ફાર્માસ્યુટિકલ ફ્રોડ ત્યારે રચાય છે જ્યારે કોઈ ફાર્માસ્યુટિકલ કંપની ગેરકાયદેસર કાર્ય સાથે સંકળાય. દવા કે સારવારની આસપાસ સ્વાસ્થ્ય, દર્દી, મેડિકલ ઇન્સ્ટૉરન્સ કે તે સંબંધિત નિયત કામમાં નકારાત્મક બને તેવા કપટમાં સક્રિય હોવું કે જોડાયેલા હોવું એટલે ફાર્મા ફ્રોડ. સાદી ભાષામાં ફાર્મા કંપની પૈસા કમાવામાં હેલ્થ એવમ પેશન્ટ જોડે રમત રમે અને તેની તેને જાણ હોય ત્યારે તે ફ્રોડ કરે છે તેવું કહેવાય. સાવ સામાન્ય ઉદાહરણ તરીકે સમજવું હોય તો, કોઈ દવાની કંપની દવાના નામ પર એવી ચીજ વેચે જે ખરેખર દવા ના હોય. પેકિંગ, ઍડવર્ટાઇઝિંગ કે માર્કેટિંગ ખોટી યા ભ્રામક દોરવણી આપે તો પણ ફ્રોડ કહેવાય.
ઉસ્તાદી કરીને અમુક સાચી વાત છુપાવે અને તમુક સાચી વાત ભેળસેળ સાથે રજૂ કરે તો છેતરપિંડી કહેવાય. ભાવતાલના નિયમોનો ભંગ થતો હોય તો દગો કહેવાય. કાનૂની રીતે ફાર્માસ્યુટિકલ ફ્રોડની વ્યાખ્યા ઘણી લાંબી, પહોળી અને ઊંડી થઈ શકે. આ સાથે એ તો ખરું જ કે છીડે ચઢે એ ચોર, કોર્ટમાં ફ્રોડ પુરવાર થાય એ જ ફ્રોડ. ભારતમાં ઘણાંને એવું હોય છે કે આપણે ત્યાં દવાના કારોબારમાં કે મેડિકલ સેક્ટરમાં બહુ ખોટું થાય છે. વાસ્તવિકતા જાણીએ તો ખ્યાલ આવે કે પશ્ચિમમાં અને ખાસ કરીને અમેરિકામાં સાબિત થયેલા ફાર્માસ્યુટિકલ ફ્રોડ અતિ વિકરાળ છે.
સેલ્ફિન કોર્પોરેશન અમેરિકાની ફાર્મા કંપની છે, કૅન્સર અને ઇમ્યુનોલૉજી અંગેની દવાઓ બનાવે છે. સોળ-સત્તર બિલિયન ડૉલર્સની કંપની હશે. ૨૦૧૭માં એક સિવિલ કેસમાં અમેરિકન કોર્ટે સેલ્ફિનને ૨૮૦૦૦૦૦૦૦ ડૉલર્સ દંડમાં ચૂકવવા આદેશ આપ્યો. આવી જાયન્ટ કંપનીઓ સામે કોર્ટમાં કેસ કરવો અને લડવો એ બહુ મોટું કામ છે. કોર્ટ બહાર બંધબારણે કે ઓન સિક્રેટ પેપર ચૂકવાતા ડૉલર્સ અલગ હોય. કોર્ટે ‘ઑફ લેબલ માર્કેટિંગ’, ‘કિકઍક્સ’ અને ‘મેડિકૅર ફ્રોડ’ સંબંધિત કંપનીને દોષી કરાર આપી. ‘ઑફ લેબલ માર્કેટિંગ’ એટલે સરકારે દવાના જે ઉપયોગ માટે પરવાનગી આપી હોય તેનો ભંગ કરવો. ‘કિકઍક્સ' એટલે દવા પ્રિસ્ક્રાઇબ કરવા કોઈ પ્રકારનું મહેનતાણું આપવું કે દર્દીને અમુક સર્વિસ આપનારને ત્યાં મોકલવો. ‘મેડિકૅર ફ્રોડ' એટલે પૅમેન્ટ મેળવવાની લાયકાત ના હોય તો પણ મેળવવું અથવા યોગ્યતા હોય તેથી વધુ મેળવવું.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 27/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 27/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
પ્રવાસન
પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ