નાગપાંચમે નાગપૂજનઃ ભક્તિ કે ભય?
ABHIYAAN|August 20, 2022
સૌરાષ્ટ્રનાં ગામડાંઓ-શહેરોમાં શ્રાવણ માસ દરમિયાન નાગપાંચમ ઊજવવાની પરંપરા છે. એ દિવસે નાગ દેવતાનાં મંદિરોમાં અને ઘરના પાણિયારે નાગ એટલે કે સર્પની પૂજા કરવામાં આવે છે. નાગ શા માટે પુજાય છે? ભક્તિથી કે ભયથી? નાગપાંચમના દિવસે જ શા માટે નાગપૂજન થાય છે? વિવિધ જ્ઞાતિઓમાં નાગપૂજનના દિવસો કેમ અલગઅલગ? નાગપંચમી નિમિત્તે આ પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પ્રયાસ કરીએ.
ધીરુ પુરોહિત
નાગપાંચમે નાગપૂજનઃ ભક્તિ કે ભય?

હે નાગ દેવતા, ‘ખેતરોમાં જ્યાં ત્યાં ભમતાં અમારા છોકરાઓનું તમે રક્ષણ કરજો..' આ શબ્દો છે એક ખેતરને શેઢે આવેલી નાનકડી નાગની દેરી (મંદિર)એ કંકુ-ચોખા અને મીડલા (રૂનો હા૨, નાગલો), ચૂંદડી ચડાવી કુલેર ધરાવતા એક ખેડૂત મહિલાના. દિવસ છે નાગપાંચમનો. તહેવારોનો મહિનો ગણાતા શ્રાવણ માસની વદ પાંચમના દિવસને નાગપાંચમ કહે છે. સૌરાષ્ટ્રનાં અનેક ગામડાં અને જૂનાગઢથી માંડી જામજોધપુર તેમ જ રાજકોટથી માંડી ઉના સુધીનાં નાનાં-મોટાં શહેરોમાં પણ ઘણાબધા પરિવારો આ દિવસે નાગનું પૂજન કરે છે. જેની પૂજા થાય છે એ સાપને જોતાંવેંત મારી નાખવામાં આવતો હોવાનો વિરોધાભાસ પણ આ પંથકમાં જોવા મળે છે.

સાપ માનવીનો મિત્ર છે. માણસ ક્યારેય સાપની ‘ફૂડચેઇન’માં નથી આવતો. મતલબ માણસ સાપનો ખોરાક નથી. પ્રકૃતિનો આ અદ્ભુત જીવ પશુ-પક્ષી અને માણસ જેવો જ એક જીવ છે. તો પછી તેનાથી ભય શા માટે? આ પ્રશ્નનો જવાબ આપે છે સર્પ નિષ્ણાત ડૉ. પુનિલ ગજ્જર. ત્રણ દશકાથી કોઈ પણ ભયંકર ઝેરી સાપને સરળતાથી પકડી જંગલમાં છોડી આવતા આ સર્પપ્રેમી કહે છે, ‘ચોમાસામાં સાપ નીકળ્યો છે, પકડી જાવ ને.’ એવા બે-ચાર ફોન કૉલ રોજ આવે છે. જોકે એક તરફ લોકો સાપની પૂજા કરે અને આ જ માનવી તેને મારી પણ નાખે છે, આ કેવું? આ પ્રશ્નના ઉત્તરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના આ પ્રોફેસર કહે છે કે, ‘માણસને જેમ કરચલો, ગરોળી વગેરેની ચીડ કે ચીતરી ચડતી હોય તેવી જ સ્થિતિ સાપની છે. વર્ષોથી સ્નેઇક હેન્ડલર છું, ક્યારેય આ સરિસૃપે મને દંશ દીધો નથી.’

નાગપાંચમે નાગ તો પૂજાય જ છે અને નાગને પૂજવાની પદ્ધતિઓ પણ અલગઅલગ છે. જુદી-જુદી જ્ઞાતિઓમાં નાગપૂજનનો દિવસ અલગ- અલગ હોય છે. સૌરાષ્ટ્રના લોહાણા પરિવારો અષાઢ વદ પાંચમે નાગની પૂજા કરે છે, તો સૌરાષ્ટ્રના નાગરો અને બ્રાહ્મણો શ્રાવણ વદ પાંચમને નાગપંચમી કહે છે. વળી બીજી કેટલીક જ્ઞાતિઓમાં શ્રાવણ સુદ પાંચમ એટલે આ મહિનાની પહેલી પાંચમે નાગ પૂજા કરે છે. આ તો થઈ નાગપૂજનના દિવસની વાત.

هذه القصة مأخوذة من طبعة August 20, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة August 20, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?

time-read
9 mins  |
Abhiyaan Magazine 15/06/2024
જ્ઞાન-વિજ્ઞાન
ABHIYAAN

જ્ઞાન-વિજ્ઞાન

સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024