ધૂંવા ૫૨ સૂસવાતો પવન ધરતીની ત્વચા પર પડેલા સળને પંપાળતો હશે કે વધારે રુક્ષ કરી નાખતો હશે? તાપથી સળગી ઊઠતી રેતીની ડમરીઓ ઊંચકાઈ-ઊંચકાઈને પટકાતી હશે ત્યારે અડવાણું આભ શી રીતે નિસ્પૃહ રહી શકતું હશે? એવું પણ બને કે માણસ, માણસને લાત મારીને તિરસ્કૃત કરે. અલબત્ત, તેનો જીવ લેવા તૈયાર થઈ જાય. ત્યારે અબોલ પ્રાણીઓ પાસેથી તેને આત્મીય આવકાર મળે! જીવનથી છલોછલ પ્રદેશમાં જીવતાં માણસને ઉજ્જડ રેગિસ્તાનમાં ફેંકી દેવામાં આવે ત્યારે કયું તત્ત્વ એને જીવંત રાખતું હશે? જ્યાં પાણીનું જ નહીં, માણસની જિજીવિષાનું પણ બાષ્પીભવન થઈ જતું હોય તેવી બળબળતી ત્રાસદીને પાર કરીને એક માણસ ફરીથી જીવનને મોઢે માંડવા પામે એ વાત કોઈ અજાયબીથી કમ નથી. આ માણસ એટલે કેરળનો નિવાસી નજીબ મુહમ્મદ અને તેની નિતાંત તરસની કથા એટલે તાજેતરમાં વર્લ્ડ વાઇડ રિલીઝ થયેલી મલયાલી ફિલ્મ ‘આડુજીવિતમ : The Goat Life'.
આ ફિલ્મ કેરળમાં વસતા યુવાન નજીબ મહોમ્મદના જીવનની કરુણ કથા છે. જેને સૌપ્રથમ લેખક બેન્યામીનની મલયાલી નવલકથા ‘આડુજીવિતમ’માં શબ્દો મળ્યા હતા. આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ ‘Goat days' તરીકે ડૉ. જોસેફ કોયપ્પલ્લીએ કરેલો. વર્ષ ૨૦૦૯માં નવલકથાના આધારે ડિરેક્ટર બ્લેસીએ આ ફિલ્મની પરિકલ્પના કરી. ત્યાર બાદ તેમાં અન્ય કલાકારો જોડાતા ગયા. જેમાં મુખ્ય અભિનેતા પૃથ્વીરાજ સુકુમારને અનન્ય ભૂમિકા ભજવી છે.
આ સિવાય અન્ય કલાકારોએ પણ પોતાની ભૂમિકા ખૂબ વાસ્તવિક રીતે પડદા પર ઉતારી છે. સોળ વર્ષના સમય, અનિશ્ચિતતા અને સંઘર્ષના વહેણ પાર કરીને ડિરેક્ટર બ્લેસી સાથે સિનેમેટોગ્રાફર સુનીલ કે. એસ., એડિટર શ્રીકર પ્રસાદ અને સાઉન્ડ એડિટર રેસુલ પુકુટ્ટીએ સ્ક્રીન પર એક જાઈજેન્ટિક પ્રોજેક્ટને સફળતાપૂર્વક સાકાર કર્યો છે, તેમાં બેમત નથી. હાલના તબક્કે આ ફિલ્મને મલયાલમ સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મ માનવામાં આવી છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 27/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 27/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
એનાલિસિસ
ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?
રાજકાજ
કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
એનાલિસિસ
પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું ઇશારો કરે છે?