દ૨ વર્ષે ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન અને વિવિધ રાજ્યોનાં રાજભવન (ગવર્નર હાઉસ)માં ઍટ હોમ તરીકે ઓળખાતો કાર્યક્રમ યોજવાની બ્રિટિશ પરંપરા હજીય છે, જેમાં મુખ્ય મંત્રી ઉપરાંત વિવિધ ક્ષેત્રોના આમંત્રિત મહાનુભાવો અમથા જ ભેગા થાય. ચા-નાસ્તો ને થોડી ગપસપ કરીને સૌ છૂટા પડે.
ગુજરાતના રાજભવનમાં ગઈ ૧૫ ઓગસ્ટના ઍટ હોમ મેળાવડામાં એક નવતર પ્રયોગ થયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનમાં બનાવેલા સ્વામી દયાનંદ સભામંડપનું ઉદ્ઘાટન કર્યું. પછી નવનિર્મિત સભામંડપમાં આમંત્રિત મહાનુભાવો સમક્ષ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રવચન આપ્યું. કેટલાક કલાકારોએ દેશભક્તિનાં ગીતો ગાયાં. સૌને પરંપરામાં આ પરિવર્તન ગમ્યું. ગુજરાતની આ પ્રથમ અને દેશની બીજી ઘટના. પરંપરામાં આવકારદાયક પરિવર્તનની પહેલી ઘટના હિમાચલ માં બની હતી.
ગુજરાત અગાઉ ૨૦૧૫માં આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ નિમાયા હતા. એ કહે છેઃ ‘હિમાચલમાં ૧૫ ઓગસ્ટે રાજભવન માં ઍટ હોમ કાર્યક્રમમાં મહાનુભાવો ચા-પાણી કરીને જતા રહ્યા ત્યારે જ એ પરંપરામાં ફેરફાર લાવવાનું મેં નક્કી કર્યું હતું. પછી ૨૬ જાન્યુઆરીના ઍટ હોમ મેળાવડામાં અમે દેશભક્તિનાં ગીતોનો કાર્યક્રમ યોજ્યો હતો.'
જુલાઈ, ૨૦૨૦માં દેવવ્રતજી ગુજરાતના ગવર્નર બન્યા. એ પછી ગાંધીનગર યોજાતા ઍટ હોમ કાર્યક્રમમાં દેશભક્તિનાં ગીતો ગુંજ્યાં, પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ થયો તથા વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ, વગેરે વિશે વ્યાખ્યાન પણ યોજાયાં.
રાસાયણિક ખેતીનાં દુષ્પરિણામો વ્યાપક બનતાં હવે જમાનો પ્રાકૃતિક કૃષિનો આવ્યો છે. આ પ્રકારની કૃષિની ઝુંબેશ ચલાવતા આચાર્ય દેવવ્રત દેશના પ્રથમ ગવર્નર છે. આ વિષયના વિશદ્ વાંચન અને ખેતીના અનુભવના આધારે એ તજ્ઞભાવે પ્રાકૃતિક કૃષિની વાતો કરે ત્યારે ખેડૂતો, કૃષિવિજ્ઞાનીઓ, અભ્યાસુઓ બધા દંગ રહી જાય.
Diese Geschichte stammt aus der December 04 , 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 04 , 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!
નવા નાણાકીય વરસના પહેલા મહિનામાં જીએસટીનું કલેક્શન બે લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી જવાનાં ગુણગાન ભલે ગવાયાં, પરંતુ આ ટૅક્સ પાછળની દાસ્તાન કંઈક અંશે કરુણ બનતી જાય છે. કહેવાય છે કે અત્યારની મોંઘવારીમાં જીએસટીના બોજનો ફાળો પણ છે. મોટા ભાગની પ્રજા આ વેરાના બોજ હેઠળ દબાઈ રહી છે. સરકારે આ વિષયમાં વ્યવહારદક્ષતા દાખવવાની જરૂર છે.
ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!
સ્વાર્થી પ્રેમ ઑથોરિટેરિયન, બિન-લોકતાંત્રિક અને બેરહેમ છે. એનો સંહાર એના સર્જન કરતાંય ગજબનો છે. એ ગરજે ઉદાર થાય છે અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે. આવો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. એ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.
બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક
દાઝ્યા પર બામ... અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનેક દરદીને નવજીવન આપે એ હકીકત વિશે જાગરૂકતા ધીરે ધીરે આવી રહી છે એની સાબિતી છે ગુજરાતની ત્રણ ત્વચા બૅન્ક.
ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...
માતાએ મુંબઈ-અમદાવાદથી ભાવનગર આવી બાળપ્રવૃત્તિની અહાલેક જગાવી તો દીકરીએ ભાવનગરથી બહાર નીકળી છેક ડેડિયાપાડામાં આદિવાસી બાળકો માટે ધૂણી ધખાવી
માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી
માના સંઘર્ષને પોતાનો સંઘર્ષ બનાવી દીકરીએ એની જેમ સફળતાની કેડી કંડારી... અને હવે સેવા તથા સ્વાસ્થ્ય-સમજણ માટે પણ એ જ રસ્તો અપનાવ્યો છે.
આ રાજા તો બહુ ગુણવાન છે!
ઉનાળામાં અમૃત ફળ તો ખાવાનું જ હોય, પણ એનાં ફાયદા અને જોખમ પણ જાણી લો તો કેરી વધુ સ્વાદિષ્ટ લાગશે.
ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...
નાનપણમાં મુંબઈના દરિયાકિનારે ઘોડેસવારી કરતાં કરતાં એને અશ્વો સાથે જાણે પ્રેમ થઈ ગયો. વર્ષો પછી અને લગ્ન પછી અનાયાસ એક ઘોડો પાળવાનું નક્કી કર્યું. એક પછી એક કરતાં આજે બાર ઘોડા એમના સ્ટડમાં છે. આપણે ત્યાં અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં આ મહિલા છે એમાંનાં એક.
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.
કવર સ્ટોરી
જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.