સૌરાષ્ટ્રના સત્યાગ્રહો રજવાડાંઓ સામે લલકાર
ABHIYAAN|August 06, 2022
બ્રિટિશ ઇન્ડિયામાં રાષ્ટ્રીય ચળવળ જોર પકડતી ત્યારે તેની પડોશમાં આવેલાં દેશી રાજ્યોમાં તેના પડઘા અચૂક પડતા. ભારતમાં કુલ ૫૬૨ દેશી રાજ્યો હતાં, એમાંથી ૨૨૨ તો એકલાં સૌરાષ્ટ્રમાં હતાં. એ દેશી રાજ્યોની રૈયતે સ્વાતંત્ર્ય આંદોલનમાં જે ફાળો આપ્યો, જે સત્યાગ્રહો કર્યા એ જાણવું રસપ્રદ બની રહે છે.
સૌરાષ્ટ્રના સત્યાગ્રહો રજવાડાંઓ સામે લલકાર

ઇમરાન દલ

રાજકોટમાં શાસકે લોકોને આપેલું વચન પાળ્યું ન હોવાથી માર્ચ, ૧૯૩૯માં ગાંધીજી ઉપવાસ ઉપર ઊતર્યા હતા એ સમયનું દ્રશ્ય.

ગાંધીજીના ભારત આગમન બાદ જે આંદોલનો થયાં એમાં સૌરાષ્ટ્રની ભાગીદારી થઈ, એ પહેલાંથી કેટલીક નોંધપાત્ર ઘટનાઓ બની હતી જેણે આ વિશાળ પંથકની પ્રજામાં આઝાદીના ખયાલનાં બીજ રોપ્યાં હતાં. જેમ કે ગાયકવાડ શાસને ઓખા મંડળ (દ્વારકા, ઓખા, બેટ વગેરે)માં વસતા વાઘેરોની જમીન છીનવી લેતાં ઈ.સ.૧૮૨૦થી વાઘેરોએ સંગ્રામ શરૂ કર્યો હતો. ૧૮૫૭નો વિપ્લવ થયો એ વખતે વિદ્રોહીઓ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવામાં સફળ થયા હોવાની ઓખા મંડળમાં અફવા ફ્લાઈ, જેને પગલે વાઘેરોનો જુસ્સો વધ્યો અને તેમણે ૧૮૫૮માં જોધા માણેક અને મૂળુ માણેકની આગેવાની નીચે ગાયકવાડ પાસેથી પોતાનો પ્રદેશ પાછો મેળવવવા સંગઠિત પ્રયાસો હાથ ધર્યા હતા. ગાયકવાડ શાસનને તેમણે હંફાવી દીધું હતું. છેક ૧૮૬૭ સુધી તેમનો સંઘર્ષ ચાલ્યો હતો. છેવટે મોટા ભાગની જમીનો તેમણે પરત મેળવી હતી.

જૂનાગઢ રાજ્યએ એના તાબા હેઠળના કેશોદ મહાલના મૈયા ગિરાસદારોને ચાકરિયાત ગણી તેમની પાસેથી જમીન મહેસૂલ તથા અન્ય વેરા લેવાનું ૧૮૭૭માં શરૂ કરતાં ભારે વિરોધ થયો. નારાજ થયેલા મૈયાઓ ૧૮૮૨ના ડિસેમ્બર માસમાં કનડા ડુંગર ઉપર જઈને રિસામણે બેઠા. એક માસ સુધી આ સત્યાગ્રહ ચાલ્યો. જૂનાગઢની સેનાએ ૨૫ જાન્યુઆરી, ૧૮૮૩ના રોજ તેમના ઉપર હુમલો કર્યો. જેમાં ૮૫ મૈયાઓ મૃત્યુ પામ્યાં હતાં. આ ઘટના મૈયાઓના હત્યાકાંડ' તરીખે ઓળખાઈ. આ રાક્ષસી કૃત્યથી જૂનાગઢ રાજ્યની આબરુંનું ધોવાણ થયું. હત્યાકાંડને પગલે સૌરાષ્ટ્રની અન્ય પ્રજામાં પણ પોતાનાં રાજ્યોના અત્યાચાર સામેનો આક્રોશ જન્મવા લાગ્યો હતો.

વીસમી સદીની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં ગોંડલ, રાજકોટ, ભાવનગરને બાદ કરતાં અન્ય દેશી રાજ્યો ઇજારાશાહી અને આપખુદ સત્તા ચલાવતા હતા. એમના અત્યાચારી કાનૂન નીચે પ્રજા ચગદાતી હતી. રાજાઓને બ્રિટિશ શાસનનો ટેકો હોવાથી પ્રજાની ફરિયાદો સાંભળનાર કોઈ નહોતું. લોકો ઉપર સતત વેરો વધારવામાં આવતો હતો. મન ફાવે એ રીતે શોષણ કરવાનો અધિકાર હોય એમ રાજાઓ વર્તતા હતા. કરવેરાના નાણાં તેઓ વેડફી નાખતા હતા. આ શોષણ સામે છેવટે જનઆંદોલન જાગ્યું હતું.

સરધાર શિકાર સત્યાગ્રહ

This story is from the August 06, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the August 06, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
ABHIYAAN

કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ

કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.

time-read
6 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વન્ય જીવન
ABHIYAAN

વન્ય જીવન

ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
શ્રદ્ધા
ABHIYAAN

શ્રદ્ધા

રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

અસ્તિત્વના સંઘર્ષનો કોયડોઃ થ્રી બૉડી પ્રોબ્લેમ

time-read
4 mins  |
Abhiyaan Magazine 27/04/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

દવાની વિદેશી કંપનીઓનાં કારનામાં

time-read
7 mins  |
Abhiyaan Magazine 27/04/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

રોહન ગુપ્તાને ભાજપમાં મોટી ભૂમિકા મળવાની શક્યતા

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ભાજપનો સંકલ્પ પત્ર; દૂરનાં લક્ષ્યો, નજીકનો એજન્ડા

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

ઈશ્વર હોય તો તે જરૂર માણસના હૃદયમાં જ છે!

time-read
3 mins  |
Abhiyaan Magazine 27/04/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

નિતાંત તરસની વેધક કથાઃ The Goat Life

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024