બિંજ-થિંગ
ABHIYAAN|February 10, 2024
લોકતંત્રનાં આભૂષણ... પદ્મ પુરસ્કાર વિજેતા ગુજરાતીઓ
પ્રિયંકા જોષી
બિંજ-થિંગ

સમસ્ત દેશ આજે ૭૫મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. દેશ તેના અમૃતકાળમાં પ્રવેશ કરી ચૂક્યો છે. દેશની પ્રગતિ તેમાં વસતી પ્રજાની પ્રગતિ છે. દેશના વિકાસની વ્યાખ્યા તેના નાગરિકોની સુખાચારી સાથે જોડાયેલી છે. લોકશાહીમાં પ્રજા શાસક છે અને શાસક સેવક. નાગરિકો દ્વારા જ જ્યાં દેશની નિયતિ નિશ્ચિત થાય છે અને વિધિના વિધાન પણ તેમના હસ્તે જ લખાય છે. નાગરિકત્વના સુયોગ્ય સન્માન તરીકે લોકમાન્ય સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિકોને તેમની પ્રતિભા અને સામાજિક યોગદાન માટે પ્રતિવર્ષ પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે.

દયાળ પરમાર

વિશ્વનું સૌથી વિશાળ જનસમુદાય ધરાવતું લોકતંત્ર એટલે કે આપણું ભારત, ૨૬મી જાન્યુઆરી, ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરે છે. ૧૯૫૪થી શરૂ થયેલ આ પ્રથા અનુસાર છેલ્લાં સિત્તેર વર્ષથી કળા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, ચિકિત્સા, વિજ્ઞાન, ઇજનેરી, જાહેર કાર્ય, નાગરિક સેવા, સામાજિક સેવાઓ, સમસ્યાઓ, વાણિજ્ય અને ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રોમાં કરેલ અસાધારણ યોગદાન બદલ પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીથી બિરદાવવામાં આવે છે. આ પુરસ્કારોમાં લોકશાહી અને નાગરિકત્વનું બહુમાન રહેલું છે.

સાંપ્રત વર્ષ ૨૦૨૪માં કુલ ૧૩૨ વિભૂતિઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તે પૈકી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, અભિનેત્રી વૈજયંતીમાલા સહિત પાંચ વિભૂતિઓને પદ્મવિભૂષણ; દક્ષિણના ફિલ્મ કલાકાર ચિરંજીવી, જન્મભૂમિના તંત્રી કુંદન વ્યાસ, કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. તેજસ પટેલ, અભિનેતા મિથુન ચક્રવર્તી, ગાયક ઉષા ઉઘુપ સહિત સત્તર હસ્તીઓને પદ્મભૂષણથી; તેમ જ વલસાડના યઝદી ઇટાલિયા, આસામના પાર્વતી બરુઆ સહિત એકસો દસ પ્રતિભાઓને પદ્મશ્રીથી અલંકૃત કરવામાં આવ્યાં છે.

સવિશેષ આપણા ગુજરાતના જાણીતા ડૉ.તેજસ પટેલ અને યઝદી માણેકશા, દયાળ પરમારને ચિકિત્સા ક્ષેત્રે તેમ જ રઘુવીર ચૌધરી, જગદીશ ત્રિવેદી અને હરીશ નાયક(મરણોત્તર)ને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમણે કરેલી અનન્ય સેવા અને અસાધારણ સિદ્ધિનું સન્માન કરવામાં આવ્યું છે.

この記事は ABHIYAAN の February 10, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の February 10, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં

time-read
4 分  |
Abhiyaan Magazine 08/06/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?

time-read
8 分  |
Abhiyaan Magazine 08/06/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

નવી સરકાર કોની હશે અને કેવી હશે?

time-read
5 分  |
Abhiyaan Magazine 08/06/2024
રાજકોટનો અગ્નિકાંડ
ABHIYAAN

રાજકોટનો અગ્નિકાંડ

હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર

time-read
3 分  |
Abhiyaan Magazine 08/06/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ

time-read
3 分  |
June 01, 2024
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
ABHIYAAN

‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?

સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી

time-read
1 min  |
June 01, 2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!

time-read
5 分  |
June 01, 2024
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
ABHIYAAN

આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?

વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.

time-read
3 分  |
June 01, 2024
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ABHIYAAN

કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં

ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.

time-read
4 分  |
June 01, 2024
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
ABHIYAAN

જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી

એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે

time-read
4 分  |
June 01, 2024