સામાજિક કાર્યકર અણ્ણા હજારેના સહકારી તરીકે અગિયાર-બાર વર્ષ પહેલાં ભ્રષ્ટાચાર સામે આદરેલી લડાઈનો રેલો ભ્રષ્ટાચારના જ આરોપ સાથે ખુદ અરવિંદ કેજરીવાલના આંગણે આવીને અટક્યો છે. લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે આમ આદમી પાર્ટીના સર્વોચ્ચ નેતા કેજરીવાલને કસ્ટડીભેગા કરવામાં આવ્યા છે. આ કેસમાં અગાઉ આમ આદમી પાર્ટીના બે વરિષ્ઠ આગેવાનો ઘણા સમયથી કારાવાસમાં છે એ હિસાબે તો કેજરીવાલ પણ ખાસ્સો સમય અંદર રહે એમ લાગે છે.
કેજરીવાલના નેતૃત્વ હેઠળની દિલ્હી સરકારે આબકારી જકાત (એક્સાઈઝ) રૂપે આવક વધારવાના નામે ૨૦૨૧માં દારૂના વેચાણને લગતી સરકારી નીતિ બદલી હતી. જો કે એ નીતિ હેઠળ કેટલાક ખાનગી કૉન્ટ્રાક્ટરને ફાયદો કરાવવામાં આવ્યો હોવાના આક્ષેપ થતાં કેન્દ્ર સરકાર હસ્તક આવતા દિલ્હીના નાયબ રાજ્યપાલના કાર્યાલયે આ મામલાની તપાસ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) જેવી કેન્દ્ર સરકારની એજન્સીઓને સોંપી હતી. એ વખતથી જ કેજરીવાલ સામેનું પગલું અપેક્ષિત હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી કેજરીવાલને અનેક વાર સમ હતાં. કેજરીવાલ ડિરેક્ટોરેટ સામે હાજર થતા નહોતા પણ મોકલ આવ્યાં એટલે જેવી દિલ્હી વડી અદાલતે એમની આગોતરા જામીનની અરજી નકારી એ સાથે મોકો જોઈને એમની ધરપકડ કરવામાં આવી. યોગાનુયોગ, લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ બહાર પડ્યો એના થોડા જ દિવસમાં કેજરીવાલને પકડવાનો નિર્ણય લેવામાં આવ્યો એટલે આ ધરપકડ રાજકીય કિન્નાખોરીને કારણે કરવામાં આવી છે એવું બોલવાની ભાજપવિરોધી પક્ષોને તક મળી ગઈ.
ભાજપના વિરોધમાં હોય એવા ઘણા પક્ષના ઘણા આગેવાનો સામે ઈડી કે સીબીઆઈ જેવી કોઈ ને કોઈ સરકારી એજન્સીની તપાસ ચાલી રહી છે એ હકીકત છે. કેજરીવાલના રૂપે એમાં હવે એકનો ઉમેરો થયો છે. સવાલ એ છે કે ચૂંટણી ટાણે કેજરીવાલની ધરપકડ ભાજપને કોઈ ફાયદો કરાવશે? કે ભાજપવિરોધી પક્ષો આ પગલાંને મોદી સરકાર વિરુદ્ધ જનમત ઊભો કરવા માટે નિમિત્ત બનાવી કરશે?
Esta historia es de la edición April 08, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 08, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રકૃતિ, પાણી, પર્યાવરણનું આમ કરો જતન...
સ્વાર્થી માનવની વિધ્વંસક પ્રવૃત્તિને કારણે પૃથ્વી રસાતળ જઈ રહી છે ત્યારે દેશ-દુનિયાના વિચારવંત લોકોએ ધરતીને બચાવવા કમર કસી છે. જળ, જમીન ને વાયુ જેવાં કુદરતી પરિબળોને પૂરતો આદર આપ્યા વિના આ કામ થાય એમ નથી. મુંબઈ–ગુજરાતના કેટલાક પર્યાવરણવીરો જ નહીં, પણ અમુક સરકારી વિભાગો પણ જોમ-જુસ્સાથી અવનિને આબોહવાની વિષમતામાંથી ઉગારવાના પ્રયાસોમાં લાગેલા છે. એક ઝલક એમની ભગીરથ ઝુંબેશની.
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.