ઉત્તર-પૂર્વીય ભારતમાં સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતાં સાત રાજ્યો છે અને એક બ્રધર સ્ટેઇટ, સિક્કિમ પણ છે. આ બધાં રાજ્યોમાં ઊગતા સૂર્યનો પ્રદેશ ગણાતું અરુણાચલ સૌથી મોટું રાજ્ય છે અને ઉત્તર-પૂર્વીય હિમાલયમાં આવેલો પ્રદેશ પણ છે. ઉનાળામાં જ્યારે પ્રખ્યાત હિમાલયન સ્થળો તરફનો ધસારો વધે છે ત્યારે કેટલાક અસલ જાણકારો અરુણાચલ તરફ નીકળી પડે છે અને એ અરુણાચલમાં તવાંગ નામના બૌદ્ધ મઠને પોતાનું ગંતવ્ય બનાવે છે.
આ બૌદ્ધ મઠ લ્હાસાના પોટાલા પૅલેસ પછીનો એશિયાનો બીજા નંબરનો અને ભારતનો સૌથી મોટો બૌદ્ધ મઠ છે. આ મઠ અરુણાચલની તવાંગ ચુ ઘાટીમાં સ્થિત તવાંગ જિલ્લાના તવાંગ નગરથી માત્ર બે કી.મી. દૂર છે. ભૌગોલિક રીતે તવાંગ મઠ અરુણાચલની ઉત્તર-પશ્ચિમે છે અને ભૂતાન અને ચીનની સરહદથી નજીક છે. બૌદ્ધ ધર્મની આંતરરાષ્ટ્રીય ધરોહર ગણાતો આ મઠ છેલ્લાં ૪૦૦ વર્ષોથી વિશ્વ પ્રવાસીઓ અને બૌદ્ધ ધર્મના અભ્યાસુઓને આકર્ષે છે.
આ મઠ જ્યાં આવેલો છે તે તવાંગ એક કાળમાં તિબેટનો ભાગ હતું, પરંતુ ૧૯૧૪માં થયેલ શિમલા કરાર વખતે બ્રિટિશ ઇન્ડિયા અને તિબેટ વચ્ચે મેકમોહન લાઇન ડિફાઇન થઈ જે મુજબ તિબેટે તવાંગ સહિતનો કેટલોક પ્રદેશ બ્રિટિશ ઇન્ડિયાને આપ્યો અને તવાંગ આપણું થયું.
તે ઉપરાંત એક કથા મુજબ સત્તરમી સદીમાં હિમાલયના વિવિધ બૌદ્ધ પંથો વચ્ચે શરૂ થયેલા વિખવાદ વખતે મીરા લામા લોદ્રે ગ્યાસ્તો નામના તિબેટન સાધુ પોતાના ગેલુપા એટલે કે યલો હેટ પંથનું રક્ષણ કરવા એક કિલ્લો બાંધવાનો નિર્ણય લે છે. પાંચમા દલાઈ લામાના આશીર્વાદ પ્રાપ્ત કરી મીરા લામા પોતાના ઘોડા પર યોગ્ય સ્થળની પસંદગી કરવા નીકળી પડે છે, પરંતુ તે નક્કી નથી કરી શકતા કે પોતાના બૌદ્ધ સાધુઓને સુરક્ષિત રાખવા કિલ્લો ક્યાં બાંધવો આથી તે પોતાના ઘોડાને એક ગુફાની બહાર રાખી, ગુફામાં જઈ દૈવી શક્તિની મદદ માગે છે. જ્યારે તેઓ ગુફાની બહાર નીકળે છે ત્યારે તેમનો ઘોડો ત્યાં જોવા નથી મળતો. શોધી શોધીને થાકતાં તેનો ઘોડો કોઈ ઊંચી પહાડી પર મળી આવે છે. આ ઘટનાને દૈવી ઇશારો માની મીરા લામા એ જ સ્થળ પર બૌદ્ધ મઠ બાંધે છે અને તેનું નામ પાડે છે તવાંગ એટલે ઘોડા દ્વારા પસંદ થયેલું.
この記事は ABHIYAAN の May 27, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の May 27, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ફેમિલી ઝોન ફેશન
ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’
લાફ્ટર વાઇરસ
ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!
વિઝા વિમર્શ
વાગ્દ્ત્તાના વિઝા
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન