CATEGORIES
Categories

માળી તાલીમ યોજના
> અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અંતર્ગત બાગાયત વિભાગ દ્વારા આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં 'માળી તાલીમ યોજના' અમલી > યોજનાનો લાભ લેવા માટે 18 ઓગસ્ટ સુધી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે > શહેરોમાં બાગાયતનો વ્યાપ વધારવાનો તથા યુવાનોમાં કૌશલ્યવર્ધન થકી રોજગારીની તકો ઊભી કરવાનો યોજનાનો ઉદ્દેશ

કાકડીની આધુનિક પદ્ધતિથી ખેતી
> નેટહાઉસમાં કાકડીની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવતા બોટાદના ધરતીપુત્ર: બાગાયતી ખેતીથી ખર્ચ અને મજુરી બંને ઘટવાની સાથે સમયની પણ બચત થાય છે > કાકડીની આધુનિક પદ્ધતિથી ખેતી કરી વાર્ષિક રૂ.14 લાખથી પણ વધુની આવક રળતા બોટાદ જિલ્લાનાં પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ રાઠોડ > નેટહાઉસ તૈયાર કરવા સરકારશ્રી તરફથી રાજેશભાઇને મળી 65 ટકા સબસિડી > વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાથી થાય છે બમણો લાભ, ખીરા કાકડીનું વાવેતર કરવાથી માત્ર ત્રણ જ મહીનામાં વધુ આવક મેળવી શકાય છેઃ રાજેશભાઇ રાઠોડ

૧૧મી જુલાઇ વિશ્વ વસ્તી દિવસ
> વસ્તી નિયંત્રણ માટે વર્ષ 2030 સુધીના 2.1 ટકા પ્રજનન દર ના લક્ષ્યાંકની સામે ગુજરાતે વર્ષ 2020 માં જ 1.9 ટકાનો લક્ષ્યાંક હાંસલ કર્યો(NFHS-5 સર્વે) > રાજ્યમાં વર્ષ 2022-23માં 6.64 લાખ બહેનોએ કોપર ટી (IUCD-ઇન્ટ્રા યુટ્રાઇન કોન્ટ્રાસેપ્ટીવ ડિવાઇઝ) મૂકાવી > વર્ષ 2022-23 માં 3.08 લાખ મહિલાઓ અને 1,223 પુરુષોએ નસબંધીનું ઓપરેશન કરાવ્યું > રાજ્યમાં 27 જુનથી 10 જુલાઇ દરમિયાન દંપતિ સંપર્ક પખવાડિયુ ઉજવાયું - કુટુંબ નિયોજન જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા > 11 જુલાઇ થી 24 જુલાઇ જન સંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવાશે > પ્રસુતિ બાદ 48 કલાકમાં કોપર ટી સરકારી સંસ્થા કે માન્ય કુટુંબ કલ્યાણ કેન્દ્રમાં મૂકવામાં આવે છે

ચોમાહાની ખરી મઝા તો ડાંગમાં જ આવે
ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદઃ 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

સુરતની ખુબસુરતીમાં વધારો કરતુ ગોપીતળાવ
ઈ.સ.૧૫૧૦ની આસપાસ સુરતના તત્કાલીન સુબેદાર મલેક ગોપીએ ગોપી તળાવનું નિર્માણ કરાવ્યું હતું. એ સમયે રૂ.૮૫ હજારના ખર્ચે બનેલા અને ૫૮ એકરમાં ફેલાયેલ આ તળાવને સોળ બાજુઓ અને સોળ ખૂણાઓ હતાં. જેમાંથી ૧૩ બાજુએ તળિયા સુધી પહોંચી શકાય એવા પગથિયા વિનાનો ઢાળ હતો. ગોપીપુરા વિસ્તારમાં આવેલા આ ઐતિહાસિક મહત્વને બરકાર રાખવા સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ડિસેમ્બર માસમાં 'ગોપીકલા મહોત્સવ' યોજવામાં આવે છે.

અંગદાન મહાદાન
> આધુનિક સાવિત્રી: અંગદાન થકી પતિના અંગોને નવજીવન બક્ષતાં હિનાબહેન > અંગદાન થી પરમાર્થના ભાવ સાથે પત્નીએ બ્રેઇનડેડ પતિના અંગોનું દાન કર્યું: > અંગદાન કરતા મારા પતિ અન્યમાં જીવંત રહેશે આ ઉમદા ભાવ સાથે અંગદાન કર્યું > સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર્સની 6 થી 7 કલાકની મહેનતે હિનાબહેનને અંગદાન માટે પ્રેરયા > અમદાવાદના ઓઢવના રસીકભાઇને ઇન્ટ્રાવેન્ટ્રીક્યુલર હેમરેજ (| V H ) એટલે કે બ્રેઇનહેમરેજ રહેવાસી થતા તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરાયા > અંગદાનમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું ત્રણને નવજીવન > અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 48 કલાકમાં 2 અંગદાન – 6 ને નવજીવન > અમદાવાદ સિવિલમાં સતત બે વિસ અંગદાન થયાની વિરલ ઘટના - સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી

અંગદાન મહાદાન
> ચાર અંગદાન - અંદાજે 42 12 કલાકની મહેનત જરૂરિયાતમંદોને નવજીવન > અંગદાનના સેવાકાર્યમાં અમદાવાદીઓ અગ્રેસર : ચારમાંથી ત્રણ અંગદાતાઓ અમદાવાદના > 11 જુલાઈએ એક જ દિવસમાં બે અંગદાન થયાં : ચાર કિડની, બે લીવર અને બે આંખનું દાન મળ્યું > સિવિલ હોસ્પિટલના મેડિકલ રેકર્ડ વિભાગમાં સેવારત ભાવનાબહેનના સ્વજન લીલાબહેન સોલંકી બ્રેઇનડેડ થતાં તરત જ અંગદાન માટે સંમતિ દર્શાવી > ત્રણ દિવસમાં ચાર સફળ અંગદાન વધતી લોકજાગૃતિની સાથે સાથે સિવિલના તબીબોની નિષ્ઠાનું પરિણામ - સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી >અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસમાં ચાર અંગદાન

અંગદાન મહાદાન
> 'અંગદાન એ જ મહાદાન' > પાંડેસરાના 47 વર્ષીય બ્રેઈનડેડ દિપકભાઈ શ્રીધર લિમજેની 2 કિડની, લીવર અને 2 ચક્ષુ મળી 5 અંગોના દાનથી અન્યોને નવજીવન > સુરતની નવી સિવિલ ખાતેથી છેલ્લા સાડા છ મહિનામાં 35 અંગદાન' > દાનવીરોની ભૂમિ સુરતમાં અંગદાન પ્રત્યે વધી રહેલી જાગૃતતા

બાગાયત વિભાગ દ્વારા ફળ ઉત્પાદકતા વધારવા સહાય યોજના અમલી
> બાગાયત વિભાગ દ્વારા ફળ ઉત્પાદકતા વધારવા સહાય યોજના અમલી > ખેડૂતોને રૂ.50,000 પ્રતિ હેકટર સહાય મળવાપાત્ર > ક્રોપ ડાઇવર્સીફીકેશન થકી આંબા અને જામફળ ફળપાકમાં ઘનિષ્ઠ પદ્ધતિ તેમજ કેળ પાકમાં ટીસ્યુકલ્ચર ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટેના પ્રયાસો > યોજનાનો લાભ લેવા 17 ઓગસ્ટ 2023 સુધી આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે

પદ્મકુંવરબા હોસ્પિટલમાં કરાઈ જટિલ સર્જરી
> બાળકના જન્મ પૂર્વે જવલ્લેજ જોવા મળતી પ્રસૂતાના ગર્ભાશયની 10 સે.મી. ગાંઠની સફળ સર્જરી > ખાનગી હોસ્પિટલ્સ દ્વારા અતિ જોખમી સર્જરીનું જોખમ ન લેવાતા પદ્મકુંવરબા હોસ્પિટલમાં કરાઇ જટિલ સર્જરી

૨૨ જુલાઈ: રાષ્ટ્રીય કેરી દિવસ
> ગુજરાતમાં વર્ષ 2023-24ની સિઝનમાં અંદાજે રૂ.268 કરોડની કેરીનું વેચાણ : 6.13 લાખ મેટ્રિક ટન કેરીનું કરાયું વેચાણ > અમદાવાદના બાવળા ખાતે સ્થપાયેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતેથી કેસર કેરીની મોટા પાયે થઇ રહી છે નિકાસ : પ્રથમ સિઝનમાં જ બે લાખ કિલોથી વધુ કેરીની નિકાસ > આંબા જેવા બાગાયતી પાક વાવેતરના પ્રોત્સાહન માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અમલી > સમગ્ર દેશમાં વેચાયેલી કેરીમાં ગુજરાતનો ફાળો7.13 ટકા

રાજ્ય સરકાર દ્વારા બાગાયત પાકના ઉત્પાદન માટે ખેડૂતોને વિશેષ સહાય
> આંબાની જૂની વાડીઓના નવિનીકરણ કરવા માટેન યોજના > આંબા પાક માટે અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાક માટેની યોજના > ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકોમાટેની યોજના > વધુ ખેતી ખર્ચના ફળપાકો સિવાયના ફળપાકોમાં સામાન્ય અંતરે વાવેલા ફળપાક માટે સહાય > બાગાયતી પાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં 90ટકા સહાય > આંબા ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં વિશેષ સહાય.

વાઈરલ કન્સ્ટ્રક્ટીવાઈટીસ
> આંખોમાં જોવા મળતા 'વાઈરલ કન્ડક્ટીવાઈટીસ' થી ગભરાવાની જરૂર નથી પણ,વધુ ફેલાય નહીં તે માટે યોગ્ય સારવાર-સાવચેતી રાખવી જરૂરી > આંખમાં દુખાવો થાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં અથવા આંખના તબીબ પાસે જ સારવાર લેવી

મારા સપનાઓને પાંખો મળી છે હું ઉડી શકું છું
> જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિકસતી જાતી)ની કમર્શિયલ પાયલોટ લોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 20 લાખનો મંજુરી આદેશ મળતા તાપી જિલ્લાનો પ્રથમ પાઇલેટ બનશે પાર્થ રાઠોડ > પાયલોટ લોન સહાય યોજનાના રૂપિયા 20 લાખ અને વિદેશ અભ્યાસ લોનના મંજુરી પત્રો એનાયત કરતા જિ.પં.પ્રમુખ શ્રી સુરજ વસાવા > “મારા સપનાઓને પાંખો મળી છે હું ઉડી શકુ છું.\": ભાવિ પાઇલોટ પાર્થ રાઠોડ

શંકાસ્પદ મરચાં પાવડરનુ ઉત્પાદન
> ગાંધીનગરની કૂડ ફ્લાઇંગ સ્ક્વોડ તથા નડિયાદ ફૂડ ટીમ દ્વારા સંયુક્ત રીતે ખેડા જિલ્લાના પીપલજ ખાતે આવેલા ગોડાઉનમાં દરોડો પાડી મરચાં પાવડરનો શંકાસ્પદ જથ્થો પકડી પાડવામાં આવ્યો > મેજિક બોક્ષ (ટેસ્ટીંગ કીટ)થી સ્થળ ચકાસણી કરતા મરચામાં કલરનું ભેળસેળ હોવાનું બહાર આવ્યુ: રૂ. 4.17 લાખની કિંમતનો 2,349 કિલો મરચુ પાવડરનો જથ્થો જપ્ત: ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી કોશિયા > રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાધ ચીજવસ્તુઓ મળી રહે તેમાટેરાજ્ય સરકાર કટીબદ્ધ

વિશ્વ ઝૂનોસિસ ડે
> પશુ-પક્ષીઓ દ્વારા મનુષ્યોને થતા રોગો અંગે જનજાગૃતિ કેળવવાનો દિવસ - \"વિશ્વ ઝૂનોસીસ ડે\" > એનિમલ હેલ્પલાઇનમાં રોજના સરેરાશ 200 કોન કોલ્સ મારફતે પ્રાણીપંખીઓની સારવાર કરાવતા નાગરિકો

લોકોના જીવન બદલવાનો સંકલ્પ કરતુ દંપતી
> ગ્રેજ્યુએટ દંપતીએ એક ચમચી પાઉડરથી લોકોના જીવન બદલવાનો સંકલ્પ કર્યો છે અને 150 માણસોની વસ્તી ધરાવતા એક નાનકડા ગામડામાં સ્થાયી થયા છે. > મારું સમગ્ર જીવન સરગવાના છોડની ખૂબીઓ શોધવામાં સમર્પિત કરવા માંગું છું.: વિશાલ પટેલ

સ્વબળે આત્મનિર્ભર
૦ સ્વબળે આત્મનિર્ભર બનવાની મહેચ્છા ધરાવતા યુવક/યુવતિઓનું ‘પ્રેરણા તીર્થ' ચનખલનું 'આર્ટિસ્ટ હાઉસ' ૦ પ્રકૃતિપ્રેમી પર્યટકોને સ્વયંને ઓળખવાની ઉમદા તક પૂરી પાડતા આ નૈસર્ગિક સ્થળે રચાશે પ્રકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય ૦ સહિયાદ્રિની ગોદમાં, યોગ, નેચરોપથી, ગીત સંગીત, સાથે સેલ્ફ મેઇડ ટ્રેડિશનલ ફૂડ મહેમાનોને અનોખો અવસર પ્રદાન કરશે ૦ સર્જક પરિવારની સ્વપ્નસૃષ્ટિ સમા આર્ટિસ્ટ હાઉસમાં વ્યક્તિને પોતાના માંયલાને ઓળખવાની તક મળશેઃ

૭ જુલાઈ રાજકોટ સ્થાપના દિન
> રાજવીઓએ સ્થાપેલી વિરાસત રાજકુમાર કોલેજ, લાખાજીરાજ લાઇબ્રેરી, બાવાજીરાજ સ્કૂલ, કિશોરસિંહજી સ્કૂલ હજુ પણ અડીખમ > જામ ટાવર, બેડીનાકા ટાવર, રૈયાનાકા ટાવર છે રજવાડાની ધરોહર

કેળાના ઉત્પાદન સાથે મૂલ્યવર્ધન
> પ્રાકૃતિક ખેતી થકી આત્મનિર્ભર બનતા પ્રગતિશીલ ખેડૂત > 16 ગુંઠા જમીનમાં કેળાના ઉત્પાદન સાથે મૂલ્યવર્ધન કરીને વર્ષે દહાડે રૂ.15 થી લાખની આવક ઝગડીયા 16 મેળવતા તાલુકાના ઢુંઢા ગામના પ્રગતિશીલ ખેડૂત બચુભાઈ નંદલાલ હીરપરા > ભરૂચ જિલ્લામાં હાલમાં 80,000થી વધુ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી તાલીમ લીધી છે: આત્મા પ્રોજેકટ ડાયરેકટર (તાલીમ)

વિદ્યાર્થીઓમાં ઉડ્ડયન ક્ષેત્રે રૂચિ કેળવવા રાજ્ય સરકારની નવતર પહેલ
> વિધાર્થીઓ ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરાઇ તેવા હેતુથી 'સિમ્યુલેટર એક્ઝિબિશન > બસ' શરૂ કરવાનો નવતર પ્રયોગ- નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત > નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે 'સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ' નું ગાંધીનગર ખાતે લોકાર્પણ: ઉડ્ડયન રાજયમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ > આ નવીન બસ હાલમાં સાયન્સ સીટી અમદાવાદ ખાતે જાહેર પ્રદર્શન માટે મુકવામાં આવશે.

03 જુલાઈ: ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે
> પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બેસ્ટનું દ્રષ્ટાંત ઉત્તમ બનતો રાજકોટ જીલ્લાનો ધોરાજી તાલુકો > ધોરાજી તાલુકામાં પ્લાસ્ટિકના કચરાને રીસાઇકલ કરતી 450 થી વધારે ફેકટરીઓ > ગુજરાત સરકાર દ્વારા રીસાઇકલ યુનિટોને મશીનરી લેવા અપાતી સબસીડી

સુરતની સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન
> ગુરૂ પૂર્ણિમાના પાવનદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક અંગદાન > મૂળ મધ્યપ્રદેશના વતની અને પાંડેસરામાં રહેતા બ્રેઈનડેડ સેવકરામના બે કિડનીના દાનથી બે વ્યક્તિઓને નવજીવન > નવી સિવિલ દ્વારા છેલ્લા છ મહિનામાં અંગદાનની 32 ઘટનામાં કુલ 102 અંગોનું દાન

જામનગર એરફોર્સનું દિલધડક રેસ્કયૂ
> જામનગર દિલધડક એરફોર્સનું રેસ્ક્યુ : જૂનાગઢમાં ધોધમાર વરસાદના પરિણામે પૂરમાં ફસાયેલા બે ખેતમજૂરોને એરલીફ્ટકરાયા > કેશોદ તાલુકાના સુતરેજ ગામે કસાયેલા લોકોને જામનગરથી માત્ર એક કલાકમાં મદ મળતા નવજીવન મળ્યું > સરકાર તેમજ જામનગર અને જુનાગઢ જીલ્લા વહીવટી તંત્રની મહેનત થકી અમારો જીવ બચ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર: સાંગાભાઈ (પૂરમાં ફસાયેલા ખેતમજૂર

JUNE 19 WORLD SICKLE CELL DAY ૧૯ જુન - વર્લ્ડ સિકલસેલ ડે
– સિકલ સેલ ટ્રેઇડ અને ડિઝીઝનું નિદાન માટે દર્દીઓએ લોહીની સ્પેસિયલ તપાસ દ્વારા નિદાન શક્ય બની શકે છે – મેલેરિયાએ સિકલ સેલ ડીઝીઝના દર્દીને વધારે નુકશાન કર્તા છે – અચાનક દુ:ખાવો એવા સમયે પેરાસીટામોલ-કોડીન કીટ રોલ-ડાચલોફનાક જેવી દવાઓનો એક પૂર્ણ કોઝ દર્દી પાસે હમેશા ઉપલબ્ધ રહેવો જરૂરી :- સિકલ સેલ એક્સપર્ટ ડો.જ્યોતિષ પટેલ

નિદાન સાથે સારવાર માટેનું યોગ્ય માળખું અનિવાર્યું: ડો. જયોતિષ પટેલ
દર્દીના આરોગ્ય નો આધાર અને થતા ચેપી અને બિનચેપી રોગો જે તે દેરાની આબોહવા-સ્વછતા-રહેણી કરણી ખોરાક પીવાનું પાણી જેવા મહત્વનાં પરિબળો પર છે

ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ડાંગ જિલ્લાના ૧૭ બાળકોની હૃદયની સોનોગ્રાફી (2D echo) કરવામાં આવી
વધુ સારવાર અર્થે યુ.એન.મહેતા હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવ્યા

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે પ્રાણવાયુ સમાન
> તાપી જિલ્લાના કુલ 23, 116 લાભાર્થીઓએ પી.એમ.જે.એ.વાય. થકી મેળવી રૂ. 55.20 કરોડની નિ:શુલ્ક અને શ્રેષ્ઠ સારવાર > સિકલસેલ એનીમિયાથી પીડિત સોનગઢ તાલુકાની દીકરી નિશા ગામીતના પરિવારને મોટો હાંશકારો : પી. એમ. જે. એ. વાય. થકી પરિવાર પરનો માનસિક અને આર્થિક ભારણ સમાપ્ત થતા સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતી દીકરી નિશા > પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી તાપી જિલ્લાના લાખો પરિવારોના આર્થિક ભારણની ચિંતા દૂર થઈ છે

૨૧ જૂન- 'વિશ્વ યોગ દિવસ' શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીનો પર્યાય એટલે યોગ
> કોરોનાકાળ બાદ સ્વાસ્થ્ય માટે વધુ જાગૃત બનેલા સુરતવાસીઓએ 'મેટ યોગા' ની સાથે યોગના નવા પ્રકારોને આવકાર્યા: લેટેસ્ટ 'એરિયલ યોગ' અને 'યોગ ગરબા' ફેવરિટ > ફ્લેક્સિબલિટી, કમરનો દુઃખાવો, શારીરિક ક્ષમતા માટે અસરકારક એરિયલ યોગ અને સંગીત સાથે તાળીઓના તાલબદ્ધ સંગમથી શારીરિક અને માનસિક સ્વસ્થતા આપતા'યોગ ગરબા' > ગરબાની તાલબદ્ધ ક્રિયામાં યોગાસનોને જોડીને યોગગરબા'થી લોકોને સ્વસ્થ રાખતા અનિષ રંગરેજ > હવામાં ઝૂલીને કરવામાં આવતા એરિયલ યોગ અને મેડિટેશન બન્યા લોકપ્રિય: યોગ ટ્રેનર દિશાબેન ઝવેરી એરિયલ યોગમાં છે નિપુણ

કોકોપીટના ઉપયોગથી પાવાગઢ ડુંગર વૃક્ષોથી લીલોછમ
કોકોપીટના ઉપયોગથી પાવાગઢ ડુંગર વૃક્ષોથી લીલોછમ બન્યો: નારિયેળથી થતી ગંદકી અટકી: “મા કાલિકા” નું મંદિર વધુ સ્વચ્છ બન્યું કોકોપીટના ઉપયોગથી આગ લાગવાના આકસ્મિક બનાવો અટકશે તેમજ પર્યાવરણનું પણ જતન અને સંવર્ધન થશે