કચ્છમાં જૈન સાહિત્ય અને જૈન જ્ઞાનની સાચવણી વર્ષોથી થઈ રહી છે. અહીંના જૈન ગ્રંથ ભંડારોમાં સેંકડો વર્ષો જૂની હસ્તપ્રતો, અમૂલ્ય ગ્રંથો તો સચવાયેલાં છે જ, પરંતુ આ જ્ઞાન આજના જમાનામાં ધીરે ધીરે વિસરાઈ રહ્યું છે. જૈન તત્ત્વજ્ઞાનથી લોકો પરિચિત રહે, સમાજનાં બાળકોને ધાર્મિક સાથે સાંસ્કૃતિક શિક્ષણ મળી રહે, આગળ જતાં તેમાંથી જ વિદ્વાન સાધુ-સાધ્વીજીઓ જૈન સંઘને મળે, બાળકો સારા શ્રાવકો બને તેવા હેતુથી ૬૦ વર્ષ પહેલાં કચ્છના માંડવી તાલુકાના મેરાઉ ગામે ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના કરાઈ હતી. આ વિદ્યાપીઠને થોડા સમય પછી નજીકના નાગલપર ગામે ખસેડાઈ હતી અને મેરાઉની વિદ્યાપીઠમાં બાલિકાઓ માટે વિદ્યાપીઠ ચાલુ કરાઈ હતી. બંને વિદ્યાપીઠો માંથી સાત-આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે અને તેમાંથી ૧૦થી ૧૫ તો વિદ્વાન સાધુ- સાધ્વીજીઓ તરીકે આજે ઓળખાઈ રહ્યા છે. આ સંસ્થામાં ભણેલાં અનેક બાળકો આજે સમાજના અગ્રણી તરીકે સેવા બજાવી રહ્યા છે. જૈન તત્ત્વજ્ઞાન, તેના સંસ્કારને જીવંત રાખતી આ સંસ્થાઓ આજે કાળની ગર્તામાં વિલીન થઈ ગઈ છે. આ સંસ્થામાં ભણવા આવનારા વિદ્યાર્થીઓ ઘટી જતાં, તેને બંધ કરવાની ફરજ પડી છે. જ્ઞાન સંવર્ધન, વર્ધનની બંધ પડેલી પ્રવૃત્તિ ભવિષ્યમાં રંગરૂપ બદલી ચાલુ કરવાની સંસ્થાના ટ્રસ્ટીઓને આશા છે.
અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત ગુણસાગરસૂરીશ્વરજી મ.સા. એક જમાનામાં ભારતીય સંસ્કારો ઉપર થતાં પશ્ચિમી આક્રમણથી ચિંતિત બન્યા હતા. તેઓ સાચું શિક્ષણ આપી, જાગૃતિ લાવવા, ધર્મ, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રાખવા માટે કોઈ સંસ્થા સ્થાપવા વિચારતા હતા. તેમને માંડવી તાલકાના મેરાઉ ગામે આવી સંસ્થા શરૂ કરવાનો યોગ ઊભો થયો. મેરાઉ ગામના જૈન સંઘે પોતાના હસ્તકના ૧૬ ડબલ રૂમ ધરાવતું વિશાળ મકાન આ સંસ્થા શરૂ કરવા માટે ભેટ આપ્યું અને શરૂ થઈ ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ.’ અચલગચ્છ(વિધિ પક્ષના) આચાર્ય પૂ. આર્યરક્ષિતસૂરીશ્વરજી મ.સા.ની પાવન સ્મૃતિને જીવંત રાખવા આ સંસ્થા સાથે તેમનું નામ જોડાયું હતું.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 20/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 20/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
એનાલિસિસ
ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?
રાજકાજ
કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
એનાલિસિસ
પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું ઇશારો કરે છે?