આઠ માર્ચે સમાચાર આવે છે કે, અમેરિકાની સિલ્વરગેટ બૅન્ક બંધ થવાની છે. એના બે દિવસ પછી સ્ટાર્ટ-અપ્સ સાથે કામ કરવા માટે જાણીતી ત્યાંની સિલિકોન વેલી બૅન્ક પણ અપૂરતા નાણાપ્રવાહને કારણે ધોવાઈ જાય છે. અન્ય એક સિગ્નેચર બૅન્કના પણ બૂરા હાલ થયાના સમાચાર પ્રગટ થાય છે. બીજી તરફ યુરોપમાં ડૂબી રહેલી સ્વિસ બૅન્ક ‘ક્રેડિટ સ્વિસ’ને પણ બચવા માટે ત્યાંની યુનિયન બૅન્ક ઑફ સ્વિત્ઝર્લેન્ડનું તરણું ઝાલવું પડે છે.
વિશ્વપ્રવાહો પર નજર રાખનારે એ જરૂર નોંધ્યું હશે કે કોરોના મહામારી ત્રાટક્યા પછી એકધારી સંસાર પર કોઈ ને કોઈ સમસ્યાઓ આવ્યા જ કરી છે અને ગ્લોબલ બૅન્કિંગ સિસ્ટમમાં આવી રહેલી સંભવિત કટોકટી આ જ શ્રેણીમાં એક નવો ઝટકો હોઈ શકે એવું લાગી રહ્યું છે. આપણે ભારતવાસીઓને તો છ-એક ટકા દરની મોંઘવારી કોઠે પડી ગઈ છે, પણ અમેરિકામાં આ આંકડો અસહ્ય કહેવાય.
અર્થશાસ્ત્ર સમજનારા એવું કહે છે કે અમેરિકા ડૉલર છાપ-છાપ કરીને પોતાની મોંઘવારીની વિશ્વના અન્ય દેશોમાં નિકાસ કરી રહ્યું છે! અમેરિકાની ઇકોનોમીમાં ગરબડ થતાં વિશ્વના બીજા દેશોનું અર્થતંત્ર પણ ડામાડોળ થવા લાગ્યું છે. આ બધી સમસ્યાઓના મૂળમાં જે પૈસા નામનો કદાવર જીવ છે, એને કોઈ રીતે નાથવાના પ્રયાસમાં વિશ્વની સરકારો અને સેન્ટ્રલ બૅન્કોના ભેજાબાજો કામે લાગ્યા છે, પણ સતત સામે આવી રહેલી નવી-નવી ઘટનાઓ જણાવે છે કે ગ્લોબલ બૅન્કિંગ સિસ્ટમમાં બધું બરાબર નથી અને ઇકોનોમીને ચુસ્તદુરસ્ત રાખવાના પ્રયાસો ગંભીર રીતે નિષ્ફળ કે ઓછા કારગર સાબિત થઈ રહ્યા છે.
પૈસો કે ધનને લક્ષ્મી સ્વરૂપ માનીને એને પૂજ્ય ગણવાની ભારતીય ઉપખંડમાં પરંપરા ચાલી આવી છે અને એ સાથે ધનસંચયની ભાવના માણસના મનમાં કેવી-કેવી બદીઓ જન્માવી શકે એ અનુભવ કરીને માનવોએ પૈસાને શેતાનનું સ્વરૂપ પણ ગણાવ્યું છે. ધનવાન અને દરિદ્ર કે આમ આદમી વચ્ચેનો આર્થિક ભેદ જેમ જેમ મોટો થતો ગયો છે, એમ એમ આજના યુગમાં પૈસો પણ બે સ્પષ્ટ ભાગમાં વિભાજિત થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. એક પૈસો જે સકારાત્મક શક્તિ આપે છે, જીવનની અનિવાર્ય ગતિવિધિઓને ટકાવવામાં મદદરૂપ થાય છે અને પૂજ્ય ગણી માણસ જેનો આદર કરે છે એ. જ્યારે બીજો પૈસો બેફામ કે આંધળો છે અને એ એના માલિકને પણ અંધ બનાવી શકે છે, એની મતિ ભ્રષ્ટ કરી શકે છે.
هذه القصة مأخوذة من طبعة April 08, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 08, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
રાજકાજ
ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા
પંચામૃત
હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
પ્રવાસન
પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન