તબિયતને તગડી રાખવા કયું તેલ વાપરશો?
ABHIYAAN|September 10, 2022
સામાન્ય રીતે ખાદ્યતેલની વાત નીકળે તો એને શરીરમાં વધતી ચરબી માટે મોટા ભાગે ખલનાયક ગણવામાં આવે છે. જોકે વિવિધ ફૂડ પ્રોસેસિંગ ટૅક્નોલૉજી ’ને આ ક્ષેત્રમાં થઈ રહેલાં સંશોધનોને પરિણામે બજારમાં અવનવાં ખાદ્યતેલ આવી રહ્યાં છે જેમના વિશે એવું કહેવાય છે કે એ ‘હેલ્ધી’ એટલે કે ઓછા નુકસાનકારક છે. એવામાં કયું તેલ વાપરવું સારું તે સવાલ થાય છે.
આર્જવ પારેખ
તબિયતને તગડી રાખવા કયું તેલ વાપરશો?

આપણે ત્યાં એક કહેવત છે, ‘તેલ જુઓ, તેલની ધાર જુઓ'. આ કહેવતનો સંદર્ભ અલગ છે, પરંતુ આજના સમયમાં ખાદ્યતેલોમાં થઈ રહેલા અવિરત સંશોધનો અને ફેરફારોને લીધે હવે એવું કહેવું પડે તેમ છે કે, ‘તેલ જુઓ, બસ તેલ જ જુઓ’. એમાંય ગુજરાતી પ્રજાને તો તેલ સાથે ભવેભવનો અતૂટ સંબંધ છે. તમે ગુજરાતી ખાણું જુઓ તો તેલથી તરબતર જ હોય, શાક તો તેલમાં ડૂબતાં જ દેખાવા જોઈએ. ગુજરાતી પ્રજા એવું જ વિચારે કે, ‘ચરબી જાય તેલ લેવા, અમારે તો મસાલેદાર, ચટાકેદાર, તેલથી તરબોળ જ વાનગી જોઈએ.’ વળી પાછું ગુજરાતી પ્રજાના તેલનો ટેસ્ટ પણ ઊંચો છે, સીંગતેલ અને કપાસિયા તેલ જ મોટા ભાગે ઘરઘરમાં રાજ કરે છે.

છેલ્લા કેટલાક સમયથી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે ઘણી જાગૃતિ આવી છે, લોકો એવું વિચારતા તો થયા જ છે કે શરીરને નુકસાનકારક શું છે અને શું નથી. આજકાલ તો ડૉક્ટર્સ પણ એવી સલાહ આપતા હોય છે કે તમે ફલાણું તેલ વાપરો, કોલેસ્ટ્રોલ બહુ વધી ગયું છે. એટલે બદલાતા સમય સાથે બજારમાં નવાં નવાં ખાદ્યતેલોની એન્ટ્રી થઈ રહી છે અને તેની માગ પણ વધી રહી છે.

સૂર્યમુખીનું તેલ

ગુજરાતમાં રહેતી વ્યક્તિને તો એમ જ લાગે કે આ વળી કયું તેલ? પરંતુ જો ભારતની વાત કરીએ તો ૨૫% રસોડામાં સૂર્યમુખીના તેલે આસન જમાવ્યું છે. આ સિવાય જો બજારની વાત કરીએ તો ભારતમાં વેચાતા તેલમાં તેનો ફાળો ૧૦ ટકાથી વધુ થઈ ચૂક્યો છે. સૂર્યમુખીના તેલનો સૌથી મોટો ઉત્પાદક દેશ એટલે યુક્રેન અને સૌથી મોટો આયાતકાર દેશ એટલે ભારત. યુક્રેનના કાળી માટીનાં ખેતરોમાં તેની ખૂબ સારી ફસલ થાય છે. સૂર્યમુખીના તેલની દિવસે ને દિવસે ડિમાન્ડ વધવાનું કારણ છે તેનાથી થતાં સ્વાસ્થ્યલાભ. વિટામિન ઇ કે જે શરીરની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે જવાબદાર છે એ સૂર્યમુખીના તેલમાં ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ તેલમાં રહેલ ઓલેઇક એસિડ શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી કરવામાં મદદરૂપ નીવડે છે અને તે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમારી ચામડીને વધુ ચમકદાર બનાવે છે અને કોઈ ઇન્ફેક્શન સામે તમારા શરીરને રક્ષણ આપવાનું કામ કરે છે.

સોયાબીનનું તેલ

この記事は ABHIYAAN の September 10, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の September 10, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 分  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 分  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 分  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 分  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024