આવર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીના દિવસોમાં કેન્દ્ર સરકારે વારાફરતી | પાંચ મહાનુભાવોને ભારત રત્ન જાહેર કરી એક પ્રકારે વિક્રમ સર્જી દીધો. આ અગાઉ ક્યારેય એક વર્ષમાં આટલી મોટી સંખ્યામાં ભારત રત્ન એવૉર્ડ આપવામાં આવ્યા નથી.
બધા જાણે જ છે કે ભારત રત્ન એ આપણા દેશનું સર્વોચ્ચ નાગરી સમ્માન છે. એ રીતે નિશાન-એ-પાકિસ્તાન એ પાકિસ્તાનનો સર્વોચ્ચ સિવિલિયન એવૉર્ડ છે. ગયા વર્ષે દાઉદી વહોરા સમાજના વડા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને, તો એ અગાઉ જાણીતા ફિલ્મઅભિનેતા દિલીપ કુમારને પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરી એવૉર્ડ એનાયત થયો છે. જો કે એનીય પહેલાં પાકિસ્તાને કોઈ ભારતીય નાગરિકને આ એવૉર્ડ આપ્યો'તો, એ હતા ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈ. ૧૯૭૭માં મોરારજીભાઈ વડા પ્રધાન બન્યા એ પછી એમણે બે દેશ વચ્ચે સંબંધ સુધારવા માટે જે પહેલ કરી એ માટે ૧૯૮૮માં આ એવૉર્ડ માટે એમને પસંદ કરવામાં આવ્યા હતા.
અમદાવાદસ્થિત ’ગૂજરાત વિદ્યાપીઠ'ના સંકુલમાં જ બન્યું છે મોરારજી દેસાઈની સ્મૃતિમાં આ મ્યુઝિયમ.
જોવાની વાત એ છે કે મોરારજીભાઈને ભારત રત્ન એ પછી (૧૯૯૧માં) મળ્યો! આમ બે પડોશી, પણ આમ બે દુશ્મન દેશના ટોચના એવૉર્ડ મળ્યા હોય એવા મોરારજીભાઈ પહેલા અને અત્યાર સુધીના એકમાત્ર રાજકીય મહાનુભાવ. મોરારજીભાઈનો જન્મદિન હમણાં જ (૨૯ ફેબ્રુઆરીએ) ગયો. આપણા
શરૂઆતના કેટલાક વડા પ્રધાનના અંતિમસંસ્કાર દિલ્હીમાં થયા હતા અને એમની સમાધિ પણ દિલ્હીમાં છે, પરંતુ મોરારજીભાઈની અંતિમવિધિ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે થઈ હતી અને ત્યાં જ એમની સમાધિ છે, જેને અભય ઘાટ નામ આપવામાં આવ્યું છે.
બે અમદાવાદમાં એમ તો મોરારજીભાઈનું મ્યુઝિયમ પણ છે. એમને મળેલા સર્વોચ્ચ એવૉર્ડ જોવા હોય તો તમારે અમદાવાદસ્થિત ગૂજરાત વિદ્યાપીઠમાં જવાનું.
રાષ્ટ્રના મોરારજીભાઈનો જન્મ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ભદેલી ગામમાં, પણ અમદાવાદ સાથે એમનો સંબંધ ખાસ્સો લાંબો રહ્યો. પહેલી સરકારી નોકરી (૧૯૧૮), ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક (૧૯૪૮) અને એ પછી વિદ્યાપીઠના કુલપતિ (૧૯૬૩). આ જ વિદ્યાપીઠના સંકુલમાં ૨૦૦૩માં મોરારજીભાઈની સ્મૃતિમાં મ્યુઝિયમ બન્યું હતું.
This story is from the March 25, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 25, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કાંઈ તડકા પડે છે, બાપ!
માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.
જસ્ટ, એક મિનિટ..
વિખ્યાત મોટરકાર કંપની ફોક્સવેગને એક સામાજિક પ્રયોગ પ્રાયોજિત કર્યો,
મફત, દૂરંદેશી અને મતદાન
સાચા સિક્કા રાહ જુએ છે ખોટા સિક્કા ખોઈ નાખો.
મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!
મોદી સામે કોઈ પડકાર નથી અને ચૂંટણીનું પરિણામ નિશ્ચિત લાગે છે એ કબૂલ, પણ એ કારણે નવી લોકસભા પસંદ કરવામાં ભાગીદાર જ ન બનવાનો ‘ઉપાય’ ખોટો છે.
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.