અયોધ્યામાં આકાર પામેલા રામમંદિરમાં સૌ પ્રથમ રામનવમીના દિવસે રામલલ્લાના ભાલ પર સૂર્ય-તિલક થવાનું છે. આ સૂર્ય-તિલક કઈ રીતે થવાનું છે, તે જાણવાની ઇચ્છા આજકાલ લોકોને તીવ્ર બનતી જાય છે. આમાં વિજ્ઞાનનો રોલ કેટલો છે, ટૅક્નોલૉજીનો રોલ કેટલો છે તે જાણવાનો પ્રયત્ન કરીશું.
ભારતનાં પ્રાચીન મંદિરો એટલે એ જમાનાના સાયન્સ સેન્ટર. વિજ્ઞાનના કોન્સેપ્ટનો વ્યવહારિક ઉપયોગ કઈ રીતે કરવો તે મંદિરોમાં સ્થાપિત કરેલાં જાતજાતનાં સાધનો તેમ જ વિજ્ઞાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ચમત્કાર પણ બતાવવામાં આવતા હતા. તે વખતે સાયન્સ સેન્ટર અલગથી ન હતાં, તેથી જે વ્યક્તિઓ મંદિરમાં આવે ત્યારે વિજ્ઞાનના સિદ્ધાંતની સમજ પણ મેળવે અને તેનો વ્યાવહારિક ઉપયોગ કઈ રીતે કરવો તેની પણ જાણકારી મેળવીને જતા હતા. જો તમે ભારતનાં પ્રાચીન મંદિરોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરો તો તેમાં તમને ઘણું બધું વિજ્ઞાન જોવા મળે છે. જે મારી અગાઉની ઘણી બધી પોસ્ટમાં વિસ્તૃત રીતે સમજાવેલું છે. માત્ર વિજ્ઞાન નહીં, સંસ્કાર, સમજ, કલા સંસ્કૃતિ, ભાષા, જ્ઞાન, વિદ્યા, એ જમાનાના એટલે કે ઋષિમુનિઓ સાથેની ચર્ચા જેવી ઘણી બધી બાબતો એક જ જગ્યાએ એટલે કે મંદિરમાંમળી રહેતી.
મારા ધારવા પ્રમાણે વિજ્ઞાનનાં જુદાંજુદાં ક્ષેત્રની સમજ આપવા માટેના મોડલ આ બધાં મંદિરોમાં રાખેલાં જ હશે, પરંતુ હજારો વર્ષ પછી માત્ર પથ્થરની બનેલી વસ્તુઓ જ સચવાઈ રહેલી હોવાથી અત્યારે આપણને દેખાય છે. બાકીની બધી વસ્તુ નષ્ટ થઈ ગઈ હશે, ચોરાઈ ગઈ હશે, રિસાઇકલ થઈ ગઈ હશે. ઘણા લોકોને આ વાત ગળે ઊતરતી નથી, પરંતુ તેમને જો પૂછવામાં આવે કે તમારો સૌ પ્રથમ મોબાઇલ કર્યો હતો? અથવા અત્યારે ક્યાં છે? તો આ બંનેના જવાબો કદાચ એમની પાસે નહીં હોય. અત્યારે બધાં મંદિરો જોવામાં આવે તો સૌથી વધારે કાર્યરત વિજ્ઞાનનાં મોડલો ખગોળશાસ્ત્રને આધારિત જોવા મળશે. ખાસ કરીને સૂર્યમંદિરોમાં આ વાત વિશેષ જોવા મળે છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 27/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 27/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
પ્રવાસન
પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ