તાજેતરમાં એક યુનિવર્સિટીમાં આયોજિત સ્ત્રી જાગૃતિ વિષયક સેમિનારના ઉદ્દઘાટન સત્રમાં સંબોધન કરવાનું બન્યું. પ્રસંગનું દીપ પ્રાગટ્ય જાણે જ્ઞાનપ્રકાશ લઈને આવ્યું. સેમિનારને ખુલ્લો જાહેર કરવા સાથે આદરણીય ઉદ્દઘાટક મહાશયે પોતાના ઉદ્દબોધનમાં પ્રસંગને અનુરૂપ પ્રારંભિક વિધાનો કર્યા. ભારતની નારી તો દેવી છે. તેનાં સમર્પણ, ત્યાગ અને સહનશીલતાને નમન. યા દેવી...નમતસ્યે. નવા યુગની નારીની આવડત, જાગૃતતા અને ખુમારીને સલામ. જાગૃ તતાના પ્રથમ સોપાનને તો ભારતીય નારી ક્યારનીય પાર કરી ચૂકી છે. હવે તો નારી સિદ્ધિનાં આકાશો આંબી રહી છે. તેણે લગભગ બધું જ મેળવી લીધું છે, આમ સ્ત્રીએ હાંસલ કરેલ સફળતાની સહર્ષ નોંધ લેવાઈ અને અંતે મુખ્ય વાત. એક એવા ભારતની પરિકલ્પના કે જેમાં આકાશે આંબતી સ્ત્રીની જાગૃતિ, રક્ષણ તથા સશક્તિકરણ માટે કોઈ સેમિનારો, ભાષણો કે સૂત્રોચ્ચારો ન કરવા પડે. સમાજ એટલો તો સુધરી જાય કે ક્યાંય અન્યાય હોય જ નહીં! અને તેના પરિણામે સ્ત્રી જાગૃતિ તથા રક્ષણ માટે વિમેન્સ સેલ કે પ્રોટેક્શન ઓફિસર જેવાઓની કોઈ જરૂર જ ન રહે! વાહ! કેવી ભવ્ય કલ્પના! ક્ષણાર્ધ માટે ‘જેન્ડર ડિસક્રિમિનેશન’ મુક્ત એવા આદર્શ વિશ્વની કલ્પનામાં રાચવાનું મને મન થઈ ગયું.
Diese Geschichte stammt aus der March 16, 2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 16, 2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
વાયરલ પેજ
એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં
ચર્નિંગ ઘાટ
પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?
એનાલિસિસ
નવી સરકાર કોની હશે અને કેવી હશે?
રાજકોટનો અગ્નિકાંડ
હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે