આમ જોઈએ તો એનું કામ સમય મળે ત્યારે ગિરનાર તળેટીમાં જઈ પથ્થર શોધવાનું. એની પાસે હોય રંગ અને પીંછી. બસ, એકાદ મોટો–સારો અને પ્રમાણમાં થોડો લિસ્સો પથ્થર મળી જાય તો આ ભાઈ ત્યાં અડિંગો જમાવી દે અને મંડ એ પથ્થર ચિતરવા. ક્લાક-બે કલાકમાં તો એ પથ્થર પર પ્રકૃતિના એવા રંગ ઉતારી દે કે કાળમીંઢ પથ્થર પર જાણે બોલવા લાગે... કહો કે ગીત ગાવા લાગે.
પણ ના, એ ભાઈ રંગારો નથી. એ આવે છે માલધારી સમાજમાંથી. પશુ-પક્ષી અને પ્રકૃતિ સાથે જાણે નાળનો સંબંધ. આ સંબંધને કારણે જ કદાચ એનો જીવ આ કામ તરફ વળ્યો હશે. જૂનાગઢથી ભવનાથ જતા રસ્તે ગિરનાર તળેટીની કાળમીંઢ શિલા પર એણે પશુ-પક્ષી અને વનસ્પતિનાં એવાં ચિત્રો બનાવ્યાં છે કે આ પથ્થરો જીવંત બની ગયા છે. લોકો આ પથ્થરો પાસે ટોળે વળી એનાં ગીત રૂપી ચિત્રોને ફક્ત ધારી ધારીને જોતા જ નથી, એની પાસે ઊભા રહી સેલ્ફી પણ લે છે. એ ચિત્રકારનું નામ છે રમેશ કારેથા. ઘણા લોકો એને આર.કે. પેન્ટર તરીકે પણ ઓળખે છે.
રમેશભાઈનું વતન જૂનાગઢથી ચાલીસેક કિલોમીટર દૂર વિસાવદરનું લુંઘિયા ગામ. પિતા ખીમાભાઈ કારેથા રાજાશાહીના સમયના પોલીસ પટેલ. ચાર બહેનો અને બે ભાઈના પરિવારમાં રમેશ સૌથી નાનું સંતાન. એ આમ નાનો, પણ હતો ખૂબ તેજારો. મોટા ભાઈ ભીખુ કારેથાને પેન્ટિંગનો શોખ એટલે નાનો રમેશ પણ એમને ચિત્ર દોરતાં જોઈ પીંછી પકડતાં શીખતો ગયો. બાળપણથી જ થોડીય રમેશને ભણવા કરતાં રંગમાં વધુ રસ પડતો રહ્યો. ફુરસદ મળે તો એ નીકળી પડે વિસાવદર લુંઘિયા પાસેના ગીરના જંગલનાં ઝાડવાંઓની વચ્ચે. ત્યાં જઈ કુદરતના ખોળે ચિત્રો બનાવવાની કલ્પના કરવા માંડે.
この記事は Chitralekha Gujarati の March 18, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の March 18, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.