ફિલ્મક્ષેત્ર સાથે સંકળાયેલા સાચાખોટા કિસ્સાઓની ભરમાર વચ્ચે આગવી ઇતિહાસલક્ષી શૈલી વડે સંશોધન કરનાર નલિન શાહનું અવસાન થયું. તેમની વિદાયથી સર્જાયેલો આ સ્થાનનો ખાલીપો ભાગ્યે જ ભરાશે!
૨૧ જુલાઈ, ૨૦૨૨ને ગુરુવારના રોજ મુંબઈ ખાતે ૮૭ વર્ષની જૈફ વયે જેમનું અવસાન થયું એ નલિન શાહ હિન્દી ફિલ્મસંગીતના એક ચોક્કસ સમયગાળાના અનન્ય કહી શકાય એવા ઇતિહાસકાર હતા. ફિલ્મસંગીત યા ફિલ્મ બાબતે અજાણી, અવનવી, સાચીખોટી વાતો લખનાર કે રજૂ કરનાર સહુ કોઈને ‘ઇતિહાસકાર’નું લેબલ લગાડવામાં આવે છે, પણ નલિન શાહે પોતાની આગવી કહી શકાય એવી સંશોધન પદ્ધતિ વિકસાવી હતી.
થાણે જિલ્લાના દહાણુ તાલુકાના નાનકડા ગામ ચીંચણીમાં ૧૯૩૪માં તેઓ જન્મેલા. નલિન શાહે હિન્દી ફિલ્મસંગીત વિશે ૧૯૭૧માં લખવાનું શરૂ કર્યું. તેઓ અંગ્રેજીમાં લખતા હોવાથી પ્રતિષ્ઠિત ફિલ્મ સામયિકો તેમ જ અખબારોમાં તેમના લેખ પ્રકાશિત થતા. ‘ફિલ્મફૅર’માં તેમણે વીસરાયેલા મહાન સંગીતકારો પરની શ્રેણી દ્વારા વિનોદ, ગુલામ હૈદર, હુસ્નલાલ ભગતરામ, જમાલ સેન, ખેમચંદ પ્રકાશ, એસ.એન. ત્રિપાઠી જેવા સંગીતકારોની કેટલીય ઓછી જાણીતી વાતો, અધિકૃત સ્રોત સાથેની વાતચીત થકી પ્રકાશમાં લાવ્યા. ખરું કહીએ તો આ ધુરંધર સંગીતકારોના અસલી પ્રદાનની નક્કર વાતો આ રીતે પહેલી વાર જ લખાઈ. ‘પ્લેબૅક એન્ડ ફાસ્ટ ફોરવર્ડ’ નામના મૅગેઝિનમાં પણ તેમની કૉલમ આવતી.
અંગ્રેજી ‘મિડ-ડે'માં એકાંતર શુક્રવારે આવતા આખા પાનાના તેમના લેખ ખૂબ લોકપ્રિય થયા. સામાન્ય વાચકો ઉપરાંત ફિલ્મક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક લોકો તેમનાં લખાણોના ચાહક બની રહેલા.
This story is from the August 13, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 13, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ
ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ
દેવ પટેલે કઈ રીતે હનુમાન ભગવાનની પ્રેરણા લઈને ‘મંકી મેન' ફિલ્મ બનાવી?
દેવ પટેલની ફિલ્મ ‘મંકી મૅન નો વિવાદ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યો. આ ફિલ્મ માટે દેવ પટેલને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે પોતે જ ફિલ્મના ઍક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે.
ફેમિલી ઝોન
ગાર્ડનિંગ સાથે જોડાયેલી માન્યતાઓઃ કેટલી સાચી, કેટલી ખોટી?
ફેમિલી ઝોન
ફૂટકોર્ન શું છે અને કેવી રીતે રાહત મેળવી શકાય?
ચૈત્રી નોરતાં એટલે આપણી ઊર્જા સાથેનાં મૈત્રી નોરતાં..
આપણામાં ઊર્જા તો હોય, પણ એ ઊર્જા નકારાત્મકરૂપે હોય તો? એ ઊર્જા અસંતોષ, ઈર્ષ્યા, લાલચ, વ્યગ્રતા જેવા રૂપમાં હોય તો? તો એ ઊર્જા આપણને ઊલટી ચાલ લઈ જાય છે. આપણી ઊર્જાને યોગ્ય માર્ગે વાળવાનું તપ આપણે કરવાનું હોય છે.
લાફ્ટર વાઇરસ
લેખક જ્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે...!!
બિજ-થિંગ
યુગપરિવર્તક ચિત્રકારના જીવનરંગો : રાજા રવિ વર્માનું જીવનચરિત્ર
કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં
કચ્છમાં જૈન સમાજમાં પહેલાંથી જ શિક્ષણનું મહત્ત્વ હતું.જૈન સમાજની બાલિકા અને બાળકોને ધર્મના સંસ્કાર મળે, તેનું પાયાથી જ્ઞાન મળે, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રહે, સંસ્કૃત, હિન્દી, ગણિત જેવા વિષયો શીખવા મળે તેવા હેતુસર માંડવી તાલુકાના મેરાઉ અને નાગલપર ગામોમાં ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના ૧૯૬૧માં કરાઈ હતી, પરંતુ સમયની સાથે કચ્છમાં જૈન વસતિ અને વિદ્યાપીઠોનો લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. તેથી આજે આ બંને વિદ્યાપીઠ બંધ કરવી પડી છે. જોકે ભવિષ્યમાં કન્યાઓ માટે અહીં ફરી વખત ધાર્મિક, સાંસ્કૃતિક અને હાલના સમયમાં ઉપયોગી એવું શિક્ષણ આપતી વિદ્યાપીઠ શરૂ કરવાની યોજના ટ્રસ્ટીઓની છે.
પ્રવાસન
જટાગંગા, જંગલ અને જાગેશ્વરના પ્રાચીન મંદિર સમૂહો
અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો
અહીં મહિલા કામદારો મૅનેજમૅન્ટ, ફર્નેસ ઓપરેટર, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સિક્યૉરિટી માર્શલ્સ, પ્રોજેક્ટ ઑપરેશન્સ, કોન્ટ્રાક્ટ પ્રોક્યોરમૅન્ટ, લોજિસ્ટિક્સ વિભાગ જેવા વિવિધ ક્ષેત્રે કામ કરે છે. એટલે કે માત્ર ઑફિસ વર્ક જ નહીં, મહિલા કામદારો એ બધાં જ કામ કરે છે જે કંપનીના પુરુષ કામદારો કરે છે. વાત એક સ્ટીલ કંપનીનાં મહિલા કર્મચારીઓની.