ભારતના સુવિખ્યાત પાર્શ્વગાયક કિશોર કુમારની જન્મભૂમિ ખંડવાથી સિત્તેર કિ.મી. દૂર ઇન્દોર-ખંડવા ધોરી માર્ગ પર સ્થિત ઓમકારેશ્વર મંદિર આપણાં બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. ગુજરાતની જીવાદોરી સમાન મા નર્મદાના ઓમકાર માંધાતા પર્વત પર સ્થિત આ ઓમકારેશ્વર કે શિવપુરી આમ તો પ્રાચીન માહિષ્મતી છે જે અવંતિ મહાજનપદની રાજધાની હતી. ઐતિહાસિક રીતે અનેરું મહત્ત્વ ધરાવતા આ માંધાતા પર્વતનો આકાર ‘પ્રણવ મંત્ર’ ઓમકાર જેવો હોવાથી તેના પર સ્થિત આ પ્રાચીન મંદિર ઓમકારેશ્વર માંધાતા મંદિર તરીકે ઓળખાય છે.
અકોલા-રત્લામ રેલવે લાઇન પર રહેલા ઓમકારેશ્વર રોડ રેલવે સ્ટેશનથી માત્ર બાર કિ.મી.ના અંતરે સ્થિત આ ઓમકારેશ્વર મંદિરની પૌરાણિક કથા પ્રમાણે એકવાર નારદજી વિંધ્યાચલ પર્વતે પહોંચ્યા. પર્વતરાજ વિંધ્યાચલે નારદજીનો આદર-સત્કાર તો પૂર્ણ પ્રેમથી કર્યો, પરંતુ એ પછી નારદજીને કહ્યું કે, હું સર્વગુણ સંપન્ન છું અને મારી પાસે બધું છે. નારદજીએ વિંધ્યાચલને શાંતિથી સાંભળ્યા પછી કહ્યું કે, તમે સુમેરુ પર્વતથી ઊંચા નથી. એ પર્વત તો દેવલોક સુધી પહોંચે છે. આ સાંભળીને હેરાન-પરેશાન પર્વતરાજે લગભગ છ મહિના સુધી આદિદેવ શિવની કઠોર તપશ્ચર્યા કરી. વિંધ્યાચલની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ પ્રગટ થયેલા ભગવાન શિવે વિંધ્યાચલને વરદાન માંગવાનું કહ્યું. વિંધ્યાચલે કાર્યસિદ્ધિનું વરદાન માગ્યું. શિવે તથાસ્તુ તો કહ્યું જ પરંતુ એ સમયે હાજર ઋષિમુનિઓએ શિવને એ પર્વત પર વાસ ક૨વા પ્રાર્થના કરી અને ભોળાનાથ માની પણ ગયા. એ પછી નન્દીકેશ્વર શિવે વિંધ્યાચલે સ્થાપિત કરેલા શિવલિંગના બે ભાગ કર્યા, જેમાંથી વિંધ્યાચલના પાર્થિવ લિંગનું નામ મમલેશ્વર પડ્યું અને જ્યાં ઘો૨રૂપાય શિવે વાસ કર્યો તે સ્વયંભૂ લિંગનું નામ પડ્યું ઓમકારેશ્વર.
આવી એક નહીં, પરંતુ બે-ત્રણ કથાઓ લઈને સદીઓથી મા નર્મદા પરના માંધાતા પર્વત પર સ્થિત આ ઓમકારેશ્વર માંધાતા મંદિર આદિદેવ શિવને સમર્પિત મંદિર છે અને મા નર્મદાના પવિત્ર કિનારે સવાર-સાંજની પૂજા-આરતીના સ્પંદનો ઝીલતું સદીઓથી ઊભું છે.
هذه القصة مأخوذة من طبعة September 09, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 09, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ
વારંવાર પૂછાતા પ્રશ્નો
કંકુ-ચોખા
આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી
બિંજ-થિંગ
માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ
કવર સ્ટોરી
ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.
પ્રવાસન
દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ
પર્યાવરણ દિન સ્પેશિયલ
પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે
પર્યાવરણ દિન સ્પેશિયલ
માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?
જ્ઞાન-વિજ્ઞાન
સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ
કવર સ્ટોરી
૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે