કાઠિયાવાડમાં સાતમ-આઠમ એટલે જુગારીઓની દિવાળી
ABHIYAAN|August 13, 2022
શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતામાં કહ્યું છે કે, ‘જ્યારે-જ્યારે અધર્મ વધશે ત્યારે હું જન્મ લઈશ.’ એ જ ઈશ્વરનું અવતરણ થતું હોય ત્યારે માનવીઓ દ્વારા જુગારની બાજી ખેલાતી હોય, કેટલાક લોકો જન્માષ્ટમીને જુગારાષ્ટમી કહે એ કેવું કહેવાય? જુગારરૂપી અનિષ્ટ કાઠિયાવાડમાં તહેવાર સાથે કઈ રીતે સંકળાઈ ગયું તેની માંડીને વાત કરીએ.
ધીરુ પુરોહિત
કાઠિયાવાડમાં સાતમ-આઠમ એટલે જુગારીઓની દિવાળી

રમવું એટલે રમત રમવી, પણ જુગાર રમવું એ રમત તો નથી જ, પણ બંનેમાં એક વાત સામાન્ય છે, રમત રમતાં માણસને ખેલાડી કહેવાય અને જુગાર રમતાં માણસને પણ ખેલાડી કહેવાય! આવી આ ખેલ અને ખેલાડીની બાવન પત્તાંની રમત કૃષ્ણ જન્મ સમયે જ કાઠિયાવાડમાં ગામડેગામડે ખેલાતી રહે છે.

માણસને અધર્મના નાશનું વચન આપનારા શ્રીકૃષ્ણના જન્મદિવસ પહેલાંના કેટલાક દિવસોથી કાઠિયાવાડમાં આ રમત શરૂ થાય છે. આ બાવન પત્તાંની ગેઇમનો ચસકો પુરા કાઠિયાવાડને લાગ્યો છે. ગોકુળમાં જન્મી સૌરાષ્ટ્રના દ્વારકામાં પૂર્ણતા પામ્યા પછી સોરઠની ત્રિવેણીની ધરતીને મૃત્યુ માટે પસંદ કરનારા આ કૃષ્ણના પરમને પૂજનારા કાઠિયાવાડમાં એ જ પરમ પ્રાગટ્યના દિવસને જુગારાષ્ટમી તરીકે ખપાવનારાઓ માટે જન્માષ્ટમીના સપરમા દિવસે ઊંડાણપૂર્વક વાત કરવી પ્રાસંગિક બની રહેશે.

કાઠિયાવાડ એટલે હજારો ગામડાંઓનો સમૂહ પ્રદેશ. આવા હજારો ગામડાંના પ્રદેશમાં બહુ થોડાં ગામડાંઓ એવાં હશે કે જ્યાં સાતમ-આઠમનો જુગાર ન રમાતો હોય. શ્રાવણ માસની વદી તિથિ આઠમની રાત્રે કૃષ્ણનો જન્મ થયો એટલે તેને જન્માષ્ટમી તરીકે મનાવવામાં આવે છે, પણ આ દિવસોમાં કાઠિયાવાડમાં જુગાર એટલો રમાય કે કેટલાક લોકો આ દિવસને પૈસાની હારજીતની રમત એટલે કે જુગાર સાથે જોડી દે છે. જુગારની આ લત એ દિવસોમાં એટલી ચરમસીમાએ હોય છે કે યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠો પણ કોઈ એક મકાનમાં એકઠાં થઈ બાવન પત્તાંની રમતમાં પૈસાની હાર-જીત કરતાં બેઠાં હોય. આ જુગાર ક્યાંક ખેતરો-વાડીઓમાં રમાતો હોય, કોઈના ખાલી પ્લોટમાં રમાતો હોય.

هذه القصة مأخوذة من طبعة August 13, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة August 13, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/06/2024
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
ABHIYAAN

Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?

કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે

time-read
1 min  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન ગાર્ડનિંગ

હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/06/2024
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
ABHIYAAN

નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!

બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/06/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
ABHIYAAN

કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ

મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
બિંજ-થિંગ,
ABHIYAAN

બિંજ-થિંગ,

કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
અવસર
ABHIYAAN

અવસર

પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?

time-read
6 mins  |
Abhiyaan Magazine 08/06/2024