‘અમારા લગ્નને માન્યતા મળશે તો ભારતમાં સ્થાયી થઈશું!'
ABHIYAAN|August 13, 2022
ભારતમાં સમલૈંગિક સંબંધ ગુનો નથી, પણ સમલૈંગિકોનાં લગ્નને હજી સુધી કાયદાકીય માન્યતા આપવામાં આવી નથી. એ કારણે આવા યુગલોને નાછૂટકે અન્ય દેશમાં વસવાટ કરવો પડે છે. રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ આવા જ એક પીડિત છે. વતનમાં સ્વજનો વચ્ચે પોતાના જીવનસાથી સાથે સ્વમાનભેર જીવવાના તેમને પણ કોડ છે, પણ કાયદામાં ક્યારે સુધાર આવશે એની તેઓ વાટ જોઈ રહ્યા છે.
લતિકા સુમન
‘અમારા લગ્નને માન્યતા મળશે તો ભારતમાં સ્થાયી થઈશું!'

હું એક આત્મા છું. આ સૃષ્ટિ ઉપર જન્મ લેનાર દરેક જીવ એક આત્મા છે. સૌ આત્માઓને એક જીવના રૂપે પરમાત્માએ બનાવ્યા છે. મનુષ્યએ સ્ત્રી અને પુરુષના રૂપે શરીર ધારણ કર્યાં છે. એ પરમાત્માએ મને પણ બનાવ્યો છે. તેણે મને જેવો પણ બનાવ્યો છે એ સચ્ચાઈની સાથે મારે મારું અસ્તિત્વ સ્વીકારવું છે. માત્ર સ્વીકારવું જ નથી બલ્કે મારે સચ્ચાઈની સાથે જીવવું પણ છે અને હું જો મારા પોતાના સત્યને સ્વીકારીને જીવવા ઇચ્છતો હોઉં તો મારા સત્યને સમજીને સૃષ્ટિના અન્ય જીવોએ પણ મારો સ્વીકાર કરવો પડશે.’

અમેરિકામાં રહેતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડિઆન્દ્રે રિચર્ડસનનું દુનિયાના દરેક વ્યક્તિને આ કહેવું છે. તેઓ આવું શા માટે કહે છે? આધ્યાત્મિક જ્ઞાનની જાણકારી ધરાવતા, માનવતાવાદી વિચારો સાથે જોડાયેલા અને પ્રેમમાં વિશ્વાસ ધરાવનાર તેઓ સુશિક્ષિત અને સમજદાર વ્યક્તિ છે. આમ છતાં એવી કઈ વાત છે જે તેમની ભાવનાઓને સમજ્યા વિના તેમની સાથે જોડાયેલ એ સત્યનો સ્વીકાર નથી કરી રહી. જે માટે તેમણે અન્ય દેશોની માફક ભારત સરકાર પાસે પણ ચાયની અપેક્ષા રા જે તેમની સાથે જોડાયેલા સત્યને સ્વીકારે. તેમની આ જ વાતને સમજવા માટે ‘અભિયાને’ અમેરિકામાં તેમનો સંપર્ક કર્યો. ડિઆન્દ્રે રિચર્ડસન અને તેમના પતિ એટલે ગુજરાતના રાજપીપળાના રાજવી પરિવારના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ સાથે વાત કરીને તેમની ભાવનાઓ વાચકો સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો.

તેઓ એક સમલૈંગિક દંપતી છે જેમાં પુરુષ અને પુરુષ વચ્ચે લગ્ન થતાં હોય છે. આવા દંપતી એકબીજાના પરિચય પતિના રૂપે આપતા હોય છે. ભારતમાં આ પ્રકારનાં લગ્નને માન્યતા નથી, પરંતુ અમેરિકામાં સમલૈંગિક યુગલને લગ્ન કરવાની છૂટ છે. ૬ જુલાઈ, ૨૦૧૩ના દિવસે ડિઆન્દ્રે રિચર્ડસન અને માનવેન્દ્રસિંહનાં લગ્ન થયાં હતાં. આ ૬ જુલાઈએ એમનાં લગ્નને નવ વર્ષ પુરાં થયાં. લગ્નની આ વર્ષગાંઠ ઊજવવા તેઓ દુનિયાને સંદેશ આપવા ઇચ્છતા હતા કે અમને પણ અમારા અસ્તિત્વ સાથે જીવવાની ઇચ્છા છે. અમે પણ એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમે બંને પુરુષ હોવા છતાં પણ એકબીજાના જીવનસાથી છીએ. અમે આ સંબંધને જીવન પર નિભાવવા માગીએ છીએ. પોતાની ભાવનાઓને આ દંપતીએ સોશિયલ મીડિયા મારફતે વ્યક્ત કરી ત્યારે દુનિયાના અનેક લોકો ચકિત થઈ ગયા. અનેકને એ વિકૃતિ લાગી તો કોઈએ એમના પ્રત્યે નફરત કરી, તો કોઈએ એમને સહકાર પણ આપ્યો.

この記事は ABHIYAAN の August 13, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の August 13, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
ABHIYAAN

‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?

સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી

time-read
1 min  |
June 01, 2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!

time-read
5 分  |
June 01, 2024
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
ABHIYAAN

આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?

વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.

time-read
3 分  |
June 01, 2024
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ABHIYAAN

કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં

ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.

time-read
4 分  |
June 01, 2024
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
ABHIYAAN

જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી

એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે

time-read
4 分  |
June 01, 2024
એજ્યુકેશન સ્પેશિયલ
ABHIYAAN

એજ્યુકેશન સ્પેશિયલ

શિક્ષા બની ચૂકેલા શિક્ષણથી ‘શિક્ષાન્તર’

time-read
5 分  |
June 01, 2024
ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઊંચા પરિણામનો સંકેત શું?
ABHIYAAN

ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઊંચા પરિણામનો સંકેત શું?

૨૦૨૧માં ધોરણ દસમાં માસ પ્રમોશન આપ્યા પછી ધોરણ અગિયારમાં એડ્મિશન માટે બહુ કપરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. શું આ વર્ષે ફરી એક વખત એવી પરિસ્થિતિ ઊભી નહીં થાય? પ્રાથમિક અંદાજ પ્રમાણે ગુજરાતમાં ધોરણ અગિયારમાં નવા ૫૦૦ વર્ગખંડો અને ઓછામાં ઓછા ૧,૨૦૦ શિક્ષકોની જરૂરિયાત ઊભી થશે. અત્યારે પણ ગુજરાતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિષ્ણાત શિક્ષકોની ઘટ છે તેવા સંજોગોમાં ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ નિષ્ણાત શિક્ષકોની ભરતી કરી શકશે?

time-read
5 分  |
June 01, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નવો પૈસો, જૂનો પૈસો અને સંપત્તિની સાઠમારી

time-read
4 分  |
June 01, 2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

ભારતનું ચૂંટણીપંચ કેટલું કાર્યદક્ષ? કેટલું કટિબદ્ધ?

time-read
5 分  |
June 01, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સ્માર્ટ મીટરમાં કોણે કાચું કાપ્યું? લોકોનો આક્રોશ ભાજપ સમજે છે?

time-read
3 分  |
June 01, 2024