સ્પર્શ હાર્દિક
૧૯મી સદી દરમિયાન ભારતીય સાક્ષરો વિદેશી કથાસાહિત્યના સારા એવા સંપર્કમાં આવ્યા તથા પ્રિન્ટિંગ ટેક્નોલોજી પણ આપણા દેશમાં વધારે માત્રામાં ફેલાઈ, એના કારણે ભારતીય ભાષાઓમાં નવલકથાઓ લખાવાનું પ્રમાણ વધવા લાગ્યું હતું. ભારતીય સાહિત્યના અભ્યાસી, લેખક, અનુવાદક અને ભાષાશાસ્ત્રી શિશિરકુમાર દાસ લખે છે કે, શરૂઆતની ઘણી નવલકથાઓમાં વિદેશી સત્તા તળે બદલાઈ રહેલાં ભારતીય પાત્રો અને સમાજનું ચિત્રણ થતું હતું. પશ્ચિમના કેટલાક પ્રગતિવાદી વિચારો સામે ભારતીય વિચારોનો ટકરાવ પણ એમાં જોવા મળતો હતો, પરંતુ જેમ જેમ બ્રિટિશ સત્તાનું દમન વધતું ગયું અને ભારતીય મૂલ્યો, સંસ્કૃતિ અને વારસા પ્રત્યે આપણા સાક્ષરોની સમજ વધતી ગઈ, એમ રાષ્ટ્રવાદ અને પશ્ચિમીકરણ વચ્ચેનો સંઘર્ષ પણ વધતો ગયો.
આ પ્રક્રિયા સાથે જ, ક્રાંતિનો નાદ પણ ધીમે ધીમે કથાસાહિત્યમાં પડઘાવા લાગ્યો હતો. આઝાદીના સંગ્રામનો સૂર ઝીલતી, ભારતીય કથા સાહિત્યની એક મોટી ઘટના કહી શકાય એવી નવલકથા એટલે ‘આનંદ મઠ' (૧૮૮૨). બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ કથા ઈ.સ. ૧૭૭૦ના બંગાળના ભીષણ દુષ્કાળ અને સંન્યાસી વિદ્રોહની પૃષ્ઠભૂમિમાં લખેલી. આ કથાએ આવનારા દાયકામાં થનારા ક્રાંતિકારી સંઘર્ષની રૂપરેખા આપવામાં મહત્ત્વનો ભાગ ભજવેલો. એમાં સમાવિષ્ટ ‘વંદે માતરમ્' ગીત ત્યાર પછી ક્રાંતિકારીઓના હૈયે વસી ગયું હતું. ૧૯૦૫માં બંગાળના ભાગલા સમયે આ પ્રાંતની પ્રજાએ ‘વંદે માતરમ્’ ફરી યાદ કરીને અનેરો જુસ્સો મેળવ્યો હતો. ગીતના શબ્દોએ આગળ જતા ભારતીય ઉપખંડની ચેતનાને જગાડવાનું પણ કામ કર્યું હતું.
આ ગાળામાં રચાયેલા ભારતીય ભાષાઓનાં કાવ્યોમાં મુખ્યત્વે બે પ્રકારના સૂર સંભળાતા હતા. એક પ્રકારનો સૂર વિદેશી સત્તાની યાતનાને કારણે ભારતની દુર્દશા અને એના સમૃદ્ધ અતીતનો હતો અને બીજા પ્રકારનો સૂર વિદ્રોહનો, બંડ પોકારવાનો અને પ્રાણ ન્યોછાવર કરવાની હદ સુધી આઝાદીની લડાઈમાં ઝઝૂમ્યા કરવાનો હતો.
This story is from the August 06, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 06, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન
વાયરલ પેજ
અસ્તિત્વના સંઘર્ષનો કોયડોઃ થ્રી બૉડી પ્રોબ્લેમ
ચર્નિંગ ઘાટ
દવાની વિદેશી કંપનીઓનાં કારનામાં
રાજકાજ
રોહન ગુપ્તાને ભાજપમાં મોટી ભૂમિકા મળવાની શક્યતા
રાજકાજ
ભાજપનો સંકલ્પ પત્ર; દૂરનાં લક્ષ્યો, નજીકનો એજન્ડા
પંચામૃત
ઈશ્વર હોય તો તે જરૂર માણસના હૃદયમાં જ છે!
બિંજ-થિંગ
નિતાંત તરસની વેધક કથાઃ The Goat Life
વિઝા વિમર્શ
ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ