ગ્રંથોના ગાંધીની વિદાય...
ABHIYAAN|August 20, 2022
ગુજરાતી સાહિત્યમાં કશું પોતે લખ્યું ન હોય, આખી જિંદગી શ્રેષ્ઠ સાહિત્યના પ્રચાર-પ્રસાર પાછળ ખર્ચી નાખી હોય અને છતાંય એક ઉત્તમ સાહિત્યકાર કે લેખક તરીકે જ જેમને લોકો સન્માન આપે છે એવા મહેન્દ્રભાઈ મેઘાણીએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ત્યારે સાહિત્યના પ્રચાર-પ્રસાર અને એક આખી પેઢીના જીવનઘડતરમાં પોતાની પ્રવૃત્તિઓ થકી અમૂલ્ય ફાળો આપનાર એ ભેખધારીને નમન કરીએ.
આર્જવ પારેખ
ગ્રંથોના ગાંધીની વિદાય...

વારંવાર જેમની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર તરીકે ઓળખ અપાય છે એ મહેન્દ્ર મેઘાણીએ જિંદગીની એક એક પળ સાહિત્ય માટે સમર્પિત કરી સો વર્ષની ઉંમરે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. ઝવેરચંદ મેઘાણી જેવા પ્રભાવશાળી વ્યક્તિત્વના ઘરે જન્મ થવો એ કદાચ મહેન્દ્રભાઈ માટે ફળદાયી હોઈ શકે, પરંતુ એ જ વટવૃક્ષને સમાંતર બીજું વટવૃક્ષ આપબળે ઉગાડવું અને અનેક લોકોનું જીવનઘડતર કરવું એ આપણે ધારી ન શકીએ એવું કપરું કામ છે. પણ, મહેન્દ્રભાઈએ સાહિત્યની દુનિયામાં જ એક અલગ કેડી કંડારી અને સાહિત્યકાર ન હોવા છતાં ઘરે-ઘરે એમનું નામ જાણીતું થયું.

૧૯૨૩માં મુંબઈમાં જન્મ અને પછી ત્યાં જ એમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાં પણ બે વર્ષ ભણ્યા. સ્વભાવે જ મહેન્દ્રભાઈ ક્રાંતિકારી, એટલે હિન્દ છોડો આંદોલનમાં પણ ભાગ લીધો હતો. ૧૯૪૮માં તેઓ અમેરિકા ગયા અને કોલમ્બિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વ, માસ કમ્યુનિકેશન અને રેડિયોનો એક કોર્સ કર્યો. ડિસેમ્બર ૧૯૪૯માં તેઓ ભારત પાછા આવ્યા અને તે પછી તેમની સાહિત્ય સાથેની એક અવિસ્મરણીય સફર શરૂ થઈ જેણે માત્ર ગુજરાત જ નહીં, દેશ-વિદેશમાં સાહિત્યને ધબકતું કર્યું.

૨૬ જુલાઈ, ૧૯૫૦ના રોજ તેમણે મુંબઈમાં ‘લોકમિલાપ’ના કાર્યાલયની સ્થાપના કરી અને ‘મિલાપ’ માસિકનું પ્રકાશન શરૂ કર્યું જે ખૂબ લોકપ્રિય બન્યું હતું. ઉત્તમ લેખકો અને સાહિત્યકારો પોતાનો લેખ ‘મિલાપ'માં આવે એ માટે ગર્વ અનુભવતા. આ માસિકની યાત્રા છેક ૧૯૭૮ સુધી ચાલી હતી. ૧૯૫૩માં તેઓ મુંબઈની ભીડભાડથી કંટાળીને ભાવનગર આવ્યા અને ‘લોકમિલાપ’નું પહેલું સ્વતંત્ર કાર્યાલય શરૂ કર્યું અને ભાવનગરને પોતાની કર્મભૂમિ બનાવી. ત્યારથી ભાવનગર મહેન્દ્રભાઈ મેઘાણીની સાહિત્યિક અને લોકોપયોગી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું.

この記事は ABHIYAAN の August 20, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の August 20, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

time-read
3 分  |
Abhiyaan Magazine 08/06/2024
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
ABHIYAAN

Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?

કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે

time-read
1 min  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન ગાર્ડનિંગ

હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?

time-read
2 分  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન

time-read
2 分  |
Abhiyaan Magazine 08/06/2024
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
ABHIYAAN

નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!

બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.

time-read
3 分  |
Abhiyaan Magazine 08/06/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!

time-read
5 分  |
Abhiyaan Magazine 08/06/2024
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
ABHIYAAN

કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ

મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.

time-read
5 分  |
Abhiyaan Magazine 08/06/2024
બિંજ-થિંગ,
ABHIYAAN

બિંજ-થિંગ,

કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ

time-read
5 分  |
Abhiyaan Magazine 08/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો

time-read
5 分  |
Abhiyaan Magazine 08/06/2024
અવસર
ABHIYAAN

અવસર

પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?

time-read
6 分  |
Abhiyaan Magazine 08/06/2024