નવોદિત લેખકો, વાર્તાકારો, નાટ્યકારો, ચિત્રકારોની શિબિર, વર્કશૉપ્સ કે કૅમ્પ અવારનવાર યોજાતાં જ રહેતાં હોય છે, પણ મુંબઈનાં નાયકદંપતી દ્વારા શરૂ થયેલી શિબિર નામે સાહચર્ય જરા વેગળી છે. અધ્યાપક દંપતી ભરત નાયક-ગીતા નાયક દ્વારા યોજાતી આ શિબિરમાં સાહચર્યની ત્રિવેણી રચાય છે, કેમ કે આ સાહચર્ય પતિ-પત્નીનું છે, મિત્રોનું છે, કળા-સાહિત્યનું છે.
૧૯૮૮માં મુંબઈના પરા ઘાટકોપરમાં નાયકદંપતીના એક રૂમ-રસોડાના ઘરમાંથી આ સાહિત્યયજ્ઞ આરંભાયો. એમણે ગુજરાતી સાહિત્ય-કળાનું સામયિક ગદ્યપર્વ શરૂ કર્યું એ સાથે જ સાહચર્ય શિબિરની પણ શરૂઆત કરી, જેમાં કવિ કમલ વોરા, નાટ્યલેખક નૌશિલ મહેતા, નાટ્યકર્મી મનોજ શાહ, ચિત્રકાર-લેખક ગુલામ મોહમ્મદ શેખ, ચિત્રકાર અતુલ ડોડિયા, ચિત્રકાર સ્વર્ગીય ભૂપેન ખખ્ખર, સર્જક પ્રબોધ પરીખ, વાર્તાકાર હિમાંશી શેલત, કિરીટ દૂધાત, હર્ષદ ત્રિવેદી, નાટ્યકર્મી મહેન્દ્ર જોશી, અજય સરવૈયા, વગેરે વગેરે અનેક સર્જક જોડાયાં. જે આમાં જોડાય એ સતત ત્રણ દિવસ સાથે રહીને લેખન કરે, પઠન કરે, સાહિત્ય, કળાવિષયક ચર્ચા કરે. કોઈ નવું લખે, તો કોઈ અધૂરું લખેલું પૂરું કરે, તો કોઈ નવું આયોજન કરે.
૧૯૮૮માં સાહચર્યનું પહેલું મિલન સંત બાલાજીના પાલઘર નજીક ચીંચણીમાં આવેલા આશ્રમમાં થયું હતું. એ પ્રથમ મિલન હતું એટલે બધાને કુતૂહલ અને ઉત્સુકતા હતી કે જુદાં જુદાં ક્ષેત્રના સર્જકો સાથે રહીને સર્જન કરશે કે પછી એ એક મેળો બની રહેશે? જો કે આજે એ યાદ કરતાં દરેક જણ એકસૂરે કહે છે કે સાહચર્યનો આનંદ એવો આવ્યો કે બીજા વરસની આતુરતાપૂર્વક રાહ જોવાતી. એને યાદ કરતાં જાણીતા ચિત્રકાર ગુલામ મોહમ્મદ શેખ કહે છેઃ ‘સાહચર્યની પહેલી બેઠકમાં આશ્રમની એક ઓરડીની બહાર જૂતાં અને અહં ઉતારવાનો સંદેશ ભૂપેન ખખ્ખરની દાઢે-મોઢે ચડ્યો હતો. પાછળથી એ યાદગીરીને અતુલ ડોડિયાએ એક ચિત્ર રૂપે કંડારી હતી.’
Diese Geschichte stammt aus der May 13, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 13, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.
અવરોધો ઊભા કરવાની કળા
ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.