દ૨ વર્ષે ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન અને વિવિધ રાજ્યોનાં રાજભવન (ગવર્નર હાઉસ)માં ઍટ હોમ તરીકે ઓળખાતો કાર્યક્રમ યોજવાની બ્રિટિશ પરંપરા હજીય છે, જેમાં મુખ્ય મંત્રી ઉપરાંત વિવિધ ક્ષેત્રોના આમંત્રિત મહાનુભાવો અમથા જ ભેગા થાય. ચા-નાસ્તો ને થોડી ગપસપ કરીને સૌ છૂટા પડે.
ગુજરાતના રાજભવનમાં ગઈ ૧૫ ઓગસ્ટના ઍટ હોમ મેળાવડામાં એક નવતર પ્રયોગ થયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનમાં બનાવેલા સ્વામી દયાનંદ સભામંડપનું ઉદ્ઘાટન કર્યું. પછી નવનિર્મિત સભામંડપમાં આમંત્રિત મહાનુભાવો સમક્ષ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રવચન આપ્યું. કેટલાક કલાકારોએ દેશભક્તિનાં ગીતો ગાયાં. સૌને પરંપરામાં આ પરિવર્તન ગમ્યું. ગુજરાતની આ પ્રથમ અને દેશની બીજી ઘટના. પરંપરામાં આવકારદાયક પરિવર્તનની પહેલી ઘટના હિમાચલ માં બની હતી.
ગુજરાત અગાઉ ૨૦૧૫માં આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ નિમાયા હતા. એ કહે છેઃ ‘હિમાચલમાં ૧૫ ઓગસ્ટે રાજભવન માં ઍટ હોમ કાર્યક્રમમાં મહાનુભાવો ચા-પાણી કરીને જતા રહ્યા ત્યારે જ એ પરંપરામાં ફેરફાર લાવવાનું મેં નક્કી કર્યું હતું. પછી ૨૬ જાન્યુઆરીના ઍટ હોમ મેળાવડામાં અમે દેશભક્તિનાં ગીતોનો કાર્યક્રમ યોજ્યો હતો.'
જુલાઈ, ૨૦૨૦માં દેવવ્રતજી ગુજરાતના ગવર્નર બન્યા. એ પછી ગાંધીનગર યોજાતા ઍટ હોમ કાર્યક્રમમાં દેશભક્તિનાં ગીતો ગુંજ્યાં, પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ થયો તથા વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ, વગેરે વિશે વ્યાખ્યાન પણ યોજાયાં.
રાસાયણિક ખેતીનાં દુષ્પરિણામો વ્યાપક બનતાં હવે જમાનો પ્રાકૃતિક કૃષિનો આવ્યો છે. આ પ્રકારની કૃષિની ઝુંબેશ ચલાવતા આચાર્ય દેવવ્રત દેશના પ્રથમ ગવર્નર છે. આ વિષયના વિશદ્ વાંચન અને ખેતીના અનુભવના આધારે એ તજ્ઞભાવે પ્રાકૃતિક કૃષિની વાતો કરે ત્યારે ખેડૂતો, કૃષિવિજ્ઞાનીઓ, અભ્યાસુઓ બધા દંગ રહી જાય.
هذه القصة مأخوذة من طبعة December 04 , 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 04 , 2023 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને
એક ‘વૃક્ષશત્રુ’ને મળ્યા પછી અમદાવાદના આ વ્યવસાયીની જિંદગી એવી તો બદલાઈ કે એમણે લોકોને વૃક્ષોની મહત્તા સમજાવવા સાથે વર્ષાજળના સંચયની પ્રાચીન કળા પણ પુનઃ જીવિત કરી છે.
સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...
માનવજાત પોતાના અસ્તિત્વની શરૂઆતથી જ દરેક વસ્તુ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે પ્રકૃતિ પર નિર્ભર છે, છતાં સ્વાર્થને કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. આજે એવી નોબત આવી છે કે માણસ પાછો નહીં વળે તો એનું અસ્તિત્વ ખતમ થઈ જશે.
ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!
ખુશ હોવું એટલે દુઃખની ગેરહાજરી નહીં, પણ દુઃખનો સામનો કરવાની ક્ષમતા. પીડા, મુસીબત અને ફરિયાદ ન હોય એને ખુશી ન કહેવાય. મુસીબતોની પેલે પાર જોવાની નજરને ખુશી કહેવાય. ખુશી પેઈન-કિલર છે, પણ એ પીડાને ખતમ નથી કરતી, પીડાનો અનુભવ કરવાની ક્ષમતાને ખતમ કરે છે.
શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?
અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથેના ‘શાંતિ કરાર’ પાકિસ્તાની લશ્કરે સફળ ન થવા દીધા એ પછી હવે નવેસરથી નવાઝ શરીફે ભારત તરફનો દોસ્તીનો દરવાજો ખોલવા હિલચાલ આદરી છે.
જસ્ટ, એક મિનિટ..
જેને પ્રેમ કરીએ એવી જ વસ્તુ કરવાને બદલે જે પણ કરું એને પ્રેમ કરવાનું શીખી લીધું છે.
વન-વેથી મન-વે સુધી
આપણી વચ્ચે ઘણું અંતર છે એની જાણ છે તે છતાં વચ્ચે જ મળવા, હું હવે તૈયાર છું. – સુધીર દવે
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?