મહિને એક તરફ વિક્રમ સંવત ૨૦૮૦ના આગમનને વધાવવા દેશભરમાં દિવાળી ધામધૂમથી ઊજવાઈ રહી હતી, ૨૦૨૩નો ક્રિકેટ વર્લ્ડ કપ ભારતીય ટીમ હસ્તગત કરે એ આશાનું કિરણ દેખાઈ રહ્યું હતું ત્યારે ઉત્તરાખંડમાં ટનલ ખોદવાનું કામ કરી રહેલા ૪૧ મજૂર કાટમાળ પાછળ ફસાતાં એમની સામે અંધકાર છવાઈ ગયો.
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા રોડ પ્રોજેક્ટ અંતર્ગત સિલ્ક્યારા ટનલ ખોદવાનું કામ ચાલી રહ્યું હતું એ વખતે આ અકસ્માત સર્જાયો. સિલ્ક્યારા અને દંડલગાંઉ વચ્ચે બની રહેલી આશરે સાડા ચાર કિલોમીટર લાંબી ટનલનો અમુક હિસ્સો ધસી પડ્યો, એને પરિણામે ટનલમાં ૨૦૦ મીટર ઊંડે ૪૧ મજૂરો ફસાઈ ગયા. આ ઘટના ૧૨ નવેમ્બરની. એના નવ દિવસ (૨૧ નવેમ્બર) પછી પણ એ શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી નથી. બચાવકાર્ય હજી ચાલી રહ્યું છે અને દિલ્હીથી ખાસ નિષ્ણાતોની ટીમ બોલાવવામાં આવી છે, જે ટનલના મુખ પાસે ખોદકામ કરી મજૂરો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
દુર્ઘટના બની એ દિવસથી ટીવી-સમાચાર અને અખબારોમાં આ ટનલમાં અંદર પ્રવેશવાના રસ્તાની તસવીર સતત ઝળકી રહી છે એ સિલ્ક્યારા તરફથી બોગદાની એન્ટ્રીની છે. અહીંથી ૨૦૦ મીટર અંદર બોગદામાં ચાલતાં જઈએ તો પેલા કમનસીબ શ્રમિકો મળે, પણ આ ૨૦૦ મીટરનું અંતર કાપવું સહેલું નથી, કારણ કે વાટમાં ખૂબ બધો કાટમાળ ફેલાયેલો છે. એટલો કે એણે બોગદાનું મોઢું લગભગ બંધ કરી દીધું છે.
ટનલનો અમુક હિસ્સો ધસી પડવાથી એમાં કાટમાળ છવાઈ થયો એ પછી છેક નવમે દિવસે અંદર ફસાઈ ગયેલા મજૂરોના ચહેરા જોવા મળ્યા.
Diese Geschichte stammt aus der December 04 , 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 04 , 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!
નવા નાણાકીય વરસના પહેલા મહિનામાં જીએસટીનું કલેક્શન બે લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી જવાનાં ગુણગાન ભલે ગવાયાં, પરંતુ આ ટૅક્સ પાછળની દાસ્તાન કંઈક અંશે કરુણ બનતી જાય છે. કહેવાય છે કે અત્યારની મોંઘવારીમાં જીએસટીના બોજનો ફાળો પણ છે. મોટા ભાગની પ્રજા આ વેરાના બોજ હેઠળ દબાઈ રહી છે. સરકારે આ વિષયમાં વ્યવહારદક્ષતા દાખવવાની જરૂર છે.
ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!
સ્વાર્થી પ્રેમ ઑથોરિટેરિયન, બિન-લોકતાંત્રિક અને બેરહેમ છે. એનો સંહાર એના સર્જન કરતાંય ગજબનો છે. એ ગરજે ઉદાર થાય છે અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે. આવો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. એ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.
બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક
દાઝ્યા પર બામ... અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનેક દરદીને નવજીવન આપે એ હકીકત વિશે જાગરૂકતા ધીરે ધીરે આવી રહી છે એની સાબિતી છે ગુજરાતની ત્રણ ત્વચા બૅન્ક.
ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...
માતાએ મુંબઈ-અમદાવાદથી ભાવનગર આવી બાળપ્રવૃત્તિની અહાલેક જગાવી તો દીકરીએ ભાવનગરથી બહાર નીકળી છેક ડેડિયાપાડામાં આદિવાસી બાળકો માટે ધૂણી ધખાવી
માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી
માના સંઘર્ષને પોતાનો સંઘર્ષ બનાવી દીકરીએ એની જેમ સફળતાની કેડી કંડારી... અને હવે સેવા તથા સ્વાસ્થ્ય-સમજણ માટે પણ એ જ રસ્તો અપનાવ્યો છે.
આ રાજા તો બહુ ગુણવાન છે!
ઉનાળામાં અમૃત ફળ તો ખાવાનું જ હોય, પણ એનાં ફાયદા અને જોખમ પણ જાણી લો તો કેરી વધુ સ્વાદિષ્ટ લાગશે.
ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...
નાનપણમાં મુંબઈના દરિયાકિનારે ઘોડેસવારી કરતાં કરતાં એને અશ્વો સાથે જાણે પ્રેમ થઈ ગયો. વર્ષો પછી અને લગ્ન પછી અનાયાસ એક ઘોડો પાળવાનું નક્કી કર્યું. એક પછી એક કરતાં આજે બાર ઘોડા એમના સ્ટડમાં છે. આપણે ત્યાં અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં આ મહિલા છે એમાંનાં એક.
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.
કવર સ્ટોરી
જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.