હું એક આત્મા છું. આ સૃષ્ટિ ઉપર જન્મ લેનાર દરેક જીવ એક આત્મા છે. સૌ આત્માઓને એક જીવના રૂપે પરમાત્માએ બનાવ્યા છે. મનુષ્યએ સ્ત્રી અને પુરુષના રૂપે શરીર ધારણ કર્યાં છે. એ પરમાત્માએ મને પણ બનાવ્યો છે. તેણે મને જેવો પણ બનાવ્યો છે એ સચ્ચાઈની સાથે મારે મારું અસ્તિત્વ સ્વીકારવું છે. માત્ર સ્વીકારવું જ નથી બલ્કે મારે સચ્ચાઈની સાથે જીવવું પણ છે અને હું જો મારા પોતાના સત્યને સ્વીકારીને જીવવા ઇચ્છતો હોઉં તો મારા સત્યને સમજીને સૃષ્ટિના અન્ય જીવોએ પણ મારો સ્વીકાર કરવો પડશે.’
અમેરિકામાં રહેતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડિઆન્દ્રે રિચર્ડસનનું દુનિયાના દરેક વ્યક્તિને આ કહેવું છે. તેઓ આવું શા માટે કહે છે? આધ્યાત્મિક જ્ઞાનની જાણકારી ધરાવતા, માનવતાવાદી વિચારો સાથે જોડાયેલા અને પ્રેમમાં વિશ્વાસ ધરાવનાર તેઓ સુશિક્ષિત અને સમજદાર વ્યક્તિ છે. આમ છતાં એવી કઈ વાત છે જે તેમની ભાવનાઓને સમજ્યા વિના તેમની સાથે જોડાયેલ એ સત્યનો સ્વીકાર નથી કરી રહી. જે માટે તેમણે અન્ય દેશોની માફક ભારત સરકાર પાસે પણ ચાયની અપેક્ષા રા જે તેમની સાથે જોડાયેલા સત્યને સ્વીકારે. તેમની આ જ વાતને સમજવા માટે ‘અભિયાને’ અમેરિકામાં તેમનો સંપર્ક કર્યો. ડિઆન્દ્રે રિચર્ડસન અને તેમના પતિ એટલે ગુજરાતના રાજપીપળાના રાજવી પરિવારના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ સાથે વાત કરીને તેમની ભાવનાઓ વાચકો સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો.
તેઓ એક સમલૈંગિક દંપતી છે જેમાં પુરુષ અને પુરુષ વચ્ચે લગ્ન થતાં હોય છે. આવા દંપતી એકબીજાના પરિચય પતિના રૂપે આપતા હોય છે. ભારતમાં આ પ્રકારનાં લગ્નને માન્યતા નથી, પરંતુ અમેરિકામાં સમલૈંગિક યુગલને લગ્ન કરવાની છૂટ છે. ૬ જુલાઈ, ૨૦૧૩ના દિવસે ડિઆન્દ્રે રિચર્ડસન અને માનવેન્દ્રસિંહનાં લગ્ન થયાં હતાં. આ ૬ જુલાઈએ એમનાં લગ્નને નવ વર્ષ પુરાં થયાં. લગ્નની આ વર્ષગાંઠ ઊજવવા તેઓ દુનિયાને સંદેશ આપવા ઇચ્છતા હતા કે અમને પણ અમારા અસ્તિત્વ સાથે જીવવાની ઇચ્છા છે. અમે પણ એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમે બંને પુરુષ હોવા છતાં પણ એકબીજાના જીવનસાથી છીએ. અમે આ સંબંધને જીવન પર નિભાવવા માગીએ છીએ. પોતાની ભાવનાઓને આ દંપતીએ સોશિયલ મીડિયા મારફતે વ્યક્ત કરી ત્યારે દુનિયાના અનેક લોકો ચકિત થઈ ગયા. અનેકને એ વિકૃતિ લાગી તો કોઈએ એમના પ્રત્યે નફરત કરી, તો કોઈએ એમને સહકાર પણ આપ્યો.
Diese Geschichte stammt aus der August 13, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 13, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન