કાલે શું એ છોડી આજે હમણાં અત્યારે શું કરવું એ જોઈએ
આપણાં અર્થાત્ દેશના સારા માટે કમર કસી રોજ દોડીએ
હવે શું? વૉટ નેક્સ્ટ? રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઈ ત્યારથી ધીરે-ધીરે બહુમતીનું મન એ દિશામાં આંદોલિત થવા માંડ્યું છે. એક તરફ ઢગલો મગજ એવું બોલ્યાં કે, ચૂંટણી આવી રહી છે. બીજી બાજુ સંખ્યાબંધ જીભ કહેવા લાગી કે, કાશી અને મથુરા. ત્રીજી સાઇડ એવી હતી જે વડાપ્રધાન મોદીની સૌર ઊર્જા વડે સજ્જ થવાની વાત પર દૃષ્ટિ કરતી હતી. હવે શું થશે? અને હવે શું કરવું છે? એ બંને સવાલ વચ્ચે અંતર છે. સવાલ પૂછવા અને ખરેખર ઉત્તર જાણવા વચ્ચે પણ અંતર હોઈ શકે છે. સારા સવાલના ઉત્તર જાણ્યા પછી તેને આવકારી તેના પર કામ કરવા માટે આતુર હોય એવા સુજનને વંદન. હક્ક અને ફરજ કોના હોય છે? પોતાના. બંધારણનું પ્રારંભ આમુખથી થાય છે અને તેમાં પ્રથમ શબ્દ છે વી એટલે કે આપણે. બંધારણ અને શાસ્ત્ર ‘હવે તમારે શું કરવું જોઈએ?’ તેના પર ભાર મૂકે છે. બીજું કોઈ શું કરશે? અને આપણાંથી શું થઈ શકે તેવું છે? એવું બધું જોવું જોઈએ તેની ના નથી, છતાં આપણે શું ના કરવું જોઈએ તેની ના આપણે સમજવાની છે અને આપણે શું કરવુંજોઈએ તેની હા આપણે સમજવાની છે.
જીવન એક વાર્તા છે એવા શબ્દો સાહિત્યિક હોય ત્યાં સુધી સારા અને સાચા લાગે. વાસ્તવિક સંસારમાં જીવન સાચું જ લાગે છે.બાળકને વાર્તા કહેવામાં આવે ત્યારે એ ‘પછી શું થયું?’ એમ પૂછે તો વાર્તા કહેનારનો ઉત્સાહ અને આનંદ વધે. મિસ્ટર નટવરલાલ ફિલ્મમાં ‘ફિર ક્યા હુઆ?’ પ્રશ્ન પૂછતું બાળક સૌને મીઠું અને નિર્દોષ લાગે છે.વેલી, સ્ટોરી જુદી અને ઇતિહાસ જુદો. ઇતિહાસને વાર્તા ગણનારાએ હવે તો જાગવું જ જોઈએ. પાંચસો વર્ષ પછી રામમંદિર બન્યું, કારણ કે સુપ્રીમ કોર્ટમાં પુરાતત્ત્વીય અને દસ્તાવેજી પુરાવા થકી એવું સાબિત થયું કે ત્યાં મંદિર હતું જ. ઇતિહાસ થોડો ઘણો બચ્યો હતો એટલે કામમાં લાગ્યો. નવા રામમંદિરના પુરાવા અંગેના વિવિધ ભાષામાં ઇન્સ્ક્રિપ્શન કરેલા પથ્થર રામમંદિરની ધરામાં યોગ્ય રીતે ગોઠવવામાં આવ્યા છે કે નહીં, તે અંગે કોઈ વાત નથી કરતું. બહુમતી એવા મૂડમાં મહાલે છે કે હવે તો ક્યારેય કશું બદલાશે જ નહીં.
この記事は ABHIYAAN の February 10, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の February 10, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વાયરલ પેજ
એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં
ચર્નિંગ ઘાટ
પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?
એનાલિસિસ
નવી સરકાર કોની હશે અને કેવી હશે?
રાજકોટનો અગ્નિકાંડ
હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે