબિયાના પ્રભાવમાં આવવાથી વ્યક્તિના અંગત જીવનની સાથે-સાથે પ્રોફેશનલ લાઇફમાં પણ ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
This story is from the October 01, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 01, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લાફ્ટર વાઇરસ
લેખક જ્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે...!!
બિજ-થિંગ
યુગપરિવર્તક ચિત્રકારના જીવનરંગો : રાજા રવિ વર્માનું જીવનચરિત્ર
કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં
કચ્છમાં જૈન સમાજમાં પહેલાંથી જ શિક્ષણનું મહત્ત્વ હતું.જૈન સમાજની બાલિકા અને બાળકોને ધર્મના સંસ્કાર મળે, તેનું પાયાથી જ્ઞાન મળે, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રહે, સંસ્કૃત, હિન્દી, ગણિત જેવા વિષયો શીખવા મળે તેવા હેતુસર માંડવી તાલુકાના મેરાઉ અને નાગલપર ગામોમાં ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના ૧૯૬૧માં કરાઈ હતી, પરંતુ સમયની સાથે કચ્છમાં જૈન વસતિ અને વિદ્યાપીઠોનો લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. તેથી આજે આ બંને વિદ્યાપીઠ બંધ કરવી પડી છે. જોકે ભવિષ્યમાં કન્યાઓ માટે અહીં ફરી વખત ધાર્મિક, સાંસ્કૃતિક અને હાલના સમયમાં ઉપયોગી એવું શિક્ષણ આપતી વિદ્યાપીઠ શરૂ કરવાની યોજના ટ્રસ્ટીઓની છે.
પ્રવાસન
જટાગંગા, જંગલ અને જાગેશ્વરના પ્રાચીન મંદિર સમૂહો
અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો
અહીં મહિલા કામદારો મૅનેજમૅન્ટ, ફર્નેસ ઓપરેટર, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સિક્યૉરિટી માર્શલ્સ, પ્રોજેક્ટ ઑપરેશન્સ, કોન્ટ્રાક્ટ પ્રોક્યોરમૅન્ટ, લોજિસ્ટિક્સ વિભાગ જેવા વિવિધ ક્ષેત્રે કામ કરે છે. એટલે કે માત્ર ઑફિસ વર્ક જ નહીં, મહિલા કામદારો એ બધાં જ કામ કરે છે જે કંપનીના પુરુષ કામદારો કરે છે. વાત એક સ્ટીલ કંપનીનાં મહિલા કર્મચારીઓની.
કવર સ્ટોરી
શું ચૂંટણી દરમિયાન જ એવું કંઈક કરી શકાય કે જેથી પોતાને માફક આવે એવી સરકારને ફાયદો મળે?
ચર્નિંગ ઘાટ
એઆઈ ખરેખર આવી જશે ત્યારે?
એનાલિસિસ
લોકશાહી પર કેન્દ્રિત કોંગ્રેસનો અભ્યાસપૂર્વકનો અસાધારણ મેનિફેસ્ટો
રાજકાજ
અરવિંદ કેજરીવાલની ધરપકડ કાનૂની રીતે યોગ્ય
રાજકાજ
રૂપાલા વિરોધી ઝુંબેશનો અંત કેવો હશે?