શ્રી કૃષ્ણ આમ્ભીર જાતિના ગણનાયક હતા. આમ્ભીરનો અર્થ ગોપાલક થાય એટલે કૃષ્ણ ગોપ જાતિના ગણી શકાય. પ્રાકૃતિક રીતે પણ કૃષ્ણ પર્યાવરણવાદી હતા. યમુનાને કાલિયા નાગના ઝેરથી મુક્ત કરાવી, માથે મોરપીંછ, વાંસની બંસરી, માખણના ચાહક પ્રાકૃતિક જ હોય. તેઓ જ્યારે દ્વારકા આવ્યા ત્યારે ખૂબ વરસાદ પડતો હતો. એના અવશેષો આ જ દ્વારકામાં પંચ કૂઇના પાંચ મીઠા પાણીના કૂવાઓ છે. જૂના કાળમાં આ જગ્યાએ પાંચ મીઠી નદીઓનું મિલન થતું.
શ્રીકૃષ્ણ અને બલરામ દ્વારકા આવ્યા ત્યારે અહીં રેવતક નામે રાજા હતા. તેમનો પ્રદેશ રેવતાચલ, તેઓ ખેતીવાડીમાં તજજ્ઞ, રેવતક ખંડેર થઈ ગયેલી કુશસ્થલી નગરીને ફરી સમૃદ્ધ કરી રહ્યા હતા. જોગાનુજોગ કૃષ્ણ બલરામે પણ કુશસ્થલીના ઉદ્ધાર માટે મહેનત કરી. બલરામ કૃષિક્ષેત્રે બાહોશ કામગીરી બજાવતા ખેડૂત હતા. તેમનું આયુધ પણ હળ હતું. રેવતકને બલરામે ‘રાવળા તળાવ’ અને ‘રેતવા પાડો' જેવા વિસ્તારોને લીલાછમ કરી વધારે ને વધારે વૃક્ષો વાવ્યા. એટલે જ આ બંને સ્થળ રેવતકના નામ પરથી પડ્યા. શ્રીકૃષ્ણના જીવનકથનની વાતો ઈ.સ.ની સાતમી સદીના ઉત્તરાર્ધમાં લખાયેલ ગ્રંથ ‘હરિવંશ'માં જાણવા મળે છ., ‘ભાગવત' બાબતે પણ તેમ કહી શકાય. ડો. નાયકના મત મુજબ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ યુગ ગુપ્ત રાજાઓનો ગણાય છે. તેનો લાભ દ્વારકાને મળ્યો હોઈ શકે.
હરિવંશ ગ્રંથમાં ‘દ્વારિકા' નગર પર્વતોની વચ્ચે આવેલું દર્શાવવામાં આવ્યું છે, જેમાં નજીકમાં સમુદ્રનો કોઈ ઉલ્લેખ નથી.
‘ભાવગત’ પુરાણમાં રેવતાચલ (ગિરનાર) પર્વતનો કોઈ ઉલ્લેખ નથી, જૈન અનુશ્રુતિ અનુસાર રેવતાચલ પર્વત દ્વારકાના ઈશાન ખૂણામાં હતો, બૌદ્ધ જાતક કથા અનુસાર ‘દ્વારિકા' નગરી સમુદ્ર તથા રેવતાચલ પર્વતની વચ્ચે આવેલી હતી, એટલે એમ માનવું રહ્યું કે આ પ્રદેશમાં કેટલીક પ્રાકૃતિક ઊથલપાથલ થઈ, તેમાં રેવતાચલ પર્વત સમુદ્રમાં ડૂબી ગયો હોય.
هذه القصة مأخوذة من طبعة November 18, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 18, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?