‘મારા જેવા અનેક કુલદીપ પાકિસ્તાનની જેલમાં સબડે છે'
ABHIYAAN|September 24, 2022
અમદાવાદના કુલદીપ યાદવ પાકિસ્તાનની જેલમાંથી લાંબી સજા ભોગવીને વતનમાં પરત આવતાં ઘર આંગણે આનંદ છવાયો, પણ એક ઉદાસી હજીય તેમને ઘરી વળી છે. ગયા ત્યારે યુવાન હતા અને મુક્તિ મેળવી પરત આવ્યા ત્યારે ઘડપણ એમને ઘેરી વળ્યું છે. પાકિસ્તાન તેઓ શા માટે ગયા હતા, તેમને શા માટે પકડી લેવાયા, પાક. જેલમાં તેમને કેવા અનુભવો થયા, વતન અને પરિવારની જુદાઈમાં કઈ રીતે એક-એક દિવસ પસાર કર્યો..? વગેરે પ્રશ્નોના ઉત્તર તેમની જ જુબાનીમાં અહીં પ્રસ્તુત છે.
મિલન ઠક્કર
‘મારા જેવા અનેક કુલદીપ પાકિસ્તાનની જેલમાં સબડે છે'

કુલદીપ યાદવનું વતન ઉત્તરાખંડનું દેહરાદૂન. પિતાને ONGCમાં નોકરી મળી એટલે તેઓ સપરિવાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેવા આવ્યા. કુલદીપભાઈએ અમદાવાદમાં જ સ્નાતક સુધી અભ્યાસ કર્યા બાદ સાબરમતી યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી. જોકે તેમણે વકીલ તરીકેની પ્રેક્ટિસ કરી નહીં. તેઓ ૧૯૯૧માં પાકિસ્તાન પહોંચ્યા હતા. એ વખતે તેમની ઉંમર ૨૮ વર્ષ હતી અને ૩૨ વર્ષ બાદ એટલે કે આ સપ્ટેમ્બર માસમાં ૫૯ વર્ષની ઉંમરે તેઓ વતન પરત ફર્યા છે.

તેઓ તેમના ભાઈ દિલીપ અને બહેન રેખા યાદવ સાથે અમદાવાદમાં પોતાના ઘરે આવ્યા ત્યારે ‘અભિયાન’ સાથેની વાતચીતમાં તેઓએ પોતાના જેલના અનુભવો અને પરિવારની સ્થિતિ અંગે વાત કરી હતી. અલબત્ત, તેઓ કેવી રીતે દેશની જાસૂસી સંસ્થા સાથે જોડાયા તે વિશે જણાવી શકતા નથી. તેઓ કહે છે, ‘તે માહિતી ખાનગી હોવાથી હું જાહેરમાં ન કહી શકું, પણ એટલું જરૂર કહીશ કે, હું દેશના કામ માટે ગયો હતો. હું ૧૯૯૧માં બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન પહોંચ્યો અને ભારત માટે કામ શરૂ કર્યું. ૧૯૯૪માં હું જ્યારે મારું કામ પતાવીને પરત આવતો હતો ત્યારે બોર્ડર પર પાકિસ્તાન આર્મીના હાથે પકડાઈ ગયો. અને મારી પૂછપરછ શરૂ કરવામાં આવી. એ દરમિયાન મારે અનેક યાતનાઓનો સામનો કરવો પડ્યો.’

ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરાયા. તેમના પર કેસ ચલાવવામાં આવ્યો. પાકિસ્તાનમાં ચાલેલા મુકદ્દમા અંગે તેઓ કહે છે, ‘મને પોતાના બચાવ માટે કેપ્ટન રેન્કનો (સિનિય૨) વકીલ પણ સરકારી ખર્ચે આપવામાં આવ્યો હતો. કેસ ચાલતા અઢી વર્ષ થયા અને ચુકાદો આવ્યો. ચુકાદામાં ત્યાંની કોર્ટે જાસૂસીના કેસમાં મને આજીવન કેદની સજા સંભળાવી. પાકિસ્તાનમાં આજીવન કેદનો અર્થ થાય છે પચીસ વર્ષ. આ સમગ્ર કેસની ટ્રાયલ દરમિયાન મને આર્મી કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો અને મને કોર્ટમાં લઈ જવા, લાવવાનું કામ પણ આર્મીનું જ હતું. ત્યાં મને એ જ જમવાનું મળતું જે પાકિસ્તાની ફૌજીઓને મળતું હતું. આર્મીની કસ્ટડીમાં મારા જેવા ભારતીય સહિત અનેક વિદેશી આરોપી હતા, પણ ત્યાંની વ્યવસ્થા એવી હતી કે, અમે એકબીજાને જોઈ પણ શકતા નહોતા.’

Diese Geschichte stammt aus der September 24, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der September 24, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 08/06/2024
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
ABHIYAAN

Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?

કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે

time-read
1 min  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન ગાર્ડનિંગ

હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 08/06/2024
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
ABHIYAAN

નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!

બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 08/06/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 08/06/2024
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
ABHIYAAN

કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ

મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 08/06/2024
બિંજ-થિંગ,
ABHIYAAN

બિંજ-થિંગ,

કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 08/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 08/06/2024
અવસર
ABHIYAAN

અવસર

પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?

time-read
6 Minuten  |
Abhiyaan Magazine 08/06/2024