સ્પાઇન એટલે મણકાની એવી હારમાળા કે જે આપણા ધડને પગ પર અલગ-અલગ ગતિશીલતા અને સ્થિરતા અવસ્થામાં આપવાનું કામ કરે છે. આ ઉપરાંત તે spinal cord નામના જ્ઞાનતંતુના દોરડાનું રક્ષણ પણ કરે છે. હેલ્થ ચેકઅપ એટલે શરીર અથવા શરીરના કોઈ પણ અંગની સામાન્ય કે અસામાન્ય હોવા માટેની તપાસ.
આમ સ્પાઇન હેલ્થ ચેકઅપ એટલે મણકાની હારમાળાના આકાર, ગતિશીલતા અને ઘડતરનું સામાન્ય કે અસામાન્ય હોવાની તપાસ. સ્પાઇન હેલ્થ ચેકઅપમાં મણકાના આકાર, મજબૂતાઈ તથા અન્ય રોગો વિશેના સંકેતની ચકાસણી કરવામાં આવે છે.
સ્પાઇનમાં આકાર અથવા વળાંકનું મહત્ત્વ:
સમીકરણ છે RN2+1 R =મણકાની વજન સહન કરવાની ક્ષમતા N = સ્પાઇનમાં આવેલા વળાંકની સંખ્યા.
એટલે કે જો સ્પાઇનમાં કોઈ વળાંક ન હોય અને સીધી સોટી જેવી હોય તો N=0 એટલે કે સ્પાઇનની વન સહન કરવાની ક્ષમતા R નું મૂલ્ય એક હોય, પણ સ્પાઇનમાં કુલ ત્રણ વળાંક હોય છે, ગરદનનો, બરડાનો અને કમરનો. આ મુજબ N=3 અને સ્પાઇન વન સહન કરવાની ક્ષમતા R, સીધી સ્પાઇન કરતાં ૧૦ ગણી હોય છે. આમ સ્પાઇનમાં ત્રણ વળાંક હોવા જરૂરી છે. જો આમ ન હોય તો એને સ્પાઇનનો મિકેનિકલ ડિસ-એડવાન્ટેજ કહી શકાય છે. આવા ડિસએડવાન્ટેજના કારણે સ્પાઇનમાં નાના-મોટા ઘસારા કે નુકસાન થવાની શક્યતા સામાન્ય વ્યક્તિ કરતાં વહેલી ઉંમરે શરૂ થાય છે.
Diese Geschichte stammt aus der April 08, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 08, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
એનાલિસિસ
ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?
રાજકાજ
કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક
રાજકાજ
ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા
પંચામૃત
હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?