‘સપૂત’ કૃષ્ણલાલ શ્રીધરાણીનો સાહિત્ય 'વડલો'
ABHIYAAN|September 24, 2022
મોટા ભાગે કવિ તરીકે ઓળખાતા પરંતુ અંગ્રેજી લેખક, પત્રકાર, અને ચિંતક એમ બહુઆયામી વ્યક્તિત્વના ધણી એવા કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્યસંગ્રહો અને વિશેષરૂપે અમેરિકામાં રહીને તેમણે લખેલા લેખો અને પુસ્તકોએ એક અલગ છાપ છોડી છે. તેમની જન્મજયંતી ૧૬ સપ્ટેમ્બરે છે. એ નિમિત્તે શ્રીધરાણીની શબ્દસૃષ્ટિમાં એક લટાર મારીએ.
આર્જવ પારેખ
‘સપૂત’ કૃષ્ણલાલ શ્રીધરાણીનો સાહિત્ય 'વડલો'

આવવું ન આશ્રમે – મળે નહિ સ્વતંત્રતા!

જંપવું નથી લગાર – જો નહિ સ્વતંત્રતા!

સ્નેહ, સૌખ્ય સૌ હરામ – ના મળે સ્વતંત્રતા!

જીવવું મર્યા સમાન – ના યદિ સ્વતંત્રતા!

ભારતની આઝાદી માટે એક લડવૈયામાં કેવી પ્રબળ ઝંખના હોય એ કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીના આ શબ્દોમાં જ દેખાઈ આવે છે. વળી આ ‘સપૂત’ કાવ્ય એ વાતનો પુરાવો છે કે કૃષ્ણલાલ શ્રીધરાણી જેટલા શ્રેષ્ઠ કવિ હતા તેટલા જ અગ્રણી સ્વાતંત્ર્ય સૈનિક હતા. ૧૯૧૧માં ભાવનગર જિલ્લાના ઉમરાળામાં જન્મેલા શ્રીધરાણીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ વતનમાં જ લીધું હતું. માધ્યમિક શિક્ષણ ભાવનગરની દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાં. ત્યાર બાદ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ આવ્યા અને પછી ગાંધીજીના સંપર્કમાં આવતા સ્વતંત્રતા સંગ્રામમાં ખૂબ અગ્રણી ભૂમિકા ભજવી. ઐતિહાસિક દાંડીકૂચ માટે જે ૭૯ સ્વતંત્રતા સેનાનીઓને ગાંધીજીએ પોતાની સાથે લીધા હતા તેમાના એક કૃષ્ણલાલ શ્રીધરાણી હતા. ગાંધીજીને ‘જુવાન ડોસલો' ઉપનામ આપનાર પણ કૃષ્ણલાલ શ્રીધરાણી જ. તેઓ એવા કવિ હતા જેમણે આઝાદીની લડત હેઠળ કારાવાસ પણ વેઠ્યો હતો. ઘરાસણા ખાતેથી તેમની ધરપકડ થઈ હતી અને તેમણે ઘણો સમય નાસિક જેલમાં વિતાવ્યો હતો. ત્યાર ૧૯૩૧ની તેઓ બાદ સાલમાં શાંતિનિકેતનમાં ગયા અને ત્યાંથી જ સ્નાતક થયા. એવું કહેવાય છે કે રવીન્દ્રનાથ ટાગોરની સલાહથી તેઓ વધુ અભ્યાસ કરવા માટે અમેરિકા ગયા હતા. ભાવનગર રાજ્યએ તેમને વધુ અભ્યાસ અર્થે વિદેશ જવા માટે મદદ કરી હતી. સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજકીય તત્ત્વજ્ઞાન જેવા વિષયો પર તેમણે અમેરિકામાં મહારત હાંસલ કરી હતી. તે સિવાય કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી એમ.એસ. પણ કર્યું હતું.

Esta historia es de la edición September 24, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición September 24, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024