જ્યાં પથ્થર પર સફળ કારકિર્દીની લકીર ખેંચે છે યુવાનો..
Chitralekha Gujarati|May 15, 2023
આજે પામતાં-પહોંચતાં ઘરનાં બાળકો પણ કયા ક્ષેત્રમાં કરિયર બનાવવી એ વિશે ભારે ગડમથલમાં છે ત્યારે સૌરાષ્ટ્રના એક નાના શહેરમાં મુખ્યત્વે શ્રમિક પરિવારનાં સંતાનો શિલ્પકળામાં મહારત મેળવી સારી આજીવિકા રળી રહ્યાં છે. તદ્દન નિઃશુલ્ક શિક્ષણ આપવા ઉપરાંત ગુજરાત સરકારની આ સંસ્થા સ્ટોન આર્ટને જિવાડવા પ્રશંસનીય કામ કરી રહી છે.
દેવેન્દ્ર જાની (રાજકોટ)
જ્યાં પથ્થર પર સફળ કારકિર્દીની લકીર ખેંચે છે યુવાનો..

દેશમાં ક્યાંય પણ ગુલાબી નગરીની વાત નીકળે એટલે લોકોના મોઢે રાજસ્થાનના જયપુર શહેરનું જ નામ આવે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ગુજરાતમાં પણ એક ગુલાબી નગરી છે.

એ નગર એટલે ધ્રાંગધ્રા. હા, ધ્રાંગધ્રા એ ગુજરાતના ગુલાબી શહેરની ઓળખ ધરાવે છે. ધ્રાંગધ્રામાં પ્રવેશ કરતાં જ આજે પણ અનેક ઘરની દીવાલ ગુલાબી કલરથી રંગેલી નજરે ચડે છે. જયપુરની જેમ ધ્રાંગધ્રા પણ બ્રિટિશરાજ દરમિયાન કાઠિયાવાડનું એક મહત્ત્વનું રજવાડું હતું.

આ શહેરના નામ સાથે જ એનો ઈતિહાસ જોડાયેલો છે. ધન્ગ એટલે પથ્થર અને ધરા મતલબ ધરતી. આ બન્ને શબ્દોને જોડીને આ શહેરને નામ અપાયું ધ્રાંગધ્રા. નામ સૂચવે છે એમ, આ નગરી એના પથ્થર, ખાસ તો ગુલાબી પથ્થર માટે જાણીતી છે. આજે પણ આ પંથક ગુલાબી પથ્થરોની ખાણોથી ધમધમે છે. મોઢેરાનું સૂર્ય મંદિર કે પાટણની રાણકી વાવ જ નહીં, એ પછી ભગવાન સોમનાથ, દ્વારકાનું જગત મંદિર, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર, રાજસ્થાન સહિત અનેક રાજ્યોનાં વિખ્યાત મંદિરો, રાજમહેલ અને ઐતિહાસિક ઈમારતો ધ્રાંગધ્રાના પથ્થરોથી બની છે.

રાજાશાહી વખતે ઝાલાવંશનું અહીં રાજ હતું. સુરેન્દ્રનગરથી આશરે ૫૦ કિલોમીટર દૂર વસેલું ધ્રાંગધ્રા કચ્છના નાના રણની નજીક આવેલું હોવાથી સુરક્ષાની રીતે પણ મહત્ત્વનું છે અને અહીં લશ્કરી થાણું પણ છે. ઘુડખર અભયારણ્ય પણ બાજુમાં છે. આશરે એક લાખની વસતિ ધરાવતા આ શહેરની અનેક ઓળખ છે, પરંતુ પથ્થરકળા અને શિલ્પકળા આ પંથકની એક આગવી ઓળખ બની છે. સદીઓથી અહીંના સૅન્ડસ્ટોન અને એમાંથી બનતી કળાકૃતિ દેશના અનેક ભાગોમાં મોકલવામાં આવે છે.

- અને છેલ્લા દાયકા કરતાં વધુ સમયથી તો ધ્રાંગધ્રા પથ્થરકળા શીખવતું એક મોટું કેન્દ્ર પણ બની ગયું છે. ગુજરાત સરકારના ખાણ-ખનિજ વિભાગ સંચાલિત આ શૈક્ષણિક કેન્દ્ર વિસરાઈ રહેલી પથ્થરકળાને જીવંત રાખવા ઉપરાંત અનેક યુવાનોને કારકિર્દી ઘડવામાં પણ નિમિત્ત બન્યું છે.

આ કળાને ધબકતી રાખવા અહીંના લોકોની લાંબા સમયની માગ હતી. વર્ષ ૨૦૦૯માં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ધ્રાંગધ્રાની મુલાકાતે આવ્યા હતા. એ વખતે આધુનિક ટેક્નોલૉજીની મદદથી આ કળાને નવો મોડ આપવા અને નવી પેઢીને તૈયાર કરવા એમણે સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ (સાપ્તિ)ની સ્થાપના કરવાનો નિર્ણય લીધો અને આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.

Diese Geschichte stammt aus der May 15, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der May 15, 2023-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
Chitralekha Gujarati

સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...

આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.

time-read
5 Minuten  |
May 20, 2024
કવર સ્ટોરી
Chitralekha Gujarati

કવર સ્ટોરી

જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...

time-read
1 min  |
May 20, 2024
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
Chitralekha Gujarati

ગઢ સચવાશે કે પડશે ગાબડું?

કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.

time-read
5 Minuten  |
May 20, 2024
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
Chitralekha Gujarati

શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?

વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.

time-read
4 Minuten  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 Minuten  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી...
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી...

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 Minuten  |
May 20, 2024
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
Chitralekha Gujarati

ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...

કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.

time-read
4 Minuten  |
May 20, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’

time-read
1 min  |
May 20, 2024
અવરોધને અતિક્રમવાની મથામણ
Chitralekha Gujarati

અવરોધને અતિક્રમવાની મથામણ

શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને.                                                                   - ખલીલ ધનતેજવી

time-read
2 Minuten  |
May 20, 2024
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન  કા પતા હૈ?
Chitralekha Gujarati

KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?

બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

time-read
4 Minuten  |
May 13, 2024