ખુલ્લા અવાજે વાગતાં દોકડ (તબલાં), કાસીજોડાં (ઝાંઝ), પેટીવાજું (હાર્મોનિયમ) અને ભૂંગળના સથવારે ચાર-પાંચ પુરુષો સ્તુતિ કરેઃ
પાય પડું પરમેશ્વરી મા પ્રેમે લાગું પાય, હાથ જોડું હરખે કરી મા શંખલપુરની રાય...
સ્તુતિ પૂરી થતાં જ કલાકારો, દર્શકો સૌ ભાવભેર શીશ નમાવે અને ગુંજવા માંડે ગીતોઃ લંકર શંકર ભોલરિયા આવે મહારાજ રે, હાથમાં રે ફૂલછાબડી ને મારાં ફૂલ વેરાતાં જાય..., કાબો મારો કોણે માર્યો, માણિગરના વીરાને કોણે માર્યો, ભામણ ભાગી જાજે રે વાંહે કાબો આવે છે...
દર્શકો ખુશ થઈ જાય. ત્રણેક દાયકા પહેલાં આવાં દશ્યો ઠેર ઠેર જોવા મળતાં. નવરાત્રિમાં જેટલો ઉત્સાહ ગરબાનો રહેતો એટલો જ આ ભવાઈ–વેશ, દેશી નાટકોનો પણ રહેતો. આજે આ લોકકળા મરવાના વાંકે જીવી રહી છે. કહી શકાય કે મા જગદંબા જ હજી જિવાડી રહી છે.
કથાકાર અસાઈત ઠારે 350થી વધુ ભવાઈવેશ લખ્યા. એમાંથી કેટલાક મૂળ સ્વરૂપે તો અમુક છુદાં જ રૂપ-રંગ સાથે ભવાઈ રહ્યા છે.
૧૯૯૦ પછી જન્મેલી પેઢી માટે તો આ ભવાઈ-વેશ એટલે રંગલા-રંગલીનાં પાત્ર અને બોલચાલમાં ભવાઈ શબ્દનો થતો સાચોખોટો ઉપયોગ એટલો જ પરિચય હોઈ શકે, પરંતુ ત્રણ દશક પૂર્વે આ ભવાઈ અને દેશી નાટકોનો હાલની સાઉથની બ્લૉકબસ્ટર ફિલ્મ જેવો જ દબદબો ગામના પાદર, ચોરે કે શહેરના ચોકમાં રહેતો અને એ પણ સાર્વજનિક અને વિનામૂલ્યે તે કેમ ભૂલી શકાય?
ગુજરાતની આ લોકનાટ્યકળા ૭૦ વર્ષ જૂની છે. ભવાઈ-વેશ એ લોકકળા સ્વરૂપે સમગ્ર ગુજરાતમાં પ્રસરી, પરંતુ એનું ઉદ્ભવસ્થાન ઊંઝા છે. આ નાટ્યકળા ભવાઈની શરૂઆત અસાઈત ઠાકર નામના કવિ-કથાકાર બ્રાહ્મણે કરી હતી. જ્ઞાતિ દ્વારા સામાજિક બહિષ્કાર બાદ એ પૂર્ણપણે સર્જન તરફ વળ્યા. ૩૬૦થી વધુ ભવાઈ–વેશ એમણે લખ્યા અને પોતાના ત્રણ પુત્રો સાથે ભજવ્યા. આ પૈકીના મોટા ભાગના હવે અપ્રાપ્ય છે તો કેટલાક મૂળ સ્વરૂપે તો કેટલાક વેશ કંઈક જુદા જ સ્વરૂપે, નવાં રૂપ-રંગ સાથે ભજવાઈ રહ્યા છે.
Diese Geschichte stammt aus der November 20-27, 2023 - Diwali-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 20-27, 2023 - Diwali-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.