ગુજરાતના ઐતિહાસિક શહેર અમદાવાદને અનેકવિધ પ્રવૃત્તિમાં સફળતાસિદ્ધિ બદલ એવૉર્ડ-પુરસ્કાર મળ્યા. થોડાં વર્ષથી અમદાવાદની આગવી ઓળખ બનીઃ વર્લ્ડ હેરિટેજ સિટી... સ્માર્ટ સિટી.
સ્માર્ટ સિટી તરીકે પણ અમદાવાદને છ વર્ષમાં ૩૪ એવૉર્ડ-સમ્માન મળ્યાં. એમાં નોંધપાત્ર ગણો તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મુના હસ્તે પણ એવૉર્ડ મળ્યા. બન્ને મહાનુભાવના હસ્તે સમ્માન મેળવનારું દેશનું પ્રથમ સ્માર્ટ સિટી અમદાવાદ.
દેશમાં સ્માર્ટ સિટી બનાવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો છે. એમણે વિદેશનાં અદ્યતન સુવિધાયુક્ત મહાનગરોની જેમ દેશમાં પસંદગીનાં શહેરોને વિકસાવીને નાગરિક સુવિધા સરળ, સુગમ અને પરિણામદાયી બનાવવા તથા દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપવા ૨૫ જૂન, ૨૦૧૫ના રોજ સ્માર્ટ સિટી મિશન લૉન્ચ કર્યું. પ્રથમ ચરણમાં જાન્યુઆરી, ૨૦૧૬એ જાહેર કરેલાં વીસ સ્માર્ટ સિટીમાં ગુજરાતના એકમાત્ર અમદાવાદનો સમાવેશ થયો. પછી ઉમેરાયાં ગુજરાતનાં વધુ પાંચ શહેરઃ વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર અને દાહોદ. એમાં સ્માર્ટ સિટી અમદાવાદને નામના મળી. આવો, કરીએ ગુજરાતના પ્રથમ સ્માર્ટ સિટીની સફર.
| અમદાવાદની સિટી બસમાં મૂકેલા કૅમેરા, બસ પસાર થાય એ રસ્તા પર રખડતાં ઢોર, ઊભરાતી કચરાપેટી, ખાડા, હેલ્મેટ વગરના
અંદાજે ૪૮૦ ચોરસ કિલોમીટર વિસ્તાર અને સિત્તેર લાખની વસતિ ધરાવતા અમદાવાદને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને (એએમસીએ) સાત ઝોન અને ૪૮ વૉર્ડમાં વિભાજિત કર્યું તથા શહેરને સ્માર્ટ સિટી બનાવવા વર્ષ ૨૦૧૬માં સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ કંપની સ્થાપીને સેફ ઍન્ડ સિક્યોર અમદાવાદ અંતર્ગત પાલડી ખાતે પંદર કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ સેન્ટર સાથેનું નવું ભવન બનાવ્યું. ૨૦૧૮માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ એનું લોકાર્પણ કર્યું હતું.
ભવનના ત્રીજા માળે બનાવેલા કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ સેન્ટર (અથવા ઈન્ટિગ્રેટેડ કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ સેન્ટર)માં ૨૭ ટીવી ધરાવતી ૨૭ ફૂટ લાંબી વિડિયો વૉલ છે. સામેની બાજુએ ત્રીસેક કમ્પ્યુટર ઑપરેટર બેસે. સેન્ટર ચોવીસ કલાક અને સાત દિવસ ચાલુ રહે.
Diese Geschichte stammt aus der March 18, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 18, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.