પૃથ્વી પરથી સમગ્ર નાગવંશનો નાશ કરવો કે નહીં? આવો મહત્ત્વનો નિર્ણય લેતાં પહેલાં રાજા જનમેજય પોતાના પિતા પરીક્ષિતના મૃત્યુ વિશે અને નાગવંશના દોષ વિશે આખી વાત બરાબર જાણવા-સમજવા માગતો હતો. એણે મંત્રીઓ પાસેથી પિતાના મોત વિશે પૂરેપૂરી વિગતો માગી. મંત્રીઓએ વિગત આપી.
વાત એમ હતી કે આદર્શ અને ન્યાયી રાજા પરીક્ષિત એક વાર જંગલમાં વીંધેલું હરણ શોધી રહ્યા હતા ત્યારે એમણે મુનિ શમીકને જોયા. એમણે શમીકને હરણ વિશે પૂછ્યું. મુનિએ મૌનવ્રત લીધેલું. એ કંઈ બોલ્યા નહીં. પરીક્ષિતે આજુબાજુમાં જોયું. ત્યાં એક મરેલો સાપ પડ્યો હતો. ભૂખ્યા, તરસ્યા અને થાકેલા પરીક્ષિતે બાણની અણી પર એ મરેલા સાપને ઉઠાવ્યો અને કશું વિચાર્યા વિના એ સાપ મુનિના ખભે નાખીને એ ત્યાંથી જતા રહ્યા.
એ મુનિનો દીકરો ઘોર તપસ્વી હતો. પરીક્ષિતે મુનિના ખભે સાપ નાખ્યો એ વખતે મુનિનો આ દીકરો ઘર તરફ આવી રહ્યો હતો. રસ્તામાં જ એને મિત્ર પાસેથી ખબર પડી કે રાજા પરીક્ષિતે એના પિતાના ગળે સાપ ભેરવ્યો હતો. પિતાના અપમાન વિશેની વાત જાણતાંની સાથે જ એ મુનિપુત્રએ હથેળીમાં જળ લઈને શાપ ઉચ્ચાર્યો: ‘મારા વૃદ્ધ પિતાની ડોકમાં જેણે સાપ નાખ્યો છે એ કુરુવંશને કલંકિત કરનારા રાજાને ભયંકર ઝેરવાળો અને તીક્ષ્ણ તેજવાળો તક્ષક નાગ આજથી સાતમી રાતે યમલોકમાં પહોંચાડશે.’
પછી એ મુનિપુત્ર ઘરે પહોંચ્યો. પિતા શમીક મુનિ હજુ એ જ અવસ્થામાં બેઠા હતા. એમના ખભે મરેલો સાપ હતો. એ જોઈને દીકરો ફરી ક્રોધથી ધ્રૂજવા લાગ્યો. એણે પિતા સાથે વાત કરી અને આવી કુચેષ્ટા કરનારા રાજા પરીક્ષિતને આપેલા શાપ વિશે કહ્યું.
કાશ્યપ ખરેખર પરીક્ષિતને તક્ષકદંશ પછી સાજા કરી દે તો ‘તક્ષકદંશ એટલે નિશ્ચિત મૃત્યુ’ એ સમીકરણ ખોટું ઠરે અને તક્ષકની શાખ અને ધાક પર પાણી ફરી વળે.
この記事は Chitralekha Gujarati の August 14, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の August 14, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને
એક ‘વૃક્ષશત્રુ’ને મળ્યા પછી અમદાવાદના આ વ્યવસાયીની જિંદગી એવી તો બદલાઈ કે એમણે લોકોને વૃક્ષોની મહત્તા સમજાવવા સાથે વર્ષાજળના સંચયની પ્રાચીન કળા પણ પુનઃ જીવિત કરી છે.
સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...
માનવજાત પોતાના અસ્તિત્વની શરૂઆતથી જ દરેક વસ્તુ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે પ્રકૃતિ પર નિર્ભર છે, છતાં સ્વાર્થને કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. આજે એવી નોબત આવી છે કે માણસ પાછો નહીં વળે તો એનું અસ્તિત્વ ખતમ થઈ જશે.
ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!
ખુશ હોવું એટલે દુઃખની ગેરહાજરી નહીં, પણ દુઃખનો સામનો કરવાની ક્ષમતા. પીડા, મુસીબત અને ફરિયાદ ન હોય એને ખુશી ન કહેવાય. મુસીબતોની પેલે પાર જોવાની નજરને ખુશી કહેવાય. ખુશી પેઈન-કિલર છે, પણ એ પીડાને ખતમ નથી કરતી, પીડાનો અનુભવ કરવાની ક્ષમતાને ખતમ કરે છે.
શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?
અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથેના ‘શાંતિ કરાર’ પાકિસ્તાની લશ્કરે સફળ ન થવા દીધા એ પછી હવે નવેસરથી નવાઝ શરીફે ભારત તરફનો દોસ્તીનો દરવાજો ખોલવા હિલચાલ આદરી છે.
જસ્ટ, એક મિનિટ..
જેને પ્રેમ કરીએ એવી જ વસ્તુ કરવાને બદલે જે પણ કરું એને પ્રેમ કરવાનું શીખી લીધું છે.
વન-વેથી મન-વે સુધી
આપણી વચ્ચે ઘણું અંતર છે એની જાણ છે તે છતાં વચ્ચે જ મળવા, હું હવે તૈયાર છું. – સુધીર દવે
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?