નાસિકમાં પ્રાચીન શપ્તશૃંગી માતાનું અભિનવ સ્વરૂપ
ABHIYAAN|April 01, 2023
સાપુતારાની પર્વતમાળામાં આવેલા એક હજારથી પણ વધુ વર્ષો જૂના આ અઢાર ભુજાવાળા શપ્તશૃંગી માતાની મૂર્તિ પરથી સિંદૂરને દૂર કરવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ, પુરાતત્ત્વ વિભાગે સાથે મળીને લીધો અને જૂન ૨૦૨૨માં શરૂ થયેલું એ કામ બે મહિના ચાલ્યું. લગભગ અઢારસો કિલો સિંદૂરને દૂર કરાયા પછી માતાજીની મૂર્તિના અભિનવ સ્વરૂપનાં દર્શન થાય છે.
લતિકા સુમન
નાસિકમાં પ્રાચીન શપ્તશૃંગી માતાનું અભિનવ સ્વરૂપ

નાસિકના કાલવણ તાલુકામાં માતા સપ્તશૃગીનું પ્રસિદ્ધ મંદિર છે. ૧૮ ભુજાવાળી આ દેવીના ભક્તો દેશ-વિદેશમાં છે, પરંતુ મોટા ભાગના ભક્તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવે છે. સાત શિખરો પર આવેલું આ મંદિર સપ્તશૃંગી તરીકે ઓળખાય છે. આમ તો આપણે દેવીને અનેક સ્વરૂપોમાં જોઈએ છીએ, પણ એક જ ચહેરાની દેવીનું બદલાતું સ્વરૂપ ભક્તને આશ્ચર્યચકિત કરી દે છે. લગભગ સાત મહિના પહેલાં દેવી સપ્તશૃંગીનું બદલાયેલું મનમોહક સ્વરૂપ ભક્તોને નવાઈ પમાડે છે.

જ્યારે હજારો વર્ષોથી દેવીની મૂર્તિ પર લગાવવામાં આવેલા સિંદૂરનો લેપ હટાવવામાં આવ્યો ત્યારે ભક્તોની સામે દેવીનું એક અલગ જ સ્વરૂપ દેખાયું. પુરાતત્ત્વ વિભાગ, કાશી વિશ્વનાથ મંદિરના વડા ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને સપ્તશૃંગી નિવાસિની મંદિર ટ્રસ્ટે સાથે મળીને દેવીની મૂર્તિ પર ઘણાં વર્ષોથી લાગેલા સિંદૂરના લેપને હટાવવાનો નિર્ણય લીધો હતો. જૂન ૨૦૨૨માં એ કામ શરૂ થયેલું, જેના કારણે લગભગ બે મહિનાથી મંદિરનાં દર્શન બંધ થઈ ગયા હતા. દેવીની મૂર્તિમાંથી લગભગ ૧૮૦૦ કિલો સંદૂર કાઢવામાં આવ્યું હતું. ત્યાર બાદ દેવીનું એક અલગ સ્વરૂપ ફરીથી ભક્તો સમક્ષ દર્શન માટે ખોલવામાં આવ્યું હતું. દેવીના નવા સ્વરૂપને જોઈને ભક્તોમાં દેવીના મુખ અને મૂર્તિને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ અને મંદિરમાં ભક્તોની ભીડ વધવા લાગી. આજે પણ દરેક દેવીભક્ત સમાન ભક્તિ સાથે સપ્તશૃંગી દેવી સમક્ષ નતમસ્તક જોવા મળે છે.

સપ્તશૃંગી નિવાસિની મંદિર ટ્રસ્ટના વ્યવસ્થાપક સુદર્શન દહાતોંડે દેવીના બદલાતા સ્વરૂપ વિશે ‘અભિયાન'ને જણાવે છે કે, દેવીનું અગાઉનું સ્વરૂપ ઘરની વૃદ્ધ દાદી જેવું લાગતું હતું, પણ આજનો દેખાવ એક યુવાન કુંમારીનો છે. દેવી આપણી માતા છે. તેમના ભક્તો માતાને જુદાં-જુદાં રૂપમાં જુએ છે, પરંતુ ભક્તોની ભક્તિમાં ક્યારેય કોઈ ફરક પડતો નથી. તે માતા સમક્ષ એ જ રીતે માથું નમાવે છે જે રીતે તે પહેલાં નમાવતા હતા.

この記事は ABHIYAAN の April 01, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の April 01, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 分  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 分  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 分  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 分  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 分  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 分  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 分  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 分  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 分  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 分  |
May 25, 2024