એક તરફ ગુજરાતી રંગભૂમિ અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે ત્યારે સુરતમાં એનો કંઈ જુદો મિજાજ છે. સુરતની રંગભૂમિનો ઈતિહાસ ઘણો પુરાણો છે. રંગભૂમિનું પ્રથમ મૌલિક નાટક લખાઈને છપાયું એ સુરતનું હતું. નગીનદાસ તુળજારામ મારફતિયાએ લખેલા આ નાટકનું નામ હતું: ગુલાબ. જાણીતા નાટ્યલેખક ચંદ્રવદન ચીમનલાલ મહેતા ઉર્ફે ચં.ચી.ની આ જન્મભૂમિએ વર્ષોથી રંગભૂમિની સેવા કરી છે, કરી રહી છે. નાટ્યસંવર્ધન માટે જે જે પ્રવૃત્તિ સુરતમાં થઈ રહી છે એવી બીજે ભાગ્યે જ જોવા મળે.
સુરતના પીઢ નાટ્યકાર કપિલદેવ શુક્લ ચિત્રલેખાને કહે છેઃ ‘સુરતની રંગભૂમિના આરંભમાં, ૧૮૫૩માં જે નાટકો ભજવાયાં એ ફોર્થ વૉલ નાટકની શરૂઆત હતી. એ અગાઉ ૧૪મી સદીમાં પણ નાટકની ભજવણી થતી. અસાઈત ઠાકરે એ સમયમાં ૩૬૫ જેટલા ભવાઈ વેશ લખ્યા હતા. ખુલ્લા પટમાં ભજવાતાં આ નાટકોમાં રામલીલા, કૃષ્ણલીલા, ભવાઈ, નૃત્ય, સંગીત, રાસધારી ખેલ, વગેરેનો સમાવેશ થતો. બાદમાં દીવાલો વચ્ચે ભજવાતાં નાટક આવ્યાં, જેમાં પડદો પણ હતો. આમ ૧૮૫૦ના દાયકામાં થિયેટરમાં ભજવાતાં નાટકની શરૂઆત થઈ. સુરતમાં પણ એ જ અરસામાં વાયા મુંબઈ નાટકો સુરતમાં આવ્યાં. સુરતમાં પ્રથમ વખત ૧૮૬૧માં શેક્સપિયરનું ધ ટેમિંગ ઑફ ધ બ્રુનું ગુજરાતી ભાષાંતર નઠારી ફિરંગણ ઠેકાણે આણી ભજવાયું હતું. જો કે એ પહેલાં પણ નાટક ભજવાયાં છે, પણ એનું દસ્તાવેજીકરણ નથી.
Diese Geschichte stammt aus der April 01, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 01, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રકૃતિ, પાણી, પર્યાવરણનું આમ કરો જતન...
સ્વાર્થી માનવની વિધ્વંસક પ્રવૃત્તિને કારણે પૃથ્વી રસાતળ જઈ રહી છે ત્યારે દેશ-દુનિયાના વિચારવંત લોકોએ ધરતીને બચાવવા કમર કસી છે. જળ, જમીન ને વાયુ જેવાં કુદરતી પરિબળોને પૂરતો આદર આપ્યા વિના આ કામ થાય એમ નથી. મુંબઈ–ગુજરાતના કેટલાક પર્યાવરણવીરો જ નહીં, પણ અમુક સરકારી વિભાગો પણ જોમ-જુસ્સાથી અવનિને આબોહવાની વિષમતામાંથી ઉગારવાના પ્રયાસોમાં લાગેલા છે. એક ઝલક એમની ભગીરથ ઝુંબેશની.
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.