આસો-કારતકના પર્વીય દિવસો સાથે જ શિયાળાનો હૂંફાળો પ્રવેશ આંગણામાં આળેખેલી રંગોળીના રંગ લઈ આપણી આસપાસ વીંટળાઈ જાય છે. લીલાં શાકભાજીથી સભર માર્કેટ, વહેલી સવારથી શહેરનાં ઉદ્યાનો અને રસ્તાઓ પર ચાલતાં અને દોડતાં શહેરીજનો, જ્યૂસ-સલાડ અને ઉકાળાથી અખંડ સવાર-બપોર-સાંજ અને યમ-નિયમ, યોગ અને પ્રાણાયામથી પ્રસન્ન આખો માહોલ હૃદય-મનની બંધ બારીઓને ખોલી આપણને એકદમ શુદ્ધ કરી જીવનની ગાડીમાં તાજું એન્જિન ઓઇલ પૂરવાનું કામ કરે છે.
શરીર-મનના આવા હાર્મોનિયસ લ્યુબ્રિકેશનમાં ભારતનું વૅલનેસ ટૂરિઝમ વિશ્વ કક્ષાએ અવ્વલ નંબરે આવે છે. નિસર્ગોપચાર, યોગ, આયુર્વેદ અને વૈદિક ઉપચારોની આ ભૂમિમાં વિશ્વ કક્ષાની હસ્તીઓ તનમનથી રિચાર્જ થવા ભારત આવે છે અને ખરા અર્થમાં રિચાર્જ થાય છે; હળવાફુલ અને તાજા-માજા થાય છે અને તદ્દન નવી ઊર્જાથી ફરી પોતાને કામે ચડે છે. આવા રિજૂવેનેટિંગ અનુભવમાં નેચરોપેથી એટલે કે નિસર્ગોપચારનો ફાળો અનેક ગણો છે. આ નિસર્ગોપચાર કોઈ જાતની શસ્ત્રક્રિયા અને દવાઓ વગરનો એવો ઉપચાર છે જે એવું કહે છે કે આપણી પ્રકૃતિમાં જ આપણા શરીરનાં દર્દ મટાડવાની અમાપ શક્તિ પડેલી હોય છે. શુદ્ધ હવા-પાણી, પ્રકાશ અને ભોજનથી આપણે જાતે જ આપણી સારવાર કરવા સક્ષમ છીએ. યોગ્ય આહાર-વિહારનો પાયો નાખી શરીર-મનની સ્વસ્થતાનું પ્રસન્ન ઘર બાંધતાં આવા નિસર્ગોપચાર ના અનેક ઉત્તમ સેન્ટર્સ ભારતના ‘વૅલનેસ' ડેસ્ટિનેશન્સ છે જેમાં જિંદાલ નેચરચૂર સંસ્થા વર્થ બિઇંગ એટની યાદીમાંનું એક છે.
‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સીઝ’ના નામથી સુવિખ્યાત આ નિસર્ગોપચાર સંસ્થા બેંગ્લોર ઍરપોર્ટથી ઉત્તર-પશ્ચિમે ૨૭ કિ.મી. દૂર રહેલા જિંદાલ નગરમાં આવેલી છે. બેંગ્લોર રેલવે સ્ટેશનથી ૧૭ કિ.મી.ના અંતરે પાર્લે-જી બિસ્કિટ ફેક્ટરી આસપાસ લૉકેટ થયેલા આ વૅલનેસ સેન્ટરમાં ઑક્ટોબરથી ફેબ્રુઆરીની ખુશનુમા ઋતુમાં જવું હોય તો ત્રણેક મહિના અગાઉ ઓનલાઇન એડવાન્સ બુકિંગ કરાવી આપણે આપણા જીવનના એકાદ શિયાળાને એક લાંબી હગ આપી તદ્દન નવી નક્કોર ઊર્જાથી ભરી શકીએ છીએ.
Esta historia es de la edición December 09, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 09, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?
વાયરલ પેજ
એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં
ચર્નિંગ ઘાટ
પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?
એનાલિસિસ
નવી સરકાર કોની હશે અને કેવી હશે?
રાજકોટનો અગ્નિકાંડ
હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.