ઈતિહાસ અંતર્ગત આપણને અનેક મહાન શાસકો વિશે, રાજાઓ અને તેમનાં ભવ્ય સામ્રાજ્ય વિશે જણાવવામાં આવે છે. શહેર વચ્ચે અણનમ ઊભેલાં સ્થાપત્યો વિશે જણાવવામાં આવે છે. ત્યાં સુધી કે આપણા પાઠ્યક્રમમાં પણ આ પ્રકારની બાબતોને જ વધારે મહત્ત્વ આપવામાં આવે છે, પરંતુ રાજાઓ દ્વારા નિર્માણ પામેલાં આ પ્રકારનાં ભવ્યાતિભવ્ય સ્થાપત્યોના કીર્તિગાનમાં શહેરોથી દૂર આવેલાં એવાં પૌરાણિક સ્થળો સદંતર નજરઅંદાજ થાય છે, જે પ્રકૃતિની નિશ્રામાં સદીઓથી પોઢેલાં છે. ત્રિપુરાનાં ગાઢ જંગલો વચ્ચે આવેલું આવું જ એક અદ્ભુત સ્થળ એટલે ‘ઉનાકોટિ’.
‘ઉનાકોટિ’ શબ્દનો અર્થ સમજવા જેવો છે. કોટિ એટલે કરોડ, તે પ્રમાણે બંગાલી શબ્દ – ઉનાકોટિ એટલે, એક કરોડમાં એક ઓછું. ૧૫૦ એકરમાં ફેલાયેલા આ સ્થળે એક કરોડમાં એક ઓછી એટલે કે ૯૯,૯૯,૯૯૯ મૂર્તિઓ આવેલી છે. તેથી જ આ સ્થળ ‘ઉનાકોટિ’ નામથી પ્રચલિત થયું છે.
પૂર્વોત્તર ભારતના ત્રિપુરાની રાજધાની અગરતલાથી ૧૮૫ કિ.મી. અને કૈલાસહરથી ૮ કિ.મી.ના અંતરે આવેલા આ સ્થળને ત્યાંની સ્થાનિક ભાષા ‘કોકબોરોક’માં ‘સુબ્રાઇ ખુંગ’ પણ કહે છે. માનવ વસાહતોથી સુદૂર રઘુનંદન પર્વતોની વિશાળ શિલાઓ પર દેવીદેવતાઓની અનેક મૂર્તિઓના સમૂહ આશ્ચર્યની સાથે રહસ્ય પણ ઉપજાવે છે.
Esta historia es de la edición May 27, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 27, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?