S૨ અને સહનશીલતા...
એક નાના છોકરાને અંધકારની બીક લાગતી હતી. એને એવો ડર પેસી ગયો હતો કે અંધારું થયા પછી રાક્ષસો બહાર નીકળે છે. એક વાર એ માતા-પિતા સાથે કોઈ સંબંધીને ત્યાં ગયો. રાતે એને એક રૂમમાં અલગ સૂવાનું આવ્યું. એ નાનો હતો એટલે લાઈટ ચાલુ રાખવાની પરવાનગી નહોતી. એ સાથે એક ટૉર્ચ લઈને આવ્યો હતો અને એને ઓશીકા પાસે મૂકીને સૂઈ ગયો.
રાતે રાક્ષસોના વિચારમાત્રથી એ એટલો ગભરાઈ ગયો કે પથારીમાંથી ઊભો થયો અને રૂમમાં એક વિશાળ કબાટ ખોલીને અંદર ટૉર્ચ ફેંકી. કપડાં પાછળ સાચે જ એક રાક્ષસ હતો. છોકરો ચીસ પાડીને પાછળ હટી ગયો. એના આશ્ચર્ય વચ્ચે રાક્ષસે પણ જોરથી ચીસ પાડી અને રડવા લાગ્યો. એને રડતો જોઈને છોકરાનો ડર હેઠે બેઠો અને એણે હળવેકથી રાક્ષસને એના રડવાનું કારણ પૂછ્યું.
રાક્ષસે કહ્યું: ‘હું તો વર્ષોથી અહીં રહું છું, પણ મેં તારા જેવા હાથ-પગ, કાન-નાકવાળા ભયાનક જીવને જોયો નથી.' બાળકને પણ એવું જ થયું હતું-એણે પણ રાક્ષસ જેવા ભયાનક જીવને જોયો નહોતો. બન્ને એકબીજા સાથે એમના ડરની વાત કરવા લાગ્યા અને સમજી ગયા કે બન્નેની સમસ્યા એકસરખી જ હતીઃ અજાણ્યાનો ડર. એ ડર દૂર કરવા માટે એમણે એકબીજાને વધુ સારી રીતે ઓળખવાની અને એકબીજાને સ્વીકારવાની જરૂર હતી. એ દિવસથી છોકરામાંથી અંધકારનો ડર નીકળી ગયો.
***
દેશની સુપ્રીમ કોર્ટ કાયમ ટેક્નિકલ અથવા તો કાનૂનના આધારે જ ચુકાદો આપે છે એવું નથી. એ ઘણી વાર એકદમ વ્યવહારુ બનીને લોકોને પોલીસમાં કે અદાલતોમાં ન જવાની સલાહ પણ આપે છે, ખાસ તો જ્યારે આપસી સંબંધોના મતભેદના મામલા હોય, કારણ કે રાઈ જેવી સૂક્ષ્મ બાબત કાનૂની દખલઅંદાજીથી પહાડ જેવી થઈ જાય છે.
પંજાબનાં એક વિવાહિત યુગલનો ઝઘડો સ્થાનિક પોલીસ, સ્થાનિક કોર્ટ અને હાઈ કોર્ટમાં થઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો ત્યારે જસ્ટિસ જેબી પારડીવાળા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે નિષ્કર્ષ આપ્યોઃ ‘એક સ્વસ્થ લગ્નના ત્રણ પાયા હોય છેઃ સહિષ્ણુતા, બાંધછોડ અને પરસ્પર સમ્માન. એકબીજાની ભૂલ માટે અમુક હદ સુધી સહનશીલતા દરેક લગ્નમાં નિહિત હોવી જોઈએ. નાની-મોટી દલીલ અને મામૂલી મતભેદ સાંસારિક બાબતો છે. એમાં રાઈનો પહાડ ન બનાવવો જોઈએ.’
Esta historia es de la edición May 27, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 27, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને
એક ‘વૃક્ષશત્રુ’ને મળ્યા પછી અમદાવાદના આ વ્યવસાયીની જિંદગી એવી તો બદલાઈ કે એમણે લોકોને વૃક્ષોની મહત્તા સમજાવવા સાથે વર્ષાજળના સંચયની પ્રાચીન કળા પણ પુનઃ જીવિત કરી છે.
સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...
માનવજાત પોતાના અસ્તિત્વની શરૂઆતથી જ દરેક વસ્તુ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે પ્રકૃતિ પર નિર્ભર છે, છતાં સ્વાર્થને કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. આજે એવી નોબત આવી છે કે માણસ પાછો નહીં વળે તો એનું અસ્તિત્વ ખતમ થઈ જશે.
ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!
ખુશ હોવું એટલે દુઃખની ગેરહાજરી નહીં, પણ દુઃખનો સામનો કરવાની ક્ષમતા. પીડા, મુસીબત અને ફરિયાદ ન હોય એને ખુશી ન કહેવાય. મુસીબતોની પેલે પાર જોવાની નજરને ખુશી કહેવાય. ખુશી પેઈન-કિલર છે, પણ એ પીડાને ખતમ નથી કરતી, પીડાનો અનુભવ કરવાની ક્ષમતાને ખતમ કરે છે.
શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?
અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથેના ‘શાંતિ કરાર’ પાકિસ્તાની લશ્કરે સફળ ન થવા દીધા એ પછી હવે નવેસરથી નવાઝ શરીફે ભારત તરફનો દોસ્તીનો દરવાજો ખોલવા હિલચાલ આદરી છે.
જસ્ટ, એક મિનિટ..
જેને પ્રેમ કરીએ એવી જ વસ્તુ કરવાને બદલે જે પણ કરું એને પ્રેમ કરવાનું શીખી લીધું છે.
વન-વેથી મન-વે સુધી
આપણી વચ્ચે ઘણું અંતર છે એની જાણ છે તે છતાં વચ્ચે જ મળવા, હું હવે તૈયાર છું. – સુધીર દવે
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?