ભૂતકાળમાં વારંવાર દુષ્કાળનો સામનો કરતાં કચ્છમાં છેલ્લાં થોડાં વર્ષોથી મેઘમહેર વધી છે. તેનો પૂરેપૂરો ફાયદો અહીંના પ્રયોગશીલ ખેડૂતો લે છે. આજે બાગાયત ક્ષેત્રે કચ્છ રાજ્યમાં મોખરાનો જિલ્લો બન્યું છે. જો અહીંના ખેડૂતોને પૂરતું માર્ગદર્શન, યોગ્ય બજાર મળે અને ઔષધીય કંપનીઓનો રસ વધે તો ઔષધીય પાકની ખેતીમાં કચ્છ જિલ્લો રાજ્યમાં આગળ પડતો બની શકે. કચ્છની ઘણી જમીન અત્યાર સુધી પાણીના વાંકે રાસાયણિક ખાતર કે દવાના સ્પર્શ વિનાની છે. તેથી તેમાં ઑર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી કરવી વધુ સરળ છે. તેવી જ રીતે અહીંના સૂકા હવામાનના કારણે ઔષધીય પાકોના ગુમધર્મો અન્ય જગ્યાએ થતાં પાક કરતાં વધુ સારી રીતે જળવાઈ શકે તેવો નિષ્ણાતોનો મત છે, પરંતુ આ જિલ્લામાં કૃષિ યુનિવર્સિટી કે વધુ કૃષિ નિષ્ણાતો ન હોવાના કારણે નવા પ્રકારના પાક માટેનું જરૂરી માર્ગદર્શન ખેડૂતોને મળતું નથી. સરકાર દ્વારા પણ ખેડૂતોને આ અંગે કોઈ માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા નથી. આયુર્વેદિક ઔષધો બનાવતી વિવિધ કંપનીઓ પણ કચ્છમાં વધુ રસ લેતી નથી. તેથી જે થોડા ખેડૂતો ઔષધીય પાક લે છે તેમને પોતાનું ઉત્પાદન બજારમાં કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વેચવું પડે છે. બહુ ફાયદો તેમને મળતો નથી. જો પૂરતું માર્ગદર્શન મળે, પૂરતું બજાર મળે, પૂરતા ભાવ મળે તો વધુ ને વધુ ખેડૂતો આ પ્રકારના પાક લઈ શકે અને તેમને સારું વળતર પણ મળી શકે.
રામકૃષ્ણ ટ્રસ્ટના સ્થાપક મનોજભાઈ સોલંકી સાથે ઔષધીય પાકોની ખેતી અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘કચ્છમાં આ પ્રકારની ખેતી વધુ નથી. છૂટાછવાયા પ્રયોગો અને પ્રયાસો જરૂર થાય છે, પરંતુ મોટા પ્રમાણમાં થતી નથી. ઔષધીય ખેતી કરનારાને ઉત્પાદન વેચવા માટે વધુ તકો નથી. સરગવા જેવાં ઉપયોગી વૃક્ષોની ખેતી થોડા ખેડૂતો કરે છે, પરંતુ તેમને પૂરતા ભાવ મળતાં નથી. જંગલમાં કુદરતી રીતે ઊગનારી વનસ્પતિ શતાવરી કે એકલકંઢોને જંગલમાંથી કાઢીને તેનાં મૂળ અમુક લોકો વેચે છે. તેવી જ રીતે એસેન્સિયલ પાકો જેવા કે લેમનગ્રાસ કે ખસ અમુક ખેડૂતો ઉગાડે છે. તેઓ તેમાંથી અર્ક કે તેલ કાઢીને પર્ફ્યુમ્સ બનાવવા માટે વેચે છે. ગૂગળ પણ એક ખૂબ જ ઉપયોગી આયુર્વેદિક ઔષધી છે. તે કચ્છમાં ખૂબ સારી રીતે ઊગી શકે છે, પરંતુ તે પણ અમુક લોકો જ ખેતરમાં વાવે છે.’
هذه القصة مأخوذة من طبعة September 02, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 02, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
પ્રવાસન
પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ