શ્રીરામનો જન્મ એટલે ચૈત્ર માસની નવમી તિથિ. રામનવમીના દિવસે આપણે સર્વે શ્રીરામની આરાધના કરીએ છીએ. પ્રશ્ન એ થાય છે કે શ્રીરામનો જન્મ કેટલા સમય પહેલાં થયો હતો? ચોક્કસ કયા વર્ષમાં શ્રીરામનો જન્મ થયો હતો? આપણે સૌ આજે વિક્રમ સંવત ૨૦૭૯ અને ૨૦૨૩CE(કૉમન એરા)માં છીએ. શ્રીરામ જન્મ સંબંધિત સંવતનો કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી.
સ્વાભાવિકપણે મહર્ષિ વાલ્મીકિ કૃત રામાયણને શ્રીરામના જન્મ સંબંધિત જાણકારી માટે સૌથી વધારે પ્રમાણભૂત અને વિશ્વસનીય સ્રોત તરીકે ગણી શકાય. મહર્ષિ વાલ્મીકિ કૃત રામાયણના પણ આજે ઘણાં સંસ્કરણ પ્રાપ્ત છે. મહર્ષિ વાલ્મીકિ કૃત રામાયણની ક્રિટિકલ એડિસન ૧૦ લિપિઓની ૨૦૦૦થી વધુ હસ્તપ્રત સૂક્ષ્મ પરીક્ષણ અને ખૂબ જ સાવધાનીપૂર્વક સમીક્ષા કરીને ૨૪ વર્ષના પરિશ્રમ દ્વારા તૈયાર થયેલી છે. જેથી, શ્રીરામના જન્મવર્ષ સંબંધિત સમગ્ર સંશોધન માટે મહર્ષિ વાલ્મીકિ કૃત રામાયણ – ક્રિટિકલ એડિસનને મુખ્ય સ્રોત તરીકે આધાર રાખ્યો છે.
ખગોળ વિજ્ઞાન માત્ર એક એવી પ્રણાલી છે જેમાં વિશ્વનાં અને કોઈ પણ કાળ દરમિયાનનાં તથ્યો અને વિચારોમાં મહત્તમ સામ્યતા તથા એકરૂપતા જોવા મળે છે. નક્ષત્રો - તારાઓની સ્થિતિમાં હજારો વર્ષોમાં ન બરાબર પરિવર્તન થાય છે. કોઈક મોટી ખગોળીય ઘટનાઓ છે, જેની પૅટર્નનું પુનરાવર્તન પણ હજારો વર્ષમાં ન બરાબર થાય છે. આધુનિક ખગોળ વિજ્ઞાન અને પ્રાચીન ખગોળશાસ્ત્ર બંને માં ખૂબ જ અને મહત્તમ સામ્યતા જોવા મળે છે. સૌથી મહત્ત્વનું કે સમય માપન માટે પ્રાચીન કે આધુનિક કાળમાં ખગોળનો જ ઉપયોગ થાય છે. મહર્ષિ વાલ્મીકિ કૃત રામાયણમાં દર્શાવેલી ખગોળીય બાબતોના આધારે શ્રીરામના જન્મથી રાજા રાવણના વધ બાદ અયોધ્યા પુનરાગમન સુધીના તમામ પ્રસંગોનું વર્તમાન કૅલેન્ડર પ્રમાણેની તારીખો અને ચોક્કસ વર્ષ સાથેનું સંશોધન ૧૩ વર્ષના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત થયું છે જેને શ્રીરામ – કોસ્મોલોજિકલ ટાઇમલાઇન પુસ્તક સ્વરૂપે પણ પ્રગટ કરેલું છે.
この記事は ABHIYAAN の April 08, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の April 08, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે
એજ્યુકેશન સ્પેશિયલ
શિક્ષા બની ચૂકેલા શિક્ષણથી ‘શિક્ષાન્તર’
ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઊંચા પરિણામનો સંકેત શું?
૨૦૨૧માં ધોરણ દસમાં માસ પ્રમોશન આપ્યા પછી ધોરણ અગિયારમાં એડ્મિશન માટે બહુ કપરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. શું આ વર્ષે ફરી એક વખત એવી પરિસ્થિતિ ઊભી નહીં થાય? પ્રાથમિક અંદાજ પ્રમાણે ગુજરાતમાં ધોરણ અગિયારમાં નવા ૫૦૦ વર્ગખંડો અને ઓછામાં ઓછા ૧,૨૦૦ શિક્ષકોની જરૂરિયાત ઊભી થશે. અત્યારે પણ ગુજરાતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિષ્ણાત શિક્ષકોની ઘટ છે તેવા સંજોગોમાં ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ નિષ્ણાત શિક્ષકોની ભરતી કરી શકશે?
વાયરલ પેજ
નવો પૈસો, જૂનો પૈસો અને સંપત્તિની સાઠમારી
એનાલિસિસ.
ભારતનું ચૂંટણીપંચ કેટલું કાર્યદક્ષ? કેટલું કટિબદ્ધ?